હિન્દ ન્યુઝ, આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ તા. ૭, મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન થાય તે માટે આણંદ જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધાત્મક હુકમ કર્યા છે. આ જાહેરનામાંમા જણાવ્યા પ્રમાણે ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૬-૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦-૦૦ કલાક પછી કરવો નહિ. ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના…
Read MoreDay: May 3, 2024
આણંદ લોકસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ લોકસભા મતવિસ્તારના વિવિધ મતવિભાગોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. જેના ભાગરૂપે ખંભાત તાલુકામાં આવેલા શક્કરપુર ગામ ખાતે સખીમંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી કાઢીને મતદાન જાગૃતિનું ગીત રજૂ કરી મતદારોને અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યાં હતાં. બોરસદ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં “હું અવશ્ય મતદાન કરીશ” સૂત્રની રંગોળી બનાવીને મતદારો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા હતાં. આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને મતદાનનું…
Read Moreઆણંદ જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટાચૂંટણીને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર સમગ્ર આણંદ સંસદીય મતવિસ્તારમાં મતદારો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરાયા છે. ચૂંટણી એ લોકશશાહીનો સૌથી મોટો ઉત્સવ ગણાવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં કોઈ પણ જાતિ,ધર્મ કે પ્રાંતના ભેદભાવ વગર મતાધિકાર ધરાવતા નાગરિકો સહભાગી થાય છે. આણંદ જિલ્લાના મતાધિકાર ધરાવતા તમામ નાગરિકો ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં…
Read Moreભાવનગર જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આર. કે. મહેતા ના માર્ગદર્શન હેઠળ લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘સ્વીપ’ એટલે કે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ નાગરિકોને અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર ના સૂત્રોની રંગોળી બનાવી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં…
Read More