રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મનાક કરતી ઘટના. ઘરે સગીર વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયા ટેલીફોન એક્ષેંજ પાસે રાજમણિ કોમ્પલેક્ષમાં અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયાની સગીરા પર બળાત્કારના ગુનામાં યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. શિક્ષકે સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો છે. કોરોના રિપોર્ટ બાદ પૂછપરછ હાથ ધરાશે. પુરુષ વગરનું ઘર હોય માતા નોકરી પર હતી, ત્યારે શિક્ષકે ઘરમાં ઘૂસીને વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment