ખેડૂતોને સૌર ઊર્જા સંચાલિત સિંચાઇ પમ્પ સેટસ લગાવ્યાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા પંપ સેટસને ગ્રીડ સાથે જોડવા માટેની યોજનાનો લાભ લેવા બોટાદના PGVCL ના અધિક્ષક ઇજનેરનો જાહેર અનુરોધ

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં સૌર ઊર્જા સંચાલીત સિંચાઇ પમ્પ સેટસ લગાવ્યાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા પંપ સેટસને વીજ લાઈન, ટ્રાન્સફોર્મર અને રીમોટ મોનીટરીંગ સીસ્ટમ સાથે નેટવર્ક ઉભું કરી ગ્રીડ સાથે જોડવા અંગેની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે પીજીવીસીએલ વર્તુળ કચેરી બોટાદ દ્વારા જુદા જુદા ગામોમાં કેમ્પના આયોજન કરવામાં આવેલ.આ કેમ્પ માં દરેક ખેડૂતોને યોજના અંગેની જરૂરી માહિતી આપવામાં આવેલ. જે ખેડૂત હયાત ઓફ-ગ્રીડ સોલાર પંપને ગ્રીડ સાથે જોડાણ કરવા માંગતા હોય તેને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.…

Read More

ગુજરાતના વનબંધુના જીવનમાં શિક્ષણનો ઉજાસ

હિન્દ ન્યુઝ, બોટાદ દેશની વસ્તીના આઠ ટકા જેટલી વસ્‍તી આદિવાસી વિસ્તારમાં રહે છે. માનવતાનો પાયો ગણી શકાય તેવા આદિવાસીઓ પાસેથી સાદગી, સંકટો સાથે જીવનમાં તાલમેલ કેવી રીતે જાળવી શકાય તે શિખી શકાય છે. આદિવાસીઓ ઉત્‍સવપ્રિય છે, મેળાઓ તહેવારો, ધનધાન્‍ય- પાકની પૂજા અને ઉજાણી એ એમની આગવી ઓળખ છે. ધરતીમાતાનું પૂજન ખેડ કરતી વખતે હળ બળદનું પૂજન, ઉગતા સૂર્યનું પ્રકૃતિ- પર્યાવરણનું જતન સાથે સાથે ધન ધાન્‍યનું પૂજન, કણ કણની સાચવણી ખળામાંથી પકવેલું અનાજ કોઠારમાં ભરતી વખતે પુરા ભાવ સાથે શ્રીફળ અગરબત્તી કરીને દેવી-દેવતાને નમન કરીને શ્રીગણેશ કરીને જ ભરે છે. અતિથિ…

Read More

ગારીયાધાર તાલુકાનાં ટીંબા ગામમાં લંપી વાઈરસનો કહેર જોવા મળ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર  સમગ્ર ગુજરાત માં જ્યારે લમ્પી વાઈરસે ભરડો લીધો છે ત્યારે ગારીયાધાર તાલુકાનાં ટીંબા ગામમાં લંપી વાઈરસનો કહેર જોવા મળ્યો હતો . જેમાં અમુક ગાયો મૃત્યુ થયા છે જેથી સમગ્ર માલધારી સમાજમાં સંકટનાં વાદળો ઘેરાણા છે .ભાવનગર જીલ્લામાં લંપી સ્કીન- ચામડીનો રોગ પશુઓમાં ઝડપથી વધી રહ્યો , તો આ રોગને નાથવા માટે પશુપાલન વિભાગનાં ડોક્ટરો પુરી મહેનત કરી રહી છે . * લંપી-સ્કીન, ગાઠદાર રોગ કેવી રીતે થાય છે ? લંપી સ્કીન – ગાંઠદાર ચામડીનો રોગ દૂધાળા પશુઓમાં કેપ્રી પોક્સ નામના વાઇરસથી થતો ચેપી રોગ છે. આ રોગ…

Read More

બોટાદમાં “હર ઘર તિરંગા”અભિયાનનાં આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ  દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનનાં સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે “હર ઘર તિરંગા” અભિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વ્યક્ત કરવાનો તેમજ બાળકોથી લઈને વયસ્કો સુધીના લોકોને આ ઉજવણીમાં સામેલ કરવાનો અવસર છે ત્યારે તેને અનુરૂપ જિલ્લામાં ઉજવણી થાય અને જિલ્લાના તમામ…

Read More

બોટાદ જિલ્લામાં પશુઓમાં ફેલાયેલાં લમ્પી વાયરસને નાથવા તંત્ર સુસજ્જ

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યભરમાં લમ્પી સ્કીન ડિસિઝને લઇને પશુપાલન વિભાગ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાના માર્ગદર્શન હેઠળ બોટાદ પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી પશુપાલન વિભાગની ૧૨ જેટલી ટીમો દ્વારા જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રસાર અટકાવવા માટે રસીકરણની ઝુંબેશ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના ખમીદાણા અને પોલારપુર ગામમાં પશુઓને…

Read More

મહિલા કર્મયોગીઓ સમગ્ર જાણકારી મેળવો અને સમસ્યાનો નિડરતાથી સામનો કરો : જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બોટાદમાં સક્ષમ નારી, સશક્ત ગુજરાતના શુભ આશય સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા કર્મયોગીઓ માટે કામકાજના સ્થળ પર થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે,…

Read More

તા.૧૩ મી ઓગષ્ટે બોટાદ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ તાલુકાકક્ષાની અદાલતોમાં “નેશનલ લોક અદાલત” યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે , રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા ન્યાયાલય બોટાદ ખાતે તથા તાલુકાકક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં આગામી તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૦.૩૦ ક્લાકથી “રાષ્ટ્રીય લોક અદાલત” નું આયોજન કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાનપત્ર ફોજદારી કેસો, વાહન અકસ્માત વળતરના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ચેક રિટર્નના કેસો, ટ્રાફીક ચલણને લગતા ઇ-મેમોના કેસો,…

Read More

બોટાદમાં કલા મહાકુંભ સ્પર્ધાનું ભવ્ય આયોજન: કલારસિકો ૨૩ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદ દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૩ ઓગસ્ટ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૦ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા,…

Read More

સરકારની મહિલાલક્ષી અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લઇને આજે મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી શકી છે : ડૉ.શર્મિલાબેન પરાલિયા

નારી વંદન ઉત્સવ અન્વયે માહિલાલક્ષી સાફલયગાથાની શ્રેણી -૬ હિન્દ ન્યુઝ, બોટાદ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વિચારધારાને વરેલી સરકાર વંચિતો, શોષિતો, ગરીબો તેમજ છેવાડાના માનવીઓના કલ્યાણાર્થે સંવેદનશીલતા સાથે કાર્યરત છે. મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના અમલ થકી મહિલાઓ આજે ડૉક્ટર, એન્જિનયર, પાયલોટ બની છે તેની સાથોસાથ દેશના પ્રથમ વ્યક્તિ તરીકે હાલ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદીમુર્મૂ તેનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ અહીં વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના વિસ્તારના ધજાળા ગામના વતની અને છેલ્લા ૧૨ વર્ષથી બોટાદની બોટાદકર કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા ડૉ.શર્મિલાબેન પરાલિયાની. આમ જોવા જઇએ તો ડૉ.શર્મિલાબેન પરાલિયાએ…

Read More

રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ સાંતલપુર ખાતે આવેલ ખીમેશ્વર મહાદેવ ખાતે વિડેશ્વરી ગૌશાળા ની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાધનપુર લમ્પી વાયરસના કારણે ગૌવંશ મુત્યુ પામી રહી છે તેની ચીંતા કરી ગૌશાળા ની મુલાકાત લીધી સાથે સાથે પશુ પાલકો ને થતુ નુકસાન ને લઈ ને ચીન્તા વ્યક્ત કરી સરકાર સમક્ષ મુત્ય પામેલ પશુઓનું વળતર ચૂકવવા માગણી કરી હતી. તાત્કાલિક ધોરણે વધુ પશુના ડોક્ટરો મુકવા અને રસીકરણ વધારવા માંગણી કરતા રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ .06/08/2022 ના રોજ લંમપિ વાયરસ અંતર્ગત શ્રી વિડેશ્વર ગૌ શાળા, સાંતલપુરની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ. તેમજ પશુ ચિકિત્સક ડૉ. મહેશભાઈ ચૌધરી તથા સ્થાનિક આગેવાનો સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. જેમાં બાબુભાઈ…

Read More