સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન

હિન્દ ન્યૂઝ, સોમનાથ,

આજ તા.05.10.2020 ને સોમવાર ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ મુજબ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા ઉતરપ્રદેશ માં એક વાલ્મિકી સમાજ ની દીકરી પર જે ઘટના બની છે, જેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે. પણ ત્યા ની યોગી સરકારે જે લાપરવાહી રાખી છે તેમજ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી તથા કોંગ્રેસ કાર્યકર્તા ઓ પર અમાનવીય વર્તન તેમજ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જેના માટે એક દિવસ માટે ગાંધી ચીંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ અને તાલાલા ના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ, ઉના ના ધારાસભ્ય પુંજા ભાઈ વંશ, જીલ્લા તથા તમામ તાલુકા કોંગ્રેસ ના આગેવાનો, તાલુકા તથા શહેર પ્રમુખો, મહિલા આગેવાનો, દરેક સેલ ના પ્રમુખ તથા તાલુકા જીલ્લા પંચાયત અને નગરપાલિકા ના હારેલા જીતેલા સભ્યો તેમજ પાર્ટી ના દરેક કર્યાકર્તા હાજર રહ્યા હતા.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment