આજરોજ જામ ખંભાળીયા રાજપૂત સમાજ દ્વારા શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાયી

હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા 

          આજરોજ શુરવીર પરાક્રમી સ્વાધીનતા નું પ્રતીક હિન્દુ ગૌરવ શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતિ નિમિતે જામ ખંભાળીયા રાજપુત સમાજ દ્વારા રાજપૂત સમાજ ખાતે નવા ચૂંટાયેલા ને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ભવ્ય શોભાયાત્રા ( બાઈક રેલી) યોજાયી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જામનગર ના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં જામ ખંભાળીયા ના હિન્દુ સમાજના તમામ લોકો એ સાથે જોડાયા હતા અને શોભાયાત્રા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ રાજપુત ભાઈઓ સાફા પહેરી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન સફળ બનાવવા રાજપૂત સમાજ ના પ્રમુખ ચંદ્રસિંહ એફ જાડેજા અને તેમની ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : જયરાજ માખેચા,  જામ ખંભાળીયા 

Related posts

Leave a Comment