ગીર સોમનાથ જીલ્લા મા સૌ પ્રથમ વખત જ વેરાવળ મા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાનુ અનાવરણ કરાયુ….

ગીર સોમનાથ,

ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે તા.૧૫ ઓગષ્ટ ના રોજ રીંગરોડ સ્થિત સર્કલ પર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી ના વરદહસ્તે સ્વામી વિવેકાનંદ જી ની પ્રતિમાનું લોકાર્પણ અને આ સર્કલ ને સ્વામી વિવેકાનંદ સર્કલ નામકરણ કાયઁક્રમ યોજવામાં આવેલ

જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ ના પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ લખમભાઇ ભેસલા, જીલ્લા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠીયા, પુવૅ જીલ્લા ભાજય મહામંત્રી અને પ્રદેશ કારોબારી સદસ્ય શૈલેન્દ્ર સિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, નગરપાલિકા પુર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડી તેમજ કારોબારી ચેરમેન ‌રાજેશ ભાઈ ગઢિયા ઉપપ્રમુખ કિશોરભાઈ સામાણી, એફ સી આઇ ના ડાયરેક્ટર કાંતીભાઇ ચુડાસમા, સહીત નગરસેવકઓ તથા સંગઠ્ઠન ના હોદ્દેદારો તથા નગરપાલિકાના અધિકારી ગણ ઉપસ્થિત રહેલ હતા . ધીમી ધારે વરસતા વરસાદમા ભાજપના ઉપસ્થિત સૌ આગેવાનો એ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાનુ અનાવરણ કરી ફૂલહાર કરેલ હતા . વેરાવળ નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી દ્રારા અનેક કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયા છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment