હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત વિકાસયાત્રાના પાંચમા દિવસે ઝરમર વરસતાં વરસાદની વચ્ચે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા, રંઘોળા અને ઉમરાળા ખાતે રથનું આગમન થતાં ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું. છેલ્લા પાંચ દિવસથી ભાવનગર ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં ફરી રહેલો વંદે ગુજરાત રથ સિહોર, પાલીતાણા બાદ આજે ઉમરાળા તાલુકામાં આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોએ હર્ષભેર વંદે ગુજરાત રસનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને સરકાર ની વિકાસની ૨૦ વર્ષની યાત્રાની ટૂંકી ફિલ્મને નિહાળી હતી. ઔષધિય છોડ આપીને તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ…
Read MoreDay: July 10, 2022
ભાવનગરના ભરતનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રથનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પાંચમો દિવસ સરકારના વિકાસકાર્યોની મહેંક જન-જન સુધી પહોંચે તે માટે આયોજિત ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના પાંચમા દિવસે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ૨૫૦ થી વધુ લોકોએ ગુજરાતના ૨૦ વર્ષના વિકાસકાર્યોથી માહિતગાર થયા હતા. આ પ્રસંગે શહેરીજનોની સુખાકારી માટે ભરતનગર ખાતે આર. સી. સી. રોડ તથા પેવર રોડ નું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ગુજરાત માં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસનાં કામોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ભાવનગરનાં ભરતનગર…
Read Moreધ્રાંગધ્રામા મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રામા મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદ-ઉલ-અઝા એટલે બકરા ઈદની નમાઝ અદા કરી ઇદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે એકબીજા ને ઈદની મુબારકબાદી પાઠવી ઈદની ઉજવણી કરવામાં આવી સમગ્ર ભારત દેશ મા આજે ઈદ-ઉલ-અઝા એટલે બકરા ઈદ ઉજવ્વામા આવી રહ્યી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેરના ઇદગા ગ્રાઉંન્ડ ખાતે સમગ્ર ધ્રાંગધ્રા તાલુકા મુસ્લીમ બિરાદરો દ્વારા ઇદ ની નમાઝ અદા કરી હતી આ સાથે એક બીજા ગળે મળી ઈદ ઉલ અઝા એટલે બકરા ઈદની મુબારક બાદી આપી હતી સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્રારા…
Read Moreધ્રાંગધ્રાના હરિપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે બોલાવી રામધુન
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે રામધૂન બોલાવી હતી હરિપર અને રાજગઢ ગામના ખેડૂતોને ખેતરોમા જવાના રસ્તાઓ એલ.એન.ટી તથા સરકારી તંત્ર દ્વારા બંધ કરતા ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે હરિપર ગામના સરપંચ છે કલેક્ટર ઉપર કરી રહ્યા છે આક્ષેપ. કલેકટર કચેરીમાંથી રસ્તા બાબતે અગાઉ સરપંચની સહી લઈ ને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે એક નવું જ વળાંક સરપંચ દ્વારા કલેક્ટરે અંધારામાં રાખીને સહી લીધી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આપશે જ્યારે અહીંયા સરપંચની બેદરકારી…
Read Moreરાધનપુર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રહ્યા હાજર
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ ના કાર્યકર્તા ની સાથે રાધનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર વીજયભાઈ સરપંચ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૦૯-૦૭-૨૦૨૨ ના રોજ મોડલ સ્કૂલ, રાધનપુર ખાતે ધારાસભ્ય રઘુભાઇ દેસાઈના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરવિંદભાઈ ઓઝા(આચાર્ય) હમીરજી ઠાકોર, વિજયભાઈ પરમાર, અમરતભાઈ રાવળ, જીવણભાઈ રબારી, બાબુભાઈ ભરવાડ, એલ.ડી.ભરવાડ, ધવલભાઈ પંચાલ તેમજ સમગ્ર શિક્ષકગણ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreરાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે રાધનપુર રોટરી ક્લબ નો કાર્યક્રમ યોજાયો હતો
હિન્દ ન્યુઝ, રાધનપુર કાર્યક્રમ મા કથાકાર રમાબેન હરિયાણી ની ઉપસ્થિતિ માં રાધનપુર રોટરી ક્લબ નો નવીન પ્રમુખ બનાવવા નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાધનપુર ના જાણીતા તબીબ ડો દેવજીભાઈ પટેલ ને રોટરી ક્લબ ઓફ રાધનપુર ના પ્રમુખ અને સેકટરી તરીકે ડો ખેતસી ભાઇ ચૌધરી ને બનાવ્યા આસી ગવર્નર ડો.જયેશભાઇ સુથાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહેશભાઈ મુલાણી કોલેજ ના પ્રમુખ રાયચંદ ભાઇ ઠક્કર ડો ઓઝા ડો. ખેતસીભાઇ, ડો.ગોવિંદજી ઠાકોર સહિતના લોકો ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજ્યો હતો.સમગ્ર કાર્યક્રમ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર :…
Read Moreભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા નાગરિકો માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્ય કરી રહ્યું છે અને ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નાગરિકોએ શું પગલાં લેવાં તે માટેની સૂચનાઓ બહાર પાડી છે. આ આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને રેડ એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પ્રકારના જરૂરી પગલાં જેવાં કે જરૂરી ઓક્સિજન, દવાઓ અને ડિઝલનો જથ્થો પૂરતાં પ્રમાણમાં રાખવાં તંત્રવાહકોને સૂચના આપી છે. આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮…
Read Moreમૂકબધિર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા ત્રીજી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઈડ) તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની મૂકબધિર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૧૯૦ બહેનો માટે ત્રીજી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઈડ) તાલીમ યોજાઈ હતી. હરેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ વેગડ તથા કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફસ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ વગેરેની આપત્તિ નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા આપવામાં આવી હતી. જેનું સ્થાનિક શિક્ષકોએ મૂકબધિર લીપીમાં રૂપાંતર પણ કર્યું હતું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી.…
Read Moreભાવનગર જિલ્લા ટ્રાવેલ એજન્સી એસોસિએશનનાં પ્રમુખ પાસેથી અગત્યની માહિતી
હિન્દ ન્યુઝ, ભાવનગર પવિત્ર અમરનાથ યાત્રાધામ આભ ફાટવાની દુર્ઘટના સંદર્ભે ભાવનગર શહેર અને જિલ્લાનાં યાત્રીઓ સંબંધિત માહિતી હેતુ ભાવનગર જિલ્લા ટ્રાવેલ એજન્સી એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ પાસેથી નીચે મુજબ માહિતી પ્રાપ્ત થયેલ છે. ભાવનગરથી કુલ – ૯ બસ ગઈ છે. જે પૈકી કુલ – ૬ બસ હાલ પહેલગામ ખાતે છે, ૬ બસનાં કુલ મળીને – ૨૬૦-૨૬૫ યાત્રીઓ/ટ્રાવેલ સ્ટાફ મેમ્બર છે તમામ સલામત અને સ્વસ્થ છે, અને સંપર્કમાં છે એજન્સીઓ વતી એમની સાથે રહેલ હિરેનભાઈ નામનાં વ્યક્તિએ આ માહિતી આપેલ છે આજ ઈદ હોય આવતીકાલ તેઓ ભાવનગર પરત ફરવા માટે નીકળશે.…
Read Moreરોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન ભાવનગર ખાતે માનવસેવા હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ભાવનગર તા. ૯ જુલાઈ ૨૦૨૨ ના રોજ રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન ભાવનગર અને સરદાર પટેલ યુવા ગ્રુપ તરસમિયા અને કેપીએસ કોલેજના સહયોગી સંસ્થાઓથી અને શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર કોઈનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ માટે પણ ફાયદાકારક છે આ ઉપરાંત કેટલાય લોકો રક્તદાન કરવાથી ડરતા હોય છે એક્સપર્ટ નું કેવું છે કે રક્તદાન કરવાથી હૃદયના શ્વાસમાં સુધારો અને વજન કંટ્રોલ સહિત હેલ્થને કેટલા ફાયદા થાય છે બ્લડ ડોનેશન રક્તદાતાઓ ના…
Read More