ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના રોજગારવાચ્છું માટે ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરનું તા.30/11/2023ના રોજ સવારે 10.30 કલાકે, ગવર્મેટ સાયન્સ કોલેજ, હૂડકો સોસાયટી, જૂની ટેકનિકલ સ્કૂલની બાજુમાં, વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
જેમાં મહાવીર એન્ટરપ્રાઇઝ- રાજકોટ, જય માતાજી એન્ટરપ્રાઇઝ ( મારુતિ-સુઝુકી) બહુચરાજી અને બજાજ એલિયાન્ઝ- વેરાવળ ભાગ લેવાની છે. જે અંતર્ગત ધો. 10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા, 18 થી 35 વર્ષની ઉમર ધરાવતા ( શારીરિક રીતે સશક્ત ) ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. તેવું જિલ્લા રોજગાર અધિકારીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.