આજરોજ જામ ખંભાળીયા રાજપૂત સમાજ દ્વારા શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાયી

હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા            આજરોજ શુરવીર પરાક્રમી સ્વાધીનતા નું પ્રતીક હિન્દુ ગૌરવ શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે જામ ખંભાળીયા રાજપુત સમાજ દ્વારા રાજપૂત સમાજ ખાતે નવા ચૂંટાયેલા ને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ભવ્ય શોભાયાત્રા ( બાઈક રેલી) યોજાયી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જામનગર ના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામ ખંભાળીયા ના હિન્દુ સમાજના તમામ લોકો એ સાથે જોડાયા હતા અને શોભાયાત્રા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ રાજપુત ભાઈઓ સાફા પહેરી ઉપસ્થિત…

Read More

વિશ્વશાંતિ માટે પાલિતાણાની શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સમગ્ર રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વશાંતિ માટે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ૧૦ વર્ષની બાલિકા સહિત ૯ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રમઝાન મહિના દરમિયાન રોઝા રાખી અલ્લાહની બંદગી કરી હતી. મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમઝાન માસનું ખૂબ જ મહત્વ હોય છે. આ મહિનાને મુશ્લિમ ધર્મમાં પાક અને પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ મહિના દરમિયાન સાચી શ્રધ્ધાથી બંદગી કરવામાં આવે તો રોજા રાખનારની ઇચ્છાને પયંગબર પૂરી કરે છે. પાલિતાણાની શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડાની પ્રેરણાં અને પ્રયત્નોને કારણે નાના બાળકોમાં પણ રાષ્ટ્રભક્તિના સંસ્કારોનું આવું સિંચન થઇ રહ્યું છે. ચાવડા એક…

Read More

ધ્રાંગધ્રા સીટી પોલીસે શહેરના DCW સર્કલ રેલ્વે ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ૬ સખ્સોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેર ખાતે સીટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધાંગધ્રા શહેરના ડી.સી.ડબલ્યુ સર્કલ રેલ્વે ફાટક પાસે જાહેરમાં ગંજી પાનાનો જુગાર રમતા રસુલભાઈ હારુનભાઈ, ગુલામનબી હારુનભાઈ, સિકદરભાઈ ઈસાભાઈ, હારુનભાઈ મહંમદભાઇ, મુસ્તાકભાઈ રાઉભાઈ અને સાજીદભાઈ ઉસ્માનભાઈ મળી આ ૬ સખ્સો જાહેર માં કુંડાળું કરી ગંજીપાના નો જુગાર રમતા રોકડ રકમ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૧૦,૨૦૦/- સાથે સીટી પોલીસે પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Read More

લોકડાયરાના કલાકારો પરની ₹ ૫૧,૦૦,૦૦૦ ની ધનવર્ષા સેવા સંસ્થાઓને સમર્પિત કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં જાડેજા પરિવાર દ્વારા હાલાર પંથકમાં ઐતિહાસિક કહી શકાય તેવા ભાગવત જ્ઞાનયજ્ઞના ધાર્મિક આયોજન થકી લાખો ભાવિકોએ ધર્મલાભ તો લીધો જ સાથોસાથ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને રૂ. એકાવન લાખ જેવડી સખાવત અર્પણ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. હકુભા જાડેજા પરિવાર દ્વારા જ્યારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તેમજ તે દરમિયાન દરરોજ સાંજે ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું, ત્યારે આ ધાર્મિક કાર્ય તેમના સદગત માતુશ્રીના સ્મરણાર્થે થતું હોય, પોથીપૂજન, આરતી સહિત લોકડાયરામાં કલાકારો પર ધનની ઉછામણી ની એકત્રિત કુલ રકમ જ્યારે યજમાન હકુભા જાડેજાને…

Read More