વાંકાનેર, મોરબી જિલ્લામાં ગુમ અને અપહરણ થયેલ બાળકો શોધી કાઢવા અંગેની ડાઈવ આપવામાં આવી હોય તે અર્થે વાંકાનેર સીટી પી.આઈ.ની ટીમ અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની હાલ મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જીલ્લા અંજનગાવ ખાતે હોવાની બાતમી મળી હતી અને મોરબી સીટી-એ ડીવીઝન પોલીસની ટીમ હાલ મહારાષ્ટ્ર તપાસ અર્થે ગયેલ હોય જેથી જરૂરી સૂચનાઓ આપતા યાકુબ ઉર્ફે શકરો મહેબુબ બેલીમ (ઉ.વ. ૨૨) રહે. હસનપર તા. વાંકાનેર વાળાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર
Read MoreMonth: September 2020
રાજકોટ શહેર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમશિનરે કોરોના દર્દીની ઓળખ જાહેર ન કરવા બાબતે. ગુજરાત હાઇકોર્ટમાં પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન કોંગી કોર્પોરેટર દ્વારા કરવામાં આવી
રાજકોટ, તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમીશનર કોરોના પોઝીટીવ દર્દીની પ્રાઈવસી જોખમાતી હોય તેમજ સામાજીક રીતે હેરાનગતિ થતી હોય તે બાબતે અનેક પત્રો અને ફોનથી મ્યુનિસિપલ કમીશનરને ફરીયાદ થતા, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે સંબંધીત વિભાગના અધિકારીને આદેશ કરેલો કે કોરોના પોઝીટીવ દર્દીઓના નામ સરનામા સતાવાર રીતે જાહેર ન કરવા. પરંતુ મ્યુનિસિપલ કમિશનરના અવિચારશીલ, બંધારણીય અધિકારો વિરુધ્ધના અને ગેરકાયદેસર હુકમથી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા હોય. અરજદાર અતુલભાઇ રાજાણીએ પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન પીટીશન દાખલ કરેલી છે. હાઈકોર્ટે પીટીશન એડમીટ કરી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ કરી પોતાનો જવાબ રજુ…
Read Moreબનાસકાંઠા ખાતે મરેલા લોકોનું ભૂતિયાકાંડનું કૌભાંડ ઝડપાયું
બનાસકાંઠા, એક મોટા ભ્રષ્ટાચારના પર્દાફાશનો મૃત વ્યકિતને કામ અને પૈસાની ચુકવણીની ફાળવણી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એકટ મનરેગા યોજનામાં મૃતકના નામે થઈ હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના બલંદરા ગામના પાંચેક વ્યકિતઓ કે જે ૨૦૧૬ થી ૨૦૧૯ દરમિયાન મૃત્યુ પામ્યા હતા, તે મનરેગાની સાઈટ ઉપર કામ કરતા હોવાનું અને તેમના નામે જીલ્લા વહિવટી તંત્ર દ્વારા પૈસા પણ ચુકવાઈ ગયા હતા. તેમના સુધી કયારેય તપાસ થઈ નથી. પ્રાદેશિક ધોરણે મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ એકાદ મહિના પહેલા થવા પામ્યો હતો. બલંદરા કે જે ગુજરાત અને રાજસ્થાનની સરહદે ૨૬૦૦ની…
Read Moreરાજકોટ શહેર ખાતે કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી, ડેયલી બચત સ્કીમ ના નામે છેતરપીંડી કરનાર ઈસમને જડપી પાડતી ભક્તિનગર પોલીસ
રાજકોટ, તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે કોઠારીયા કોલોનીમાં કલ્યાણેશ્વર શરાફી મંડળી ચાલુ કરી શરાફી મંડળીમાં અનેક રોકાણકારોને જોડી ડેયલી બચત સ્કીમ ચાલુ કરી તેમાં નાણાં રોકવા માણસોને આપતા અનેક લોકોએ ડેઇલી બચત સ્કીમમાં નાણા રોકેલ હોય, કુલ-૨૨ લાખ જેટલી રકમ રોકાણકારોની મેળવી સને-૨૦૧૮ ના વર્ષમાં નાશી જતા ભકિતનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૮ I.P.C કલમ ૪૦૬,૪૨૦ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ગુન્હાનો મુખ્ય આરોપી સુરેશગીરી હેમંતગીરી ગોસ્વામી નાસતો-ફરતો હોય. જેથી પો.ઇન્સ જે.ડી.ઝાલા નાસતા-ફરતા આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે ડી.સ્ટાફના પો.ઇન્સ જે.બી પટેલ તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ એકટ’ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે
રાજકોટ તા.૨/૯/૨૦૨૦ ના રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુંડાગીરી કરનારા તત્વોને ૧૦ વર્ષ સુધીની સખત કેદ અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે તેમજ ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરવામાં આવશે. ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જીલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે. સમગ્ર મામલામાં સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે. ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક બની રહેશે. દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બનાવટી દવાનું…
