રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ છેલ્લા ૩૪ દિવસમાં કુલ ૧૫૦૦થી વધુ પણ કોરોનાના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરિક્ષણ કરવાં માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી કુલ ૪૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેમાં ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી જંગલેશ્વરના ૧૬ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ ૪૧ અને ગ્રામ્યમાં ૧ પોઝિટિવ સાથે રાજકોટના ૪૨ દર્દીઓને કોરોના પોઝિટિવ નોંધાયો છે. ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી ૪૫ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને હજુ ૧૬ નમુનાઓનું પરિક્ષણની રાહ છે. કોરોનામાં સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારના નોંધાતા…
Read MoreDay: April 23, 2020
રાજકોટ શહેર રમજાન માસના અનુસંધાને સ્થાનિક મુસ્લિમોની એક મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હોય
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મનો હરસિંહ જાડેજા D.C.P. ઝોન.૨ ની અધ્યક્ષતાંમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર દ્વારા આગામી રમઝાન માસ અનુસંધાને સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મિટિંગ લેવામાં આવેલ છે. અને કોરાના મહામારી અનુસંધાને તકેદારી રાખવા અને મસ્જિદ ખાતે એકત્રિત ન થવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના વિસ્તારમાં થશે આજથી કોરોના નો રેપીડ ટેસ્ટ શર
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ રેપીડ ટેસ્ટ કિટનો ઉપયોગ તંત્ર દ્વારા આજથી શરૂ કરવામાં આવનાર છે. આ રેપીડ ટેસ્ટ જંગલેશ્વર વિસ્તારના કોરોનાના પોઝિટિવ કેસો શોધવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ રેપીડ ટેસ્ટથી ૧૫ કે ૨૦ જ મિનિટમાં પરિણામ મળશે. પહેલા જે લોકો છેલ્લા ૭ દિવસથી શરદી, ઉધરસ અને તાવ જેવા કોરોનાના લક્ષણો ધરાવે છે. તેઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે…
Read More