ધારી, ધારી ના ભાડેર ગામ સીસીસી નીચે આવતાં ગામ એક થી પાંચ વર્ષ ના બાળકોને રસીકરણ કરવામાં આવેલ તેમજ સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી, અત્યારે ધારી વસાહત આંગણવાડી મા કાર્ય ચાલુ છે. કોરોના વાઇરસ ના કારણોસર જાણકારીઓ આપી માસ્ક ફરજીયાત પહરવા સુચનાઓ આપવામાં આવે છે. રીપોર્ટર : સંજય વાળા, ધારી
Read MoreDay: April 28, 2020
ના પ્રથમ કોરોના સંક્રમિત દર્દીએ કોરોનાને આપી મ્હાત, મુખ્યમંત્રી એ કચ્છીમાં દર્દીના ખંબર અંતરની પૃચ્છા કરી તબિયત સાચવવા કહયું.
કચ્છ, ‘‘ ‘હાણે આજી તબિયતજી ખ્યાલ રખજા’’ આ સંવેદનાસભર ખબર અંતરના શબ્દો છે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજરોજ કચ્છ-ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસ કોવીડ-૧૯ના પ્રથમ સંક્રમિત દર્દી આશાલડી ગામના રહીમાબાઇની મોબાઇલ દ્વારા મુખ્યમંત્રીએ કચ્છી ભાષામાં ખબર અંતર પૂછી તેમની સંવેદના પ્રગટ કરી હતી. બહેને જયારે તેમનો આભાર માન્યો ત્યારે મુખ્યમંત્રીએ કહયું કે, ‘‘તમે બધા ગુજરાતની શાન છો. તમારે આભાર ના માનવાનો હોય હવે તબિયત સાચવશો અને ઘરમાં પણ બધાની તબિયત જાળવજો હું લખપત આવીશ તો મળીશ તમને.’’ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં તબીબ ડો.દીપ ઠકકરના મોબાઇલ પર મુખ્યમંત્રીએ રહીમાબેન સાથે વાત કરી તેમજ…
Read Moreરાજકોટ શહેર વોર્ડનં.૧૮માં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ૧૦,૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કર્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ, ડો.પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીરાજસિંહ વાળા આગેવાની હેઠળ રાજકોટ શહેરના વોર્ડનં.૧૮ માં યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા અંદાજે ૧૦.૦૦૦ થી વધુ માસ્કનું વિતરણ કરાયેલ આ તકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર.અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગણી સહિત ના ઉપસ્થિત રહી રાજકોટ શહેરના પ્રજાજનોને માસ્ક વિતરણ કરાયું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના હિસ્સે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચતું પાણી શુધ્ધ થાય છે. તેને ક્લોરીનેટેડ કરવામાં આવે છે. ત્યાંથી વોર્ડના વિસ્તારના E.S.R.-G.S.R. માં સંગ્રહ થાય છે. અને ત્યાંથી પછી નાગરિકોના ઘરના નળ સુધી પહોંચે છે. વોટર વર્કસના ફિલ્ટર પ્લાન્ટની નિયમિત જાળવણી અને E.S.R. તથા G.S.R. ની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવી રહી છે. વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા પમ્પિંગ સ્ટેશન, રાઈઝીંગ મેઈન…
Read Moreરાજકોટ શહેર કણસાગરા મહિલા કોલેજના યુનિટ દ્વારા ૧ લાખનું અનુદાન
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ કોરોના મહામારી સમયે રાષ્ટ્રીય સેવાના હિત સાથે બોલબાલા ટ્રસ્ટને કણસાગરા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાનાં પ્રોગ્રામ ઓફિસર ડો.યશંવત ગૌસ્વામી દ્વારા એક લાખ રૂપિયાનું અનુદાન ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવ્યો હતો. કણસાગરા મહિલા કોલેજ શિક્ષણ સાથે સેવાકિય યોગદાનના વિવિધ આયોજન પ્રો.યશવંતભાઇ ગૌસ્વામીનાં હેઠળ કરીને રાજકોટનું નામ રાજય દેશમાં રોશન કરેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરની દુર્ગા શક્તિ ટીમ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભાવનગર રોડ પર રહેતી જરૂરિયાતમંદ મહિલાઓને સહાય કરવામાં આવી છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ ભાવનગર રોડના રેડ લાઈટ એરિયા ગણાતા વિસ્તારમાં ૧૦૦ જેટલી દેહ વ્યાપારના ધંધા સાથે જોડાયેલ જરૂરિયાતમંદ મહિલાઓને રાજકોટની દુર્ગા શક્તિ ટીમ તેમજ બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનાજ કરીયણા તેમજ શાકભાજીની કીટ બનાવીને વિતરણ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૪૬ જેટલા કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારને હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે અહીં હજારોની સંખ્યામાં લોકોને ક્લસ્ટર કવોરેન્ટન કરવામાં આવ્યા છે. ત્યારે અહીં જે પણ લોકો પોતાના ઘરમાં જમવાનું નથી બનાવી શકતા તેવા તમામ લોકોના ઘરમાં…
Read Moreરાજકોટ શહેર પુરુષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રણછોડનગર સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે રણછોડનગર સોસાયટી મિત્ર મંડળના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવેલ છે. જેમાં ૧૦૦ રકતદાતા ભાઇઓ-બહેનો દ્વારા સેવા ભાવથી રકતદાન કરવામાં આવેલ છે. સર્વે રકતદાતાઓને માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલ છે. સર્વે રકતદાનાઓને પ્રોત્સાહિત ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સિલ્વર એસોશીએસનના અનિલભાઇ તળાવિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, કોર્પોરેટર પરેશભાઇ પીળપીયા, પ્રભારી અશોકભાઇ લુગારીયા, ઘનશ્યામભાઇ કુગશીયા, દુષ્યંતભાઇ સંપટ, મુકેશભાઇ ધનસોતા, પિન્ટુભાઇ…
Read Moreજૂનાગઢ ના કેશોદ માં SP દ્વારા વહેલી સવાર થી ચેકીંગ કરી રખડતા લોકો ના બોલાવ્યા મોર
કેશોદ, જૂનાગઢ જિલ્લા ના કેશોદ માં આજરોજ SP સૌરભ સિંઘ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં રોડ પર થી નીકળતા બિન જરૂરી લોકો ના વાહનો સામે સખ્તાઈ થી કાર્યવાહી કરવામાં આવેલ હતા. તેમના દ્વારા જુદા જુદા રોડ હાઇવે પર કડક ચેકીંગ કરી બિન જરૂરી રખડતા ઈસમો સામે કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો હતો. લોક ડાઉન -2બાદ વેપારી ઓ ને થોડી છુટ છાટ આપવામાં આવેલ જેમાં પબ્લિક નો એક દમ ધસારો વધતા વ્યવસ્થા ખોળવાઈ હતી. ત્યારે ફરી તમામ દુકાનો સજ્જડ બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઈ આજરોજ કેશોદ માં તમામ…
Read Moreરાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ દીકરાને જન્મ આપ્યો, પુત્રનું મોઢું મોબાઈલમાં જ જોઈ શકી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ સગર્ભા મહિલા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા આવી અને કોરોના હોવાનું ખુલ્યુ હતું. હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા જ દિવસે સિઝેરીયનથી ડિલીવરી થઈ અને પુત્રનો જન્મ થયો. પુત્રને તુરંત જ માતાથી અલગ કરી સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી. માતાને પુત્રનું મોઢુ ન જોવા મળતા તેને હજુ એવો વહેમ છે કે તેનુ બાળક બચી શક્યુ નથી. સવારથી રડી રહી છે. સાંજે મોબાઈલમાં તેણે પહેલી વખત પુત્રનું મોઢું જોયું ત્યારે તેને ધરપત થઈ હતી. સગર્ભાની વૃદ્ધ માતા પણ કોરોના પોઝીટીવ છે. બંને એક જ વોર્ડમાં દાખલ છે. પણ…
Read More