Read Moreમીઠા થી રાજસ્થાન ને જોડતો હાઇવે બિસ્માર વાહન ચાલકો પરેશાન
દિયોદર, મીઠા થી થરાદ અને રાજસ્થાન ને જોડતો હાઇવે ઘણા સમય થી બિસ્માર હાલત માં છે. ઠેર ઠેર હાઇવે પર ખાડા પડયા હોવાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. આ હાઇવે કચ્છ અને રાજેસ્થાન ને જોડતો માર્ગ છે. જેમાં દિવસ રાત મોટા સાધનો અહીં થી પસાર થાય છે. જેમાં દિયોદર ના કોતરવાડા પાસે અનેક જગ્યા પર ઠેર ઠેર ખાડા અને માર્ગ બિસ્માર હોવાથી અહીં થી પસાર થતા વાહન ચાલકો ને અકસ્માત થવાનો ભય રહે છે. આ બાબતે અનેક વખત જવાબદાર તંત્ર ને રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી આ…
Read Moreરાજકોટ કોવિડ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવ જયંતિ રવિએ હોસ્પિટલના કેમ્પસમાં લાંબા સમય સુધી ૧૦૮ ઉભી રહેતા અધિકારીઓેને ખખડાવ્યા
રાજકોટ, તા.૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ મનપાની આરોગ્ય ટીમે શરદી-તાવ-ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોને ૧૦૪ નંબર પર કોલ કરીને માહિતી મેળવવા માટે અપીલ કરી છે. ૧૦૪ હેલ્પલાઈન ટીમ દરરોજ ૧૦૦ થી વધુ ફોન હેન્ડલ કરી રહી છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતો નાગરિક ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે. ૧૦૪ હેલ્પલાઈનના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર્દી દ્વારા ૧૦૪ નંબર પર કોલ કરતા અમદાવાદ સ્થિત ૧૦૪ રિસ્પોન્સ સેન્ટરમાં આ કોલ જરૂરી મદદ પૂરી પાડવા માટે જોડાય છે. ત્યાં રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા કોલ કરનાર દર્દીનું નામ, પુરૂ સરનામું, ફોન…
Read Moreગુજરાતના જાણીતા ભજનીક હેમંત ચૌહાણની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સ્ટુડીયો સંચાલકને ધમકી આપવા મામલે
રાજકોટ, તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના શિવ સ્ટુડિયોના માલિકના પુત્ર ભાવિન ખખ્ખરને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપતી એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ આ બાબતે અરજી થઇ હતી. રાજકોટના એ.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગાયક હેમંત ચૌહાણ વિરુદ્ધ રાજકોટની એ.ડિવિઝન પોલીસ દ્વારા ૨ દિવસ પહેલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અટકાયત બાદ હેમંત ચૌહાણને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હેમંત ચૌહાણને જામીન પર છોડવામાં આવ્યા હતા. આ બાબતે શિવ સ્ટુડિયોના મલિકના પુત્ર ભાવિન ખખ્ખરનું કહેવું…
Read Moreરાજકોટ શહેર દુષ્કર્મના ગુનામાં નાસતા-ફરતા આરોપીએ પોલીસ ધરપકડની દહેશતે યુવતી ઉપર આક્ષેપ કરી ફિનાઈલ ગટગટાવી લીધી હતી
રાજકોટ, તા. ૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રહી બ્યુટી પાર્લરનો કોર્ષ કરતી. એક યુવતીએ દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઠારીયા રોડ ઉપર આવેલ આશાપુરાનગરમાં રહેતા દિપક સાંગાભાઇ આલ નામના રબારી શખ્સ સાથે સંપર્ક થયો હતો. બાદમાં ફોન નંબરની આપલે થયા પછી બંને વચ્ચે ફોન અને મેસેજથી વાતચીત શરુ થઇ હતી. બંને વચ્ચે મિત્રતા થઇ ગયા બાદ દિપકે આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. દિપકે હું તને પ્રેમ કરું છું અને તારા સિવાય કોઈ સાથે લગ્ન નહિ કરું તેવી વાતો કરી હતી. બાદમાં…
Read Moreરાજકોટ શહેર રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ
રાજકોટ તા.૩/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી.જેબલીયા અને વિક્રમભાઈ ગમારાને ખાનગીરાહે હકીકત મળી હતી કે રૈયા રોડ ઉપર નહેરુનગર શેરીનં.૯ ના ખૂણે ખુલ્લા મેદાનમાં એક રિક્ષામાં દારૂનો જથ્થો ભરીને એક શખ્સ ઉભો છે. આ બાતમી આધારે A.S.I બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, દેવાભાઇ ધરજીયા અને ક્રિપાલસિંહ જાડેજાને સાથે રાખીને દરોડો પાડતા ત્યાં એક રિક્ષાચાલક મળી આવતા તેનું નામ ઠામ પૂછતાં પોતે જંગલેશ્વર મેઈન રોડ ઉપર રહેતો સોયબ ઉર્ફે રફીક ઉર્ફે માભો હનીફભાઇ સુમરા હોવાનું જણાવતા…
Read More