હિન્દ ન્યુઝ, ભાવનગર
પવિત્ર અમરનાથ યાત્રાધામ આભ ફાટવાની દુર્ઘટના સંદર્ભે ભાવનગર શહેર અને જિલ્લાનાં યાત્રીઓ સંબંધિત માહિતી હેતુ ભાવનગર જિલ્લા ટ્રાવેલ એજન્સી એસોસિએશનનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ પાસેથી નીચે મુજબ માહિતી પ્રાપ્ત થયેલ છે.
ભાવનગરથી કુલ – ૯ બસ ગઈ છે. જે પૈકી કુલ – ૬ બસ હાલ પહેલગામ ખાતે છે, ૬ બસનાં કુલ મળીને – ૨૬૦-૨૬૫ યાત્રીઓ/ટ્રાવેલ સ્ટાફ મેમ્બર છે તમામ સલામત અને સ્વસ્થ છે, અને સંપર્કમાં છે એજન્સીઓ વતી એમની સાથે રહેલ હિરેનભાઈ નામનાં વ્યક્તિએ આ માહિતી આપેલ છે આજ ઈદ હોય આવતીકાલ તેઓ ભાવનગર પરત ફરવા માટે નીકળશે. અન્ય ત્રણ બસને હાલ અમૃતસર ખાતે હોલ્ડ કરી દેવામાં આવેલ છે, જેમાં કુલ મળીને – ૧૮૦ જેટલા લોકો છે. આ તમામ પણ સલામત છે, આ માહિતી પણ યાત્રીઓ સાથે રહેલ એજન્સીના પ્રમુખ રાજેન્દ્રસિંહ એ આપેલ છે. કોઈનો નેટવર્કનાં હિસાબે સંપર્ક ન થાય તો પણ ચિંતા ન કરવા જણાવેલ છે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી