બોટાદ જિલ્લામાં ધો-૧૦ નું ૬૭.૬૧ ટકા પરિણામ

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોરડ, ગાંધીનગર દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા માર્ચ-૨૦૨૨ માં લેવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લામાં ધો-૧૦ મા ૯૦૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં જે પૈકી કુલ-૬૧૨૯ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયાં હોવાથી બોટાદ જિલ્લાનું માર્ચ-૨૦૨૨ નું ધો-૧૦ નું પરિણામ ૬૭.૬૧ ટકા આવ્યું છે. તેવી જ રીતે ધો-૧૨ (સામાન્ય પ્રવાહ) માં કુલ-૩, ૭૫૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં જે પૈકી કુલ-૩,૫૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતિર્ણ થયાં છે. આમ, બોટાદ જિલ્લાનું માર્ચ-૨૦૨૨ નું ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૩.૮૭ ટકા આવ્યું…

Read More

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા નો જામ ખંભાળીયા શહેર મા રાજનૈતિક પ્રવાસ યોજાયો

હિન્દ ન્યુઝ, ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સાહેબ ના આજનાં રાજનૈતિક પ્રવાસ અનુસંધાને આજરોજ જામ ખંભાળિયા શહેર ભાજપ સંગઠન ટીમ અને મોરચા ના પ્રમુખ અને મહામંત્રી અને નગરપાલીકા ના સર્વે સદસ્યો સાથે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શલેશભાઈ કણજારિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઇ કણજારીયા અને નગરપાલિકાનાં સર્વે સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રધામંત્રી આવાસ યોજના ના લાભાર્થી નાઘર ની અને અનું.સમાજ ના અગ્રણી જયશ્રીબેન ધોરીયા ના ઘર ની…

Read More

રાધનપુર નવ નિર્માણ વિદ્યા મંદિર નું ધોરણ ૧૨ નુ પરીણામ ૧૦૦% તો ધોરણ ૧૦ રાધનપુર કેન્દ્ર માં પ્રથમ નંબરે

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર માં મસાલી રોડ પર આવેલ નવ નિર્માણ સ્કૂલ નુ પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો, ધોરણ ૧૨ એચ.એસ.સી નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે, ત્યારે ધોરણ ૧૦ એસ.એસ.સી નું પરિણામ રાધનપુર શહેર નું કેન્દ્ર માં પ્રથમ ક્રમે આવ્યું છે. નવ નિર્માણ હાઇસ્કુલ માં શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ની સારી એવી મહેનત રંગ લાવી છે,નવ નિર્માણ સ્કૂલ મા અભ્યાસ કરતી ૧) પટેલ ક્રિષ્ના બેન પ્રથમ નંબરે – ૯૯.૯૦ ૨) ડોડીયા બીજા ક્રમે – ૯૮.૯૦ ૩) પ્રજાપતિ રિચા ૯૭.૨૫ આ સિવાય શાળા પરિવાર…

Read More

બરવાળા તાલુકામાં “નવી દિશા, નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત સેમિનાર સંપન્ન

હિન્દ ન્યૂઝ, બોટાદ બરવાળા તાલુકાના કારકિર્દી ઘડતર ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી “નવી દિશા, નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદીએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમમાં વિષય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ. શાહ તેમજ આઈ.ટી.આઈ બરવાળાના આચાર્ય વિજયકુમાર પારેખ દ્વારા કારકિર્દીની તકો વિશે માહિતી રજુ કરી હતી. શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક સંઘાણીએ ઈજનેરી કોલેજમાં પ્રાપ્ય અભ્યાસક્રમો અને પ્રવેશ પ્રક્રિયા વિષયક માહિતી આપી હતી. આ સેમિનારમાં…

Read More

બોટાદ જિલ્લામાં ૮ જૂનના રોજ ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન

 હિન્દન્યુઝ, બોટાદ આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને નાણાંકીય વિભાગ, ભારત સરકાર દ્વારા બોટાદ જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮ જૂનના સવારે ૧૧ કલાકે નાનજી દેશમુખ હોલ,બોટાદ નગરપાલિકામાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને કલેક્ટર બી.એ. શાહ ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે રાજકોટ ઝોનના બેંક ઓફ બરોડના મહાપ્રબંધક વિજયકુમાર બસેઠા ઉપસ્થિત રહેશે. આઝાદીનો અમૃત મહોત્સવએ ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું સૌથી મહત્વકાંક્ષી અને પ્રતિષ્ઠિત અભિયાન છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર…

Read More

ભાવનગર જિલ્લામાં આવેલ પ્રવાસન પ્રોજેકટોની સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે પ્રવાસન વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ તથા ૨૦૧૮-૧૯ હેઠળનાં સમાવિષ્ટ જિલ્લાના કામોની પ્રગતિ તથા પ્રેઝન્ટેશન તેમજ ફાળવવામાં આવેલ ગ્રાંન્ટની સમીક્ષા અંગેની બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લામાં ચાલી રહેલ પ્રવાસનના પ્રોજેક્ટ્સ, તળાજા તાલુકાના મોટા ગોપનાથ મહંત જગ્યા ટ્રસ્ટ, ગોપનાથ ખાતે મંજુર થયેલ કામની અવધિ લંબાવવા અને પ્રોજેકટની બાકીની ગ્રાન્ટની માંગણી બાબતે તથા દેવદત્ત પંડ્યા એન્ડ એસોસીએશન દ્વારા રજૂ થયેલ ડી.ટી.પી. મંજૂર કરવાં બાબતે, તળાજા તાલુકાના ગોપનાથ બીચ વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટમાંથી બચત રહેલ ગ્રાન્ટ…

Read More

‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગતનો તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ જેસરના શ્રી બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જેસર તાલુકાના ધોરણઃ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના મહત્વપૂર્ણ નિર્ણય માટે અત્યંત ઉપયોગી એવો ‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગતનો તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર જેસરના શ્રી બ.ગો. મહેતા વિદ્યાલય ખાતે યોજાયો ‌હતો. ગારિયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. ધારાસભ્યએ આ અવસરે જણાવ્યું કે, જીવનમાં જેટલું મહત્વ અભ્યાસનું છે તેટલું જ મહત્વ આ શિક્ષણ મેળવ્યાં બાદ સાચી કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે. આવાં કાર્યક્રમો…

Read More

ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં MLA ગ્રાન્ટમાં થી ફાળવેલ મેડિકલ મશીનરીનું આઈ કે જાડેજા અને ધારાસભ્ય સાબરીયા ના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા કોરોના એ વિશ્વ સાથે ભારત દેશની પણ કમર તોડી નાખી હતી પણ સમસ્યા નો સામનો કરવાનાં હકારાત્મક અભિગમ સાથે મોદી સરકારે અનેક કાર્યો હાથે લીધા જેમાં આરોગ્ય ક્ષેત્રે પડતી મુશ્કેલી થી લઇ ને રસીકરણ કાર્યક્રમ ને ભારે પ્રસંશા મળી હતી. રાજ્ય સરકારે જુદા જુદા જિલ્લા અને તાલુકાઓ માં ઓક્સિજન પ્લાન્ટ સહીત અન્ય જરૂરી ખૂટતા સાધનો માટે ધારાસભ્ય ગ્રાન્ટ વાપરવા માટે ખાસ ધ્યાન આપ્યું હતું. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ માં આજ રોજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા ના વરદ હસ્તે મેડિકલ ઇકવીપમેન્ટ નું લોકાર્પણ…

Read More

સમસ્થ સિંધી સમાજ દ્વારા આયોજિત ફ્રી થેલેસેમિયા કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ ખાતે સમસ્થ સિંધી સમાજ દ્વારા આયોજિત ફ્રી થેલેસેમિયા કેમ્પમાં ઉપસ્થિત આ તકે પુનિતભાઈ શર્મા પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પુજ્ય ઈન્દ્રભારતી બાપું તથા આગેવાનો, ઉપસ્થિત રહેલ આયોજક મિત્રોને સિંધી સમાજ તરફથી અભિનંદન પાઠવેલ તથા કેમ્પ માં ઉપસ્થિત તમામ મહાનુભાવો એ લાભાર્થીઓની મુલાકાત કરેલ તેમજ બધા જ વ્યક્તિ કેમ્પ માં થેલેસેમિયા નો રિપોર્ટ કરાવે એવો અનુરોધ કર્યો. રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Read More

‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગતનો તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ મહુવાની પારેખ કોલેજ ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહુવા તાલુકાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના મહત્વપૂર્ણ નિર્ણય માટે અત્યંત ઉપયોગી એવો ‘નવી દિશા-નવું ફલક’ અંતર્ગતનો તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર મહુવાની પારેખ કોલેજના સેમિનાર હોલમાં યોજાયો‌હતો. ગઈકાલે યોજાયેલો આ કાર્યક્રમ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી ભાવનગર આયોજિત હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઈ હતી. મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનો, અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, એસ.વી.એસ કન્વીનર વગેરેનું પુષ્પગુચ્છ થી સ્વાગત થયાં બાદ ભાવનગર…

Read More