બરવાળા તાલુકામાં “નવી દિશા, નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત સેમિનાર સંપન્ન

હિન્દ ન્યૂઝ, બોટાદ

બરવાળા તાલુકાના કારકિર્દી ઘડતર ઈચ્છુક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી “નવી દિશા, નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદીએ કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમમાં વિષય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ. શાહ તેમજ આઈ.ટી.આઈ બરવાળાના આચાર્ય વિજયકુમાર પારેખ દ્વારા કારકિર્દીની તકો વિશે માહિતી રજુ કરી હતી. શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજના પ્રાધ્યાપક સંઘાણીએ ઈજનેરી કોલેજમાં પ્રાપ્ય અભ્યાસક્રમો અને પ્રવેશ પ્રક્રિયા વિષયક માહિતી આપી હતી. આ સેમિનારમાં નિરીક્ષક સાગરભાઈ પંડયા, કરિયર કાઉન્સેલર વિજયભાઈ નંદાણી તેમજ કામીનીબેન ત્રિવેદી સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને માર્ગદર્શનની વિગતોનો સમાવેશ કરતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment