બજરંગદળના યુવાનો મેળવી રહ્યા છે શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક તાલીમ હિન્દ ન્યુઝ, જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિશ્વગ્રામ વિદ્યાપીઠ સંકુલ (વડાલ) જૂનાગઢ ખાતે તા.૧૯ મે,૨૦૨૪ થી ૨૬ મે,૨૦૨૪ સુધી બજરંગદળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ગોમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુર્યનમસ્કાર, લાણીગ્રવ તલવાર બાજી, રાયફલ શૂટિંગ વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ વર્ગની દિનચર્યા સવારે ૪:૩૦ વાગ્યાથી શરૂ થઈ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી અલગ અલગ સત્રોમાં હોય છે. વિવિધ પ્રકારના આ સત્રોમાં શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક વગેરે શિક્ષકગણ દ્વારા…
Read MoreDay: May 24, 2024
અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતા વેપારીઓ પાસેથી જ બિયારણ ખરીદવા નાયબ ખેતી નિયામકનો ખેડૂતોને અનુરોધ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર હવામાન વિભાગના આગાહી મુજબ રાજ્યમાં આગામી ચોમાસુ સીઝન ૧૯ મી જુન થી શરૂ થવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ કપાસ પાકનું આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતોએ જ કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું…
Read Moreસોજીત્રામાં ફેલાયેલા ઝાડા-ઉલ્ટીના રોગચાળા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ સોજીત્રા શહેરી વિસ્તારમાં ઝાડા ઊલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ત્વરિત ૧૬ જેટલી ટીમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાના સોજીત્રા શહેર અને આસપાસના વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ત્વરિત પ્રયાસો હાથ ધરી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની કુલ ૧૬ ટીમો દ્વારા સોજિત્રામાં થયેલ ઝાડા ઉલ્ટીના સંદર્ભે સર્વેલેન્સ, કલોરીનેશન, લીકેજ શોધવા, આરોગ્ય શિક્ષણ, સારવાર, કલોરીન-ORS વિતરણ જેવી…
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિ:શુલ્ક યોગ સમર કેમ્પ શરૂ
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ-સેવક શીશપાલ રાજપૂત અને વિશેષ અધિકારી વિશન વેદીના નેતૃત્વ હેઠળ તથા ઝોન-૭ ના ઝોન કોઓર્ડિનેટર ડૉ. જયનાબેન પાઠક અને જિલ્લા કોઓર્ડિનેટર દિવ્યા ધડુક પટોલિયાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએ તા.૨૯/૦૫/૨૦૨૪ સુધી સવારના ૭-૦૦ થી ૯-૦૦ કલાક દરમિયાન બાળ સમર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આ બાળ સમર કેમ્પ જિલ્લાના ત્રણ સ્થળોએ શરૂ કરાયો છે. જેમાં ડી. એન. હાઇસ્કૂલ કેમ્પસ, કસ્તુરબા કન્યા વિદ્યાલય પ્રાંગણ, આણંદ ખાતે યોગ કોચ શંકરજી એફ રાઠોડ, સ્વામિનારાયણ મંદિર હૉલ- પેટલાદ ખાતે યોગ કોચ તક્ષ શુક્લ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોએ કપાસ પાકના આગોતરા વાવેતર માટે ધ્યાનમાં રાખવાની બાબતો
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોમાસાની સીઝન તારીખ ૧૯ જૂનથી શરૂ થવાની શક્યતા રહેલી છે. તેથી કપાસ પાકના આગોતરા વાવેતર માટે જે ખેડૂતોને પિયતની સગવડ હોય તો તે ખેડૂતોએ વાવેતર કરવું જોઈએ. અન્યથા પાક ઉત્પાદનમાં અસર પહોંચવાની શક્યતા રહેલી છે. તેથી જિલ્લાના ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત રીતે લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે ખેડૂતોએ વેપારી પાસેથી તેનું પૂરું નામ, લાયસન્સ નંબર, સરનામું, જે બિયારણ ખરીદેલું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન…
