રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એ સાંતલપુર ખાતે આવેલ ખીમેશ્વર મહાદેવ ખાતે વિડેશ્વરી ગૌશાળા ની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાધનપુર

લમ્પી વાયરસના કારણે ગૌવંશ મુત્યુ પામી રહી છે તેની ચીંતા કરી ગૌશાળા ની મુલાકાત લીધી સાથે સાથે પશુ પાલકો ને થતુ નુકસાન ને લઈ ને ચીન્તા વ્યક્ત કરી સરકાર સમક્ષ મુત્ય પામેલ પશુઓનું વળતર ચૂકવવા માગણી કરી હતી.

તાત્કાલિક ધોરણે વધુ પશુના ડોક્ટરો મુકવા અને રસીકરણ વધારવા માંગણી કરતા રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ .06/08/2022 ના રોજ લંમપિ વાયરસ અંતર્ગત શ્રી વિડેશ્વર ગૌ શાળા, સાંતલપુરની મુલાકાત કરતા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ. તેમજ પશુ ચિકિત્સક ડૉ. મહેશભાઈ ચૌધરી તથા સ્થાનિક આગેવાનો સાથે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. જેમાં બાબુભાઈ આહીર (કા.પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ) વિનોદભાઈ ઠકકર, હરદાસભાઈ આહીર, રમેશભાઈ ચૌધરી, વિજયભાઈ પરમાર, હમીરભાઇ આહીર, કલાભાઈ આહીર, ભચાભાઈ આહીર, અજાભાઇ આહીર, કાનાભાઈ આહીર, રણજીતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા .

રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment