સ્વાતંત્રતા પર્વની ઉજવણી આજે શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી

ગીર સોમનાથ,

ધ્વજવંદન સોમનાથ ટ્રસ્ટના માનદ ટેમ્પલ મેનેજર ધનંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ, આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંદિર ડીવાયએસપી એમ ડી ઉપાધ્યાય, તેમજ પોલીસ, ટ્રસ્ટ, એસઆરપી, જીઆરડી ના સુરક્ષા જવાનો અધિકારીઓ સૌ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગોચીત સંદેશ માં ધનંજયભાઇ દવે એ જણાવેલ કે જેમ ભગવાન શ્રી રામ ને જન્મભૂમી એટલી પ્રિય હતી કે તેઓએ લંકા ખાતે લક્ષ્મણ ને કહેલ કે ” जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ” એટલે કે જનની એટલે માં અને માત્રુભૂમિ સ્વર્ગ થી પણ વધુ પ્રિય હોય છે. સોમનાથ મહાદેવને સવારે કેસરી લીલા અને સફેદ ત્રણ રંગોના પુષ્પો નો વિેશેષ શૃંગાર કરવામાં આવેલ હતો.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment