હિન્દ ન્યુઝ, માંગરોળ (બનાસકાંઠા)
બનાસકાંઠાનું માંગરોળ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ આઈ સેણલ ધામ (માંગરોળ)
જે બનાસકાંઠાના થરાદ થી માત્ર 12 કિમીના અંતરે આવેલ સેણલ ધામ 700 વર્ષ પૌરાણિક સુપ્રસિદ્ધ યાત્રાધામ.
કથા અનુસાર ચારણ આઈ સેણબાઈ જ્યારે હિમાલેહાડ ગાળવા પગપાળા નીકળ્યા ત્યારે આ ગામમાં માંગરોળમાં રાત્રે રોકાણ કર્યું હતું. સમગ્ર દેશમાંથી ભક્તો માતાજીના દર્શનાથે આવતા હોય છે. ખાસ કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવતા માટેે અજવાળી તેરસ, ચૌદસ અને પૂનમ નાં દિવસોમાં બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, દિન દુખિયારાઓ આવતા હોય છે.
રિપોર્ટર : પ્રવીણ જોષી, ભરડવા