ધ્રાંગધ્રામા મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રામા મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદ-ઉલ-અઝા એટલે બકરા ઈદની નમાઝ અદા કરી ઇદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને હર્ષ ઉલ્લાસ સાથે એકબીજા ને ઈદની મુબારકબાદી પાઠવી ઈદની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારત દેશ મા આજે ઈદ-ઉલ-અઝા એટલે બકરા ઈદ ઉજવ્વામા આવી રહ્યી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા શહેરના ઇદગા ગ્રાઉંન્ડ ખાતે સમગ્ર ધ્રાંગધ્રા તાલુકા મુસ્લીમ બિરાદરો દ્વારા ઇદ ની નમાઝ અદા કરી હતી આ સાથે એક બીજા ગળે મળી ઈદ ઉલ અઝા એટલે બકરા ઈદની મુબારક બાદી આપી હતી સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્રારા કરવામા આવ્યુ હતુ બહોળી સંખ્યા માં માણસો દ્વારા નમાઝ અદા કરી હતી આ સાથે ધ્રાંગધ્રા પોલીસ અધિકાર દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોલાના દ્વારા ઈદના પ્રવિત્ર દિવસે દેશની સહાદત અને કુરબાની ની યાદ સાથે શાંતિનો સંદેશ પાળવામાં આવ્યો હતો

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment