મૂકબધિર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા ત્રીજી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઈડ) તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શહેરની મૂકબધિર શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૧૯૦ બહેનો માટે ત્રીજી આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઈડ) તાલીમ યોજાઈ હતી.

હરેશભાઈ ભટ્ટ, કમલેશભાઈ વેગડ તથા કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફસ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ વગેરેની આપત્તિ નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા આપવામાં આવી હતી.

જેનું સ્થાનિક શિક્ષકોએ મૂકબધિર લીપીમાં રૂપાંતર પણ કર્યું હતું.

આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્ય શૈલેષભાઈ દવેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment