હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ગ્રામ પંચાયત માં પંચાયત ના સભ્ય ને દિયોદર માર્કેટ યાર્ડ સમિતિ માં ડિરેક્ટર તરીકે ઠરાવ કરવા અંગે બેઠક યોજાઇ હતી. જેમાં દિયોદર ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ની દિયોદર માર્કેટ સમિતિ માં ડિરેક્ટર તરીકે નો ઠરાવ સર્વાનુમતે પસાર થતા ઉપસ્થિત સૌએ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર ; પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર
Read MoreMonth: October 2020
ડભોઇ શિનોર ચોકડી પાસે એસ.ટી બસમાં શોર્ટ સર્કિટ થતા એકાએક આગ ભભૂકી ઉઠી
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ શિનોર ચોકડી થી નજીક વિમલ સોસાયટી પાસે માલસર થી ડભોઈ તરફ આવતી એક એસટી બસમાં એકા એક આગ ભડકી ઉઠી હતી .ડભોઇ શિનોર ચોકડી નજીક બસ આવતા ડ્રાઈવર ની કેબીનમાં કાંઈક ટેક્નિકલ ખામી સર્જાતા કેબિનમાંથી એકાએક ધુમાડા નીકળવાનું શરૂ થતાની સાથે જ આગે રોદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું .આજ બસમાં ૧૮ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને બસમાં આગ લાગી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. પરંતુ બસચાલકે પોતાની સૂઝબૂઝથી ઝડપભેર પેસેન્જરોને આગની જાણકરી તેઓને ઝડપભેર બસથી નીચે ઉતારી દીધા…
Read Moreકચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના રોજ મતદાન
હિન્દ ન્યૂઝ, કચ્છ કચ્છ જિલ્લાના અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૨૯/૦૯/૨૦૨૦ થી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી ચાલશે. વિધાનસભા પેટા ચુંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચ તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત આ ચુંટણીમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બિનઅધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઇ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. આથી મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા,…
Read Moreઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપની ના રાજ માં અંબાજી ધામ બન્યું ગંદકી ધામ
હિન્દ ન્યુઝ, અંબાજી યાત્રાધામ અંબાજી ની ગણના ગુજરાતમાં જ નહિ પણ વિશ્વના શક્તિપીઠ તરીકે થાય છે, ત્યારે આ ધામમાં લાખો માઇભક્તો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. આ ધામ સાથે લાખો માઇ ભક્તોની આસ્થા પણ સંકળાયેલી છે, ત્યારે આ ધામને સ્વચ્છ રાખવા યાત્રાધામ દ્વારા વર્ષે કરોડો રૂપિયા સફાઈ કંપનીને આપવામાં આવે છે. તેમ છતાં અંબાજી ધામ એ ગંદકી ધામ બનીને રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગંદગી ની સમસ્યા ઠેર ની ઠેર છે. વાત કરવામાં આવે અંબાજી મંદિર પાછળ આવેલ માનસરોવર કે જ્યાં ચોલકિયા પણ કરવામાં…
Read Moreદેવગઢ બારીયાના ભથવાડા ટોલનાકા પરથી રૂ. 24.45 લાખનો અફીણનો જથ્થો ઝડપાયો
હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા દાહોદ એસ.ઓ.જી. તથા દેવગઢ બારીયા પોલીસ ગત રાતે દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ ટેક્ષ નાકા પરથી મારુતિ સ્વિફ્ટ ગાડી માંથી પાસ પરમીટ વગરનો રૂપિયા 24,45,300 ની કિંમત નો અફીણ નો જથ્થો જડપી પડી ગાડી મા બેઠેલા ત્રણ જાણ પૈકી બે રાજસ્થાની ઈસમો ની અટક કરી એક મોબાઈલ તથા ત્રણ લાખની કિંમતની મારુતિ સ્વિફ્ટ ગાડી મરી કુલ રૂ. 27,60,300 નો મુદ્દમાલ કબજે લઇ ત્રણ રાજસ્થાની ઈસમો વિરૂદ્ધ નાર્કોટિક્સ નો ગુનો નોંધી આરોપીઓને કોરોના અંગે નો ટેસ્ટ કરાવી રિપોર્ટ આવી એ થી આરોપીઓને અટક કરવાની તજવીજ હાથ ધરી…
Read Moreકોસંબા હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અકસ્માત, સિલિન્ડર ફૂટતા લાગી આગ
હિન્દ ન્યૂઝ, કોસંબા કોસંબા નજીક નંદાવ ગામની હદમાં હાઇવે પરથી પસાર થતી ગેસ ના બાટલા ભરેલી એક ટ્રક ચાલક એ સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ટ્રક નો અકસ્માત થયો હતો. ત્યાર બાદ ટ્રક માં અચાનક આગ ફાટી નીકળતાં ટ્રક માં ગેસ ના બાટલા હતા. જે ધાણીની જેમ ફૂટતા ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાય રહ્યા હતા. આસપાસ ના વિસ્તારમાં ગભરાટ સાથે નાસભાગ નો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે પર બન્ને તરફનો વાહન વ્યવહાર પોલીસ દ્વારા રોકવામાં આવેલ જેને લઈને વાહનનો ની લાંબી લાઇન (કતાર) લગતા ટ્રાફિકજામ થઈ…
Read Moreમોડાસા ખાતે કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર સહિત અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા
હિન્દ ન્યૂઝ, મોડાસા લોહપુરુષ સ્વ. શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે મોડાસા કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે તથા અધિક કલેકટર આર.જે.વલવી ની અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા. જેમા રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં. જેમાં અધિક નિવાસી અધિક કલેકટર આર.જે. વલવી સહિત અધિકારીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રિપોર્ટર : મુન્ના ખાન…
Read Moreગીરનાર રોપ વે ની ટીકીટ ના દર ધટાડવા તેમજ આવનાર પ્રવાસીઓ માટે ગીરનાર ની ટોચ ઉપર જમવા રહેવાની સુવિધા ઓ આપવા ઉષાબેન કુસકીયા ની માંગણી
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૦ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં લાખો શ્રદ્ધાળુઓ ની આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન મા અંબાના દર્શન નો લ્હાવો દરેક ને મળી રહે તે માટે માં અંબાની કૃપા દ્રષ્ટિ સાથે લોકો નુ સપનુ સાકાર થઇ આવેલ છે અને સોરઠ ની જનતાનું વર્ષો જુનું સપનું સાકાર થઇ આવેલ છે. ત્યારે આ સંબંધે જે ટિકિટ નો દર રાખવામાં આવેલ છે જે ખૂબજ વધારે હોય છે. લાખો પ્રવાસીઓ ના…
Read Moreરાજકોટ શહેર કલેકટર કચેરી ખાતે રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પિયન કમિટી ની મિટિંગ મળી હતી
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પિયન કમિટી ની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કલેકટરએ વીરનગર શિવાનંદ મિશન, વડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની રાજકોટ જીલ્લાની જે સંસ્થાઓ વ્યસન મુક્તિના સામાજિક સેવાના કાર્યમાં કામ કરે છે. તેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી વ્યસન મુક્ત રાજકોટ જીલ્લો બને તે માટે કામગીરીનું આયોજન કરવા માટે જરૂરી સૂચનો જાણ્યા હતા. વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ટીમ વર્કથી બધા જ ડિપાર્ટમેન્ટ પોતાનું યોગદાન આપે અને નક્કર કામગીરી થાય તે માટે આગામી મીટીંગ…
Read Moreગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી અને સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલ નુ નિધન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લાંબા આયુષ્ય સાથે 92 વર્ષની ઉમરે થયુ અવસાન….. સોમનાથ ટ્રસ્ટ મા અનેક વિકાસના કામોને આપતા હતા વેગ …. પટેલ સમાજના કદાવર નેતા ના અવસાન થી મોટી ખોટ …. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read More