કોરોના વાઈરસ ની ચેન તોડવા દરેક પક્ષ ને એક થઈ મદદ કરવી પડશે

હિન્દ ન્યૂઝ, દિયોદર

    ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી એ ઉર્ગ સ્વરૂપ ધારણ કર્યું છે. દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થઈ રહો છે અને અનેક લોકો પણ કોરોના વાઈરસ ના શિકાર બની રહ્યા છે જેમાં ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા એ કોરોના સામે ગુજરાત ને જંગ જીતવા માટે દરેક પક્ષ એક થઈ કોઈ રાજકારણ વગર લોકો ની મદદ કરવા આહવાન કર્યું હતું જેમાં પ્રદેશ મંત્રી ભરતસિંહ વાઘેલા એ જણાવેલ કે કોરોના વાઈરસ ની અસર ગુજરાત ની સાથે સમગ્ર દેશ માં સ્થિતિ ભયાનક છે કોરોના ને હરાવવા માટે ભાજપ હોય કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષ દરેક પક્ષ ને એક થઈ કોરોના ની ચેન તોડવા આગળ આવવું પડશે વર્તમાન સમય કોરોના વોરિયસ તરીકે સેવા આપતા ડોકટર,નર્સ ,સફાઈ કામ દારો,પોલીસ જવાનો અને મીડિયા નો પણ આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ:- પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment