દિયોદર નાં ભાભર રેલવે ફાટક પાસે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી ભુજ જતી રેલવે લાઈન પર અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો પોતાની બેદરકારી નો ભોગ બનતા હોય છે ત્યારે અનેક લોકો પોતાની મજબુરી માં પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવનને ટુકવતા હોય છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર ફાટક પાસે એક યુવાને અગિયાર વાગ્યે ના સુમારે બોગી ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જે ટ્રેન નીચે પડતું મુકનાર યુવાન દીઓદરના હકાજી ધારસીજી ઠાકોર ઉર્ફે મેરાજ હોવાનું જાણવા મળ્યું છે…

Read More

દિયોદર શહેર ગુરુવાર બપોર બાદ સોમવાર સવાર સુધી સંપૂર્ણ લોક ડાઉન

હિન્દ ન્યૂઝ, દિયોદર     કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે, જેમાં કોરોના ની ચેન તોડવા માટે આજે ફરી બીજી દિયોદર શહેર ને ચાર દિવસ સુધી બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે દિયોદર ના સરપંચ ના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં પરિસ્થિતિ ને ધ્યાને રાખી ને આવતી કાલ બપોરે 12 વાગ્યા થી સોમવાર સવારે 6 વાગ્યા સુધી દિયોદર શહેર ને સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકો ને કડક રીતે નિયમ નું પાલન કરવા સૂચના આપવામાં…

Read More

વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને સેનેટાઈઝ કરવામાં આવ્યા 

હિન્દ ન્યૂઝ, વેરાવળ      વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના સક્રિય પ્રમુખ પીયૂષભાઈ ફોફનડી અને સિનિયર ઓફિસર હિરપરા અને નગરસેવક અફઝલ સર વોર્ડ ન.5 સાથે વિસ્તાર ના મુખ્ય માર્ગ સોમનાથ ટોકીઝ રોડ, હુસેની ચોક થી રેલવે ફાટક સુધી તેમજ હૈદરી ચોક થી કેરમાની આઈ.ટી.આઈ. સુધીના મુખ્ય માર્ગોને સેનેટાઈઝ કરવામાં આવેલ છે. જ્યારે બીજા રાઉન્ડ મા પણ વિસ્તાર પ્રમાણે સેનેટાઇઝ કરવામાં આવશે. કારણ કે નગરપાલિકા એ સરકારી સિસ્ટમ થી ચાલનારી સંસ્થા છે. જેનું ઉદેશ સમગ્ર વેરાવળ પાટણ ના તમામ વોર્ડ નું સર્વાંગી વિકાસ થાય અને એ એક સ્વચ્છ અને સુંદર નગર બનાવવાનું…

Read More

દિયોદર તાલુકાના નવા ગામે તળાવ ઉંડું કરવા ડીરેક્ટર ઈશ્વરભાઈ પટેલે ખાતમહુર્ત કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર     બનાસડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી એ બનાસકાંઠાને હરિયાળું બનાસ,પાણીદાર બનાસ બનાવવા નું બીડું ઝડપ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી અને લોકભાગીદારી થક્કી અનેક તળાવો ઉંડા કરવાના છે.જેના ભાગરૂપે બનાસડેરીના જળસંચય યોજના હેઠળ દિયોદર તાલુકાના નવા (દિ) ગામમાં તળાવ ઊંડુ કરવા માટે દિયોદર તાલુકાના બનાસડેરીના ડિરેક્ટર આઈ.ટી.પટેલ ના હાથે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને તળાવ ખોદવાની કામગીરી નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેરીના ચેરમેન/મંત્રી અને હિંદવાણી સમાજના દેસાઈ મલાભાઈ, અમરાભાઈ પટેલ વિસ્તરણ અધિકારી અને ગામ આગેવાનો સાથે સહુ કોઈએ ઉત્સાહથી હાજરી…

Read More

દિયોદર ધારાસભ્ય એ કોરોના અંતર્ગત સુવિધાઓ પુરી પાડવા નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર     રાજ્યમાં કોરોના કહેર થી હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીએ દિયોદર તેમજ લાખણી વિધાનસભા ક્ષેત્રના લોકો ને કોરોના કહેર વચ્ચે આરોગ્યને લઈ પડતી મુશ્કેલીઓને બાબતે ધ્યાન કેન્દ્રીત કરી ધારાસભ્ય એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. જે પત્રમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી અને દિયોદર સીએચસી સેન્ટરો ખાતે તાત્કાલીક ધોરણે ઓક્સિજન વેન્ટિલેટર અને કોરોના વાઇરસ સામે લોકોને રક્ષણ આપે તેવી મેડીસીન ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા તંત્ર ને આદેશ કરવા વિનંતી કરતો પત્ર માં ઉલ્લેખ કર્યો છે. તદ ઉપરાંત દિયોદર ખાતે…

Read More

દિયોદર તાલુકાનુ ફોરણા ગામ સંપૂર્ણ પાંચ દિવસ નું લોકડાઉન

હિન્દ ન્યૂઝ, દિયોદર      કોરોના વાઇરસ ની ગંભીર મહામારી સમગ્ર જિલ્લા માં ચાલી રહી છે હવે કોરોના વાઇરસ ની ચેન તોડવા માટે લોક ડાઉન જરૂરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લા માં પણ મોટાભાગે તાલુકા ના શહેરો લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હવે ગ્રામીણ વિસ્તાર માં પણ કોરોના વાઇરસ ના કેસો માં સતત વધારો થતાં ગ્રામીણ વિસ્તાર પણ હવે લોક ડાઉન જાહેર કરવામાં આવી રહું છે .    આ તસ્વીર દિયોદર તાલુકા ના ફોરણા ગામ ની છે ફોરણા ગામ એક નાનકડું ગામ છે પરંતુ ગામ ના બે યુવાનો કોરોના સામે…

Read More

કોરોના વાઈરસ ની ચેન તોડવા દરેક પક્ષ ને એક થઈ મદદ કરવી પડશે

હિન્દ ન્યૂઝ, દિયોદર     ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી એ ઉર્ગ સ્વરૂપ ધારણ કર્યું છે. દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થઈ રહો છે અને અનેક લોકો પણ કોરોના વાઈરસ ના શિકાર બની રહ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા એ કોરોના સામે ગુજરાત ને જંગ જીતવા માટે દરેક પક્ષ એક થઈ કોઈ રાજકારણ વગર લોકો ની મદદ કરવા આહવાન કર્યું હતું જેમાં પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા એ જણાવેલ કે કોરોના વાઈરસ ની અસર ગુજરાત ની સાથે સમગ્ર દેશ માં સ્થિતિ…

Read More

ડભોઈ અંબાવ બસ સ્ટેન્ડ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડવામા એલ.સી.બી ને સફળતા

હિન્દ ન્યૂઝ, ડભોઇ     આજરોજ ડભોઇ – વડોદરા રોડ ઉપર અંબાવ બસ સ્ટેન્ડ પાસે એલ.સી.બી ગ્રામ્ય ની ટીમ નું ચેકિંગ સઘન બનાવાયું હતું.અને બાતમી મળી હતી કે ડભોઈ – વડોદરા જવાના માર્ગ ઉપરથી એક એલ.પી.ટ્રક ભારતીય બનાવટનનો વિલાયતી દારૂ લઇજઈ રહી છે. જેમાં ભૂસાની બોરીઓ ભરેલી છે.તેવી બાતમી મુજબ ની ટ્રક આવી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસના જવાનો દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.    હાલમાં પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા સુધીરકુમાર દેસાઈ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓએ દારૂ/જુગર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને…

Read More

દર્દીની સેવામાં તત્પર નીતાબહેનનો “હમ નહી રૂકેંગેનો કર્તવ્ય મંત્ર”

હિન્દ ન્યૂઝ, નડિયાદ        કોરોનાની કપરી પરિસ્થિતીના કારણે ફરજ નિભાવવા માટે મેટરનીટી લીવ પુર્ણ થયાના બીજા દિવસથી છિપીયાલની નિતાબેન ડાભીએ મહેમદાવાદના હલદરવાસના ક્ષેત્રની ૧૦૮ એમ્યુલન્સની ડ્યુટી જોઇન્ટ કરી લીધી હતી. ઇએમટી નિતાબેને વ્હાલસોયી ૭ માસની પુત્રીને ચેપ ન લાગે તે માટે છેલ્લા ૧ માસથી સ્તનપાન કરાવી શક્યા નથી. રાત્રે ૮ કલાકે ઘરે જઇને લાડલી પુત્રીને સ્પર્શ કરી શકતા નથી તેમજ રમાડી શકતા નથી ત્યારે દુરથી જોઇને રમાડવાનો આનંદ વ્યક્ત કરીને ઘરની બીજી રૂમમાં આઇસોલેશન થઇ જાય છે, તેમ ઇએમટી નિતા બહેને જણાવ્યુ હતુ. કઠલાલ તાલુકાના છિપીયાલમાં રહેતા નિતાબેન…

Read More

દિયોદર ગ્રામ પંચાયત દ્વારા આખા નગરમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર     જિલ્લામાં કોરોના નો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસ સુધી સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે ત્યારે ગ્રામ પંચાયત ના જાગૃત સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા દ્વારા દિયોદર ને આરોગ્ય લેવલે સંપૂર્ણ કાળજી રાખવા દિયોદર નગર ની સફાઈ કામગીરી હાથ ધરી છે. સાથે નગર ની શેરીઓ સાથે નગરના હાર્દ સમા રસ્તાઓ પર સેનેટાઈઝ દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો છે. સતત બે દિવસ સુધી ગામના મુખ્ય રસ્તાઓ પર સેનેટાઈઝ થી સજજ કરવામાં આવ્યા છે. કોઈ મહા મારી સામે આરોગ્ય ની ચિંતા…

Read More