Read Moreસરકારી જમીનમાં થયેલા દબાણને દૂર કરતાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તાલાલા તાલુકાના વીરપુર ગામે સરકારી સર્વે નંબર 117 પૈકીની આશરે હે. 1-94-00 ચોરસ મીટર એટલે કે 12 (બાર) વીઘા જમીન જેની બજાર કિંમત આશરે રૂ. 6 કરોડ થાય છે. તેના પરનું દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જિલ્લામાં સરકારી જમીન પર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને તાલાલા-સાસણ સ્ટેટ હાઇવે ટચની આ જમીનની બંને બાજુએ આવેલ મોકાની સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે ઢોરઢાંખર રાખી વાડો બનાવી પેશકદમી કરી હતી. આ…
Read Moreનર્મદાની પાઇપલાઇનમાંથી પીવાના પાણીની ચોરી થતી હોવાની મળેલી ફરિયાદને પગલે જિલ્લા કલેક્ટરની સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે ઓચિંતી તપાસ
હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ સૂત્રાપાડા તાલુકામાં પીવાનું પાણી ન મળવાની મળેલી ફરિયાદોને પગલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સવારે અચાનક સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામની સીમમાં પહોંચ્યાં હતાં. અત્યારે ઉનાળાના આકરી ગરમીને લીધે અને દરિયાકિનારે હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. તેવામાં નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે લગાવેલા પાણીના કનેક્શન કલેકટરની ઉપસ્થિતિમાં જમીનમાંથી શોધી કાઢવામાં આવ્યાં હતાં અને તેને જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સોનારીયા થી પ્રશ્નાવડા જતી નર્મદાની પાઇપલાઇન વડે જિલ્લાના બાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અમૂક લોકો ગેરકાયદેસર…
Read Moreશ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન -૨ નું આયોજન કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, સુરત શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા સુરતમાં વસતા વઘાસીયા પરિવારનાં યુવાનો દ્વારા યુવાઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ, કાપોદ્રા ખાતે કરવામાં આવેલ. પરિવાર ના મહામંત્રી નિખિલ વઘાસીયા એ વિશેષ માહિતી આપતા જણાવેલ કે, શ્રી વઘાસીયા પરિવાર નું સિલ્વર જ્યુબીલી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે પ્રમુખ ડો. જગદીશ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકાર ની ૨૫ કરતા પણ વધારે પ્રવૃતિઓ કરવાનું નક્કી કરેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ ક્રિકેટ નો વાયરો ચાલી રહ્યો છે મોટાભાગનાં યુવાઓ ક્રિકેટ માં વિશેષ રૂચી…
Read Moreજિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદાર અને નોકરીદાતાઓને “લૂ” થી બચવા માટે જરૂરી સૂચનો પાલન કરવા અનુરોધ
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં જાહેર કરવામાં આવેલા ‘‘ઓરેન્જ એલર્ટ’’ ને ધ્યાને લઈને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના કામદારો અને નોકરીદાતાઓને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. કામદાર અને નોકરીદાતાઓએ આટલું કરવું : • નોકરીદાતાઓએ કાર્યના સ્થળે કામદારો માટે પીવાના ઠંડા શુધ્ધ પાણીની, આરામની વ્યવસ્થા, છાશ, ઓ.આર.એસ., બરફ ના પેક તેમજ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી. • કાર્ય કરતી વખતે શરીર અને માથા પર સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતીને ટાળવી અને સખત…
Read Moreજિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા હીટવેવની સામે પાક અને પશુઓને રક્ષણ આપવા જરૂરી સૂચનો
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, આણંદ દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો અને પશુપાલકોને આગામી તા. ૨૪ મે સુધી હીટવેવ સામે પાક અને પશુઓના રક્ષણ માટે કેટલાંક પગલાં અનુસરવા જણાવાયુ છે. કૃષિ વિષયક પગલાં / ખેડૂતોએ આટલું કરવું : • ખેતરમાં ઊભા પાક ને હળવું અને વારંવાર સિંચન કરવું. • પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઈની માત્રા વધારવી. • નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવવું. • વહેલી સવારે અથવા સાંજના સમય દરમિયાન સિંચાઈ…
Read More