રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ બંદોબસ્તમાં રહેલ અધિકારીઓને સુચના આપતા રાજકોટ શહેર પોલીસ કમિશનર

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા મહત્વના પોઈન્ટની વિઝીટ લઈ ફરજ પરના અધિકારીઓ તથા કર્મચારીઓ ને જરૂરી સુચનાઓ કરવામાં આવેલ. રાજકોટ શહેર જંગલેશ્વર વિસ્તાર કે જયા વધુ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓ મળી આવેલ હોય. જેથી રેડ ઝોન જાહેર કરી હાલ ત્યાં કફીર્યુ જાહેર થયેલ છે. જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ કમિશનર સાહેબે ચેપગ્રસ્ત વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફુટ પેટ્રોલિંગ કરી બંદોબસ્તમાં રહેલ કમેચારીઓ ને સુચના આપી હતી. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર બાંધકામ સાઈટ પર રહેલા પરપ્રાંતીય મજુરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવેલ મનોવૈજ્ઞાનિક પરામર્શ

રાજકોટ , રાજકોટ શહેર તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ હાલ તમામ સાઈટો પર ઘણા સમયથી કામ બંધ હોય. તેમજ શહેરની જુદી-જુદી સાઈટ પર મજુરી અર્થે આવેલા મોટાભાગના અટવાયેલા મજુરો પરપ્રાંતીય હોય. તેઓ પોતે પોતાના વતન તરફ જવા પ્રયત્નશીલ છે. આવી પરિસ્થિતિમાં સાઈટ પર રહેલા મજુરોનું મનોબળ જળવાય રહે તે હેતુસર રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા કાર્યરત કંટ્રોલરૂમ તરફથી આ લોકડાઉન દરમિયાન રોકાયેલ. સ્થળાંતર કરતા મજુરો માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મનોવૈજ્ઞાનિક પરામર્શ કરવા જણાવવામાં આવેલ છે. આ માટે નોડલ અધિકારી તથા મનોવૈજ્ઞાનિકની ટીમ ફોરેન્સિક સાયન્સ લેબ. ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે. રિપોર્ટર :…

Read More

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના નિવાસસ્થાનેથી રાજકોટ શહેરના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી હતી

તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના થી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટ ના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડબેક મેળવ્યા હતા. અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઈ રૂપાણી એ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યા છે. ત્યારે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નોર્મસ જળવાય એટલુ જ નહિ કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમ…

Read More

રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે વિજયભાઈ રૂપાણી

  તા.૧૯.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ સોમવારથી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારોને ફેકટરી પ્રીમાઇસિસ માં જ રહેવાની વ્યવસ્થા અને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે. શહેરી વિસ્તારમાં નિર્માણ હેઠળના બાંધકામ પ્રોજેક્ટ્સ પણ કામદારો શ્રમિકોની તે પ્રોજેક્ટ્સ સ્થળે રહેવાની વ્યવસ્થા સાથે…

Read More

વ્યસનમુક્તિ માટે અને કેન્સરના વહેલા નિદાન માટે વચનબદ્ધ જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ તરફથી 31 મે ૨૦૨૦ તમાકુ નિષેધ દિવસ ના રોજ મેજિક મિકસ મુખવાસ- ૫૦૦૦ પેકેટનું મફત વિતરણ

જામનગર, તમાકુ ,ગુટકા ના બંધાણીઓ માટે કપરો સમય ચાલી રહ્યો છે. કેટલાકને કબજિયાત છે. અને આ કબજિયાતનો ગુસ્સો ઘર આખાના વાતાવરણને ડહોળી નાખે છે. કેટલાકને પેટમાં દુખાવો, શરીર તૂટવું, કાંઈ ન ગમવું, એકાગ્ર ન થઈ શકવુ જેવા તમાકુના બંધાણીને તમાકુ ન મળવાથી થતા ચિન્હો છે. એવુ નથી કે ગુટખા મળતા જ નથી, સરકારના ઘણા પ્રયત્નો છતાય 20 રૂ. ની વસ્તુઓ ૪૦ થી ૮૦ રૂ. માં મળે છે. હોમ ડીલીવરી થાય છે. પણ સિક્કાને સારી બાજુ જુઓ તો ઘણાને તમાકુના બંધનમાંથી બહાર નીકળવું છે ઘણાએ માટેના પ્રયત્નો પણ કરેલ છે. વ્યસન…

Read More

મોરબીમાં નવા ડીવાયએસપી તરીકે રાધિકા ભરાઈ ની નિમણુંક

મોરબી, મોરબીમાં નવા ડીવાયએસપી તરીકે રાધિકા ભરાઈ ની નિમણુંક કરાઈ. મોરબીના ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરીની સુરતના ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટિંગ થતાં મોરબી ડીવાયએસપીની પોસ્ટ ખાલી થયેલ. જેમાં આજે મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે રાધિકા ભરાઈ ની નિમણુંક કરવામાં આવી. ગૃહ વિભાગ દ્વારા જીપીએસસી પાસ કરી જુદી જુદી જગ્યાએ માં રહેલા ૧૯ જેટલા ડીવાયએસપીને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબીના ડીવાયએસપી મુકેશભાઈ ચૌધરીને સુરતમાં ગ્રામ્ય પોલીસ તરીકે નિમણુંક કરાઈ છે. જ્યારે કચ્છ પૂર્વ ગાંધીધામમાં પ્રોફેશનલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાધિકા ભરાઈને મોરબી વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવી છે.  …

Read More