હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત લલિતભાઈ કાનજીભાઈ ખપેડ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ તાલીમ અને માર્ગદર્શન લઈ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ, કઠોળ, શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે. જેમાં તેઓને સારી એવી આવક મળી રહે છે. જેમાં દરેક સિઝન મુજબ જેમ કે,ચોમાસામાં મકાઈ અને ડાંગર, શિયાળામાં ઘઉં અને ચણા, તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરીને પણ બદલાતી અને મિશ્ર ખેતી કરું…
Read MoreCategory: Nature
પ્રાકૃતિક પદ્ધતિથી દશપર્ણી અર્ક બનાવવાની સરળ રીત
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેડૂતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યાં છે. કોઇપણ ખેતી પાક અથવા ફળઝાડ ઉપર છંટકાવ કરવા માટે ઘરે જ ઓછા ખર્ચવાળી દવા બનાવવી સરળ છે ત્યારે દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અંગે વિગતવાર જાણીએ. દશપર્ણી અર્ક બનાવવા માટે સૌ પ્રથમ એક મોટી ૨૫૦ લિટર ક્ષમતાની ટાંકી અથવા લોખંડના બેરલમાં ૨૦૦ લીટર પાણી લો. તેમાં દેશી ગાયનું ૨૦ લિટર ગૌમૂત્ર નાખો. ભેંસનું અને જર્સી એચ. એફ. અથવા સંકર ગાયનું ગૌમત્ર ચાલશે નહીં. એક લોઢાનાં અથવા જર્મનના તપેલામાં ૫ લિટર પાણી લઈને તેમાં ૨ કિલો દેશી…
Read Moreબાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર થકી માત્ર બે મહિનામાં જ પ્રાકૃતિક કૃષિના આયામોના વેચાણ દ્વારા રૂ.૭૦ હજારની આવક મેળવતા વલાસણના પ્રકાશભાઈ સોલંકી
હિન્દ ન્યુઝ, આણંદ એક સમયમાં દેશના ભાવિ એવા બાળકોના ઘડતરમાં યોગદાન આપી ચૂકેલા શિક્ષક અને સાંપ્રત સમયમાં સમાજના આરોગ્યની દરકાર કરી રહેલા આણંદ જિલ્લાના વલાસણ ગામના પ્રકાશભાઈ સોલંકીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના સઘન પ્રયાસોથી પ્રેરાઈને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઝંપલાવ્યું. વલાસણના પ્રકાશભાઈએ માત્ર પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રાકૃતિક જણસના વેચાણથી અટક્યા નહીં,પરંતુ ત્યાંથી આગળ વધીને પ્રાકૃતિક કૃષિ માટેના જરૂરી આયામો માટેનું ઉત્પાદન કરતું બાયો ઇનપુટ રિસોર્ટ સેન્ટર (BRC) (જીવામૃત અને ઘન જીવામૃત વેચાણ કેન્દ્ર) યુનિટનો શુભારંભ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સહાય લઈને કર્યો. પ્રકાશભાઈ બાયો ઈન્પુટ રિસોર્ટ સેન્ટરની વિગતવાર…
Read Moreપ્રાકૃતિક સંપદા, વન્યજીવ અને સાંસ્કૃતિક ધરોહરનું સુરક્ષાચક્ર એટલે વનરક્ષક
૩૧ જુલાઈ “વર્લ્ડ રેન્જર ડે” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતીય સંસ્કૃતીમાં કહેવાયું છે કે, આ સમગ્ર વિશ્વ પંચતત્વનું બનેલું છે. આ પંચતત્વ એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ તત્ત્વોનો સમન્વય. આ જ રીતે પૃથ્વી મુખ્યતવે પર્યાવરણ પર આધારિત છે. ‘પરિ’ એટલે કે આસપાસ અને ‘આવરણ’ એટલે કે આસપાસનું સ્તર અથવા વાતાવરણ. આ પર્યાવરણમાં પ્રાકૃતિક સંપદા, વન્યજીવ તેમજ અનેક સાંસ્કૃતિક ધરોહરનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કુદરતે અખૂટ પ્રાકૃતિક સંપદા આપી છે. જંગલના વિસ્તારનું સંચાલન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરતા વનરક્ષકો આ પ્રાકૃતિક સંપદાની…
Read Moreઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે…
Read Moreબોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં સૂચવાયા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે આ મુજબ માર્ગદર્શન અપાયું છે. મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ)અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી.ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારીત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું. સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો…
Read Moreપ્રાકૃતિક ખેતપેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે બની રહ્યું છે નાકાણીય સમૃદ્ધિનું સાધન
હિન્દ ન્યુઝ, મોરબી “કિસાન સન્માન નિધિના હપ્તા અને સરકારના સહકાર થકી પ્રાકૃતિક ખેતી બની ઝીરો બજેટ ખેતી” – ખેડૂત અશોકકુમાર પરેચા મોડલ ફાર્મ ધરાવતા મોરબી પાસેના લખધીરનગર (નવાગામ)ના ખેડૂતે ખારેક, ડ્રેગન ફ્રુટ, સરગવો, હળદર, કઠોળ, મગફળી, તલની પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધિ મેળવી મગફળી – તલ પાકોનું તેલ કઢાવી આનુસંગિક આવકમાં પણ કરે છે વધારો ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર બની રહ્યું છે સમૃદ્ધ પ્રાકૃતિક ખેતીના તમામ ઘટકો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાસ્પામાં પારંગતતા મેળવી તેનો ભરપૂર કરે છે ઉપયોગ
Read Moreતળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને GPKVB ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૧૫/૦૭/૨૦૨૫ ના રોજ તળાજા તાલુકાના પાવઠી ગામે પ્રાકૃતિક કૃષિ વિષે કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયેલ હતો. ખેડૂતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ટાળીને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ તરફ વળે એ માટે ભાવનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા વિશેષ કિસાન ગોષ્ઠિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ૭૪ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતીની સવિશેષ માહિતી મદદનીશ ખેતી નિયામક ડી. પી જાદવ તેમજ બ્લોક ટેકનોલોજી મેનેજર રાજભા ગોહિલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર બ્રિજેશ સોલંકી દ્વારા…
Read Moreબોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં સૂચવાયા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં આ મુજબ સૂચવાયા છે. શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/ કાંકસી/ જંગલી ભીંડા/ કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી,…
Read Moreસૂક્ષ્મજીવોના મહત્વ અને ઇકોસિસ્ટમના સંતુલન જાળવવા પ્રાકૃતિક કૃષિ એક સર્વગ્રાહી અભિગમ
હિન્દ ન્યુઝ, મોરબી પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને વંદન કરવાનો એક માર્ગ છે, જે આપણી આગામી પેઢીઓ માટે સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યની ખાતરી આપે છે. પ્રાકૃતિક કૃષિનો આધાર પ્રકૃતિના નિયમોને સમજવા અને તેનું પાલન કરવા પર રહેલો છે. આ પદ્ધતિ ભારતીય ખેતીની…
Read More