થરાદ તાલુકાના મહાજન પુરા ગામમાં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું…

થરાદ, થરાદ તાલુકાના મહાજનપુરા ગામ માં ધી દુધ મંડળી તરફ થી દુધ મંડળી ના ગ્રાહકો ને વૃક્ષો નું વીતરણ કરવામાં આવ્યું.. મહાજનપુરા ની ધી દુધ મંડળીના મંત્રી પ્રવીણભાઈ આસલ ના હસ્તે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાજન પુરા ના ગામ જનો પણ હાજર રહ્યા હતાં. અતુલભાઈ ધુમડા, મસાભાઈ ધુમડા અને વસરામભાઇ જોષી, માજીરાણા કનુ ભાઈ, ધુમડા રામજીભાઈ હાજર રહી સોસિયલ ડિસ્ટન્સ જાળવી ને વૃક્ષો નું વીતરણ કરવામાં આવ્યું હતું.. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

રાજકોટ શહેરમાં C.Mના કાફલામાં પ્રોટોકોલ તોડી રજૂઆત કરવા દોડેલા પેટ્રોલપંપના સંચાલકની અટકાયત

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાફલો એરપોર્ટથી સીધો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ એક નાગરિક મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે. તેમ કહીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડયા હતા. જોકે મુખ્યમંત્રી સુધી પહોંચે એ પહેલાં જ ક્રાઇમબ્રાંચના P.I વી.કે.ગઢવી, P.S.I એસ.વી.સાખરા સહિતના સ્ટાફે તેને અટકાયતમાં લઇ લીધા હતા. પોલીસે અકાયતમાં લેવાયેલા નાગરિકની પૂછપરછ કરતા તેનું નામ અમિત જયંતીભાઇ માકડીયા મૂળ, ભાયાવદર, હાલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ. હોવાનું જણાવ્યું હતું. અમીત માકડીયા વાંકનેરના મકનસર નજીક પેટ્રોલપંપ ધરાવે છે.…

Read More

રાજ્ય સરકારે રાજ્યના 33 જિલ્લાઓમાં પણ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ જાહેર કર્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ ધ્વજવંદન કરશે. ધારાસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા ખાતે અને કેબીનેટ મંત્રીઓને જીલ્લા ફાળવાયા છે. રાજકોટમાં પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, જામનગરમાં આર.સી.ફળદુ, અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદમાં કૌશિકભાઈ પટેલ, બોટાદમાં સૌરભભાઈ પટેલ, સુરતમાં ગણપતભાઈ વસાવા, પાટણમાં દિલીપકુમાર ઠાકોર, તાપીમાં ઈશ્ર્વરભાઈ ચાવડા, સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઈ બાવળીયા અને જુનાગઢમાં જવાહરભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાશે. આ મુજબ રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ ગાંધીનગરમાં થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વજવંદન કરશે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ…

Read More

રાજકોટ શહેર થી નાથદ્વારા, નારાયણ સરોવર અને કૃષ્ણનગર ની બસ સ્થગિત કરાઈ

રાજકોટ, રાજકોટ શહેર કોરોના મહામારીના કારણે ખાલીખમ બસો દોડી રહી હોવાથી જે રૂટ પર ટ્રાફિક નથી. તેવા રૂટની એસ.ટી બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જેમાં રાજકોટથી નાથદ્વારા, નારાયણ સરોવર અને કૃષ્ણનગર ની બસ સ્થગિત કરાઈ છે. તેમજ બે લોકલ બસ પણ સ્થગિત કરવામાં આવી છે. અને ૩ લોકલ રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. કોરોનાની અસર એસ.ટીમાં દેખાઈ રહી છે. અને બસો ટ્રાફિક નહીં મળતા ખાલીખમ દોડી રહી હોવાથી રાજકોટ ડીવીઝન દ્વારા રાજકોટ થી ૧:૦૦ કલાકની નાથદ્વારા, ૮ કલાકની નારાયણ સરોવર, ૧૪:૪૫ કલાકની કૃષ્ણનગર, ૭:૧૦ અને ૧૩:૦૦ કલાકની જીવાપર,…

Read More

રાજકોટ શહેર મેડીકલ સ્ટોરમાં નોકરી અને કમ્પાઉન્ડના અનુભવથી ૨ વર્ષથી કલીનીક ચલાવતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી

રાજકોટ, રાજકોટ શહેર રેલનગર માં છત્રપતી શિવાજી ટાઉનશીપ નજીક શૈલેષ વૃજલલ સુચક (ઉ.46) નામનો શખ્સ સ્નેહી ક્લિનિકનું બોર્ડ મારીને દર્દીઓની સારવાર કરતો હોવાની ક્રાઇમ બ્રાંચના અમિત અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને માહિતી મળી હતી. P.I વી.કે.ગઢવીએ આ અંગે P.S.I પી.એમ.ધાખડાને તપાસ સોંપી હતી. P.S.I ધાખડા, મદદનીશ મયુરભાઇ પટેલ સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે દરોડા પાડ્યો હતો. ક્લિનિકમાં હાજર અને પોતાની ઓળખ ડોક્ટર શૈલેષ સુચક તરીકે આપનાર શખ્સ પાસેથી ડીગ્રી જોવા માંગતા તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. વિશેષ પૂછપરછ કરતા બોગસ તબીબે એવી કબૂલાત આપી હતી કે પોતે મૂળ…

Read More

રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મનાક કરતી ઘટના. ઘરે સગીર વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયા ટેલીફોન એક્ષેંજ પાસે રાજમણિ કોમ્પલેક્ષમાં અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયાની સગીરા પર બળાત્કારના ગુનામાં યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. શિક્ષકે સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો છે. કોરોના રિપોર્ટ બાદ પૂછપરછ હાથ ધરાશે. પુરુષ વગરનું ઘર હોય માતા નોકરી પર હતી, ત્યારે શિક્ષકે ઘરમાં ઘૂસીને વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દિયોદર તાલુકા ના જસાલી રેલવે ફાટક પર ટ્રેકટર ચડી ગયું જાન હાની ટળી

દિયોદર, દિયોદર તાલુકા ના જસાલી રેલવે સ્ટેશન પાસે આજે વહેલી સવારે એક ટ્રેકટર ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા ટ્રેકટર રેલવે ટ્રક પર ચડી ગયું હતું  જેમાં એક મોટી જાન હાની ટળી હતી. આજે દિયોદર ના જસાલી રેલ્વે સ્ટેશન પર એક ટ્રેકટર ટોલી માં રેતી ભરી ત્યાં થી પ્રસાર થઈ રહું હતું. જેમાં ટ્રેકટર ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા ટ્રેકટર ફાટક પર ચડી ગયું હતું. જો કે આ સમય કોઈ ટ્રેન પસાર ના થતા મોટી જાન હાની ટળી ગઈ હતી. બાબતે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેકટર ને હટાવવામાં આવ્યું હતું.…

Read More

ગઢડા તાલુકા ના ઢસા જંકશન માં હાલ કોઈ કોરોના ના કેસ નથી તેની ખાસ નોંધ લેવી

ગઢડા, ઢસા તેમજ નારાયણ નગર પંચાયત નીચે આવેલ તમામ વિસ્તાર માં કોઈપણ જાત ના કોરોના પોઝિટિવ કેસ હાલ માં નથી તો તમામ ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકોએ ગભરાવું નહિ પણ જયારે બહાર આવો અથવા ખરીદી માં આવો ત્યારે પોતાની સલામતી માટે સરકાર ની ગાઇડ લાઈન મુજબ આવું માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું જેની બધા એ ધ્યાન રાખવું ઢસા સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ પંચાયત સ્ટાફ તેમજ ઢસા પી.એચ.સી ડો. ભાવેશભાઈ તેમજ પી.એચ.સી સ્ટાફ ઢસા પોલીસ પી.આઈ. ચૌધરી ભાઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નારાયણ નગર ને લાગુ પડતું ચાવંડ…

Read More

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતની ધારસિમેલ બેઠકના મહિલા સભ્યનો પુત્ર નર્મદા મેઈન કેંનાલમાં ડૂબ્યો

છોટાઉદેપુર, નસવાડી તાલુકા પંચાયતના ધારસિમેલ બેઠકના સભ્યનો પુત્ર કાલે ખેતરમાં કામ કરી નાહવા અને કપડાં ધોવા માટે બરોલી પાસેની નર્મદા મેઈન કેનાલ ગયો હતો અચાનક કેનાલની આર.સી.સી લાઈનિંગ પરથી પગ લપસી જતા ડૂબી ગયો હતો. જેની લાશ શોધખોળ કરતા ભારે જહેમત બાદ મળી આવી હતી. લાશ મળતા આદિવાસી સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ. નર્મદા કેનાલમાંથી લાશ બાહર કાઢીને નસવાડી સામૂહિક આરોગ્ય ખાતે પી.એમ.માટે મોકલવામાં આવી. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Read More

જામનગર ખાતે 28-07-2020 ને મંગળવારના રોજ સંસ્થાના શિશુગૃહ ના બે બાળકોને દત્તક વિધાન નો કાર્યક્રમ યોજાયો

જામનગર,                જામનગર દ્વારા 28-07-2020 ને મંગળવારના રોજ સંસ્થાના શિશુગૃહ ના બે બાળકોને દત્તક વિધાન નો કાર્યક્રમ જામનગર ના લોકલાડીલા ધારાસભ્ય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ને ખાસ ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગાઇડલાઇન પ્રમાણે સામાજિક અંતર જાળવી ને યોજાયો હતો.           છેલ્લા ત્રણ વર્ષથી બાળ અને મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા શિશુગૃહ ના બે જોડિયા ભાઈ-બહેન, ભરત-ભારતીનો દત્તક વિધાન દિલ્હી સ્થિત અમિત શ્રીવાસ્તવ તથા શ્રીમતી અર્ચના શર્માના પરિવારમાં આપવાના વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત સંસ્થાના…

Read More