ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો : સ્વામી વિવેકાનંદજી આજ રોજ 11 સપ્ટેમ્બર નિમિતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં થાનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી લક્ષમણભાઈ અલગોતર તેમજ થાનગઢ શહેર ભાજપ યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર તેમજ પાર્ટી ના કાર્યકરો જોડાયા હતા. રિપોર્ટર : જયેશભાઈ મોરી, થાનગઢ
Read MoreMonth: September 2020
મોરબી ખાતે જન સુવિધા ન મળતા જન અધિકાર મંચના ઉપપ્રમુખ સહિતના યુવાનો દ્વારા કલેકટરને ગુજરાત
મોરબી, મોરબીના સામાકાંઠે આવેલ લાલબાગ સેવાસદનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો સરકારી કામ કાજ માટે આવે છે . જેમાં મુખ્ય જન સુવિધા કેન્દ્ર તથા દસ્તાવેજને લગતી કામગીરી માટે વધારે લોકો આવતા હોય છે . તે લોકો માટે આ કચેરીમાં પીવા માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી .. !, માણસોને બેસવા માટેની પ્રાથમિક સુવિધા પણ નથી. જેથી લોકોને રોજ તડકામાં બેસવું પડે છે, તથા વરસાદના સમયમાં બહાર પલળતા ઉભા રહેવું પડે છે તેમજ દસ્તાવેજની કામગીરી માટે મોટી ઉંમરના પણ ઘણાં માણસો આવે છે . તો બેસવા માટેની વ્યવસ્થા તો ખાસ હોવી જ જોઈએ…
Read Moreસિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના વિભાગમા ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓના ભોજન માટે રૂા.૫ લાખની સહાય
વેરાવળ, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસના સંક્રમણના કારણે પ્રભાવિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજીક સંસ્થાઓ અને લોકોને કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે આર્થિક સહાય કરવા અપીલ કરી હતી. જેના ભાગરૂપે સંસ્થાઓ આગળ આવી મદદ કરી રહી છે. પુર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને રાજમોતી પરિવાર તરફથી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કોરોના વિભાગમા ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓના ભોજન માટે રૂા.૫ લાખની સહાય આપવામાં આવી હતી. સહાય બદલ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ
Read Moreડીસા તાલુકાના રોબસ ગ્રામ પંચાયતના સરપંચ આજ દિન સુધી પંચાયત ની અંદર હાજરી ન આપતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
ડીસા, ડીસા તાલુકાના રોબસ ગ્રામ પંચાયતના સરપંચ આજ દિન સુધી પંચાયત ની અંદર હાજરી ન આપતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે .અનેક વાર સરપંચને રજૂઆત કરવા છતાં પણ સરપંચ હાજર ન રહેતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રોબસ મોટી ગ્રામ પંચાયતના સરપંચ સમુબેન કાળાભાઈ ચૌધરી ચૂંટણી જીત્યા ને ચાર વર્ષ વીતી ગયા છતાં પંચાયત ની અંદર હાજરી ન હોવાથી લોકો ના અને કામ થતાં નથી તેવું લોકમુખે જાણવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયત ની અંદર રોબસ મોટી ગ્રુપ ગ્રામ પંચાયત લોકોને પાણીની સમસ્યા અનેકવાર સરપંચને ફોન કરવા છતા સરપંચ ફોન…
Read Moreભૂપેશભાઈ શાહને જન્મદિવસ નિમિતે ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ….
જામનગર, હિન્દ ન્યુઝ હાલ જામનગર નાં રેહવાસી તેમજ સતત ‘માનવ સેવા, એ જ પ્રભુસેવા’ નાં સુત્રને સાર્થક કરનાર વડીલ શ્રી ભુપતભાઈ શાહ નો આજે જન્મદિવસ છે. તેમજ તેઓ સામાજીક કાર્યકરની સાથોસાથ ‘હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી’ જૈન સમાજમાં છેલ્લા 13 વર્ષથી માનદ મંત્રી તરીકે કાર્યરત છે. સાથે ‘ભારતીય જૈન સંગઠન’ ના જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે બે વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તદુપરાંત ‘જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ‘ના ટ્રસ્ટી તરીકે ચાર વર્ષથી સક્રિય છે. ‘સમસ્ત જૈન સમાજ’ ના કારોબારી સભ્ય, ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ (ટ્રસ્ટ) જામનગર – માનવ અધિકાર સેલના પ્રમુખ, ‘હિન્દ…
Read More૧૧ મી સપ્ટેમ્બર દેશ ભક્તિ દિવસ, દેશપ્રેમ, દેશ સેવા-સમર્પણ, દેશ માટે ત્યાગની ભાવના એ જ ખરા અથઁમાં દેશભક્તિ
ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૧૦, અમેરીકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વર્ષ ૨૦૦૧માં ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ વિશ્ર્વના તમામ દેશોએ ૧૧ મી સપ્ટેમ્બરને દેશ ભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે પ્રાથમિક સ્કુલોમાં દેશભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકાર દ્રારા સ્કુલોમાં થતી તમામ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃતિઓમાં સંકલન જળવાય રહે એટલા માટે અગાઉ શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. શાળાકીય કેલેન્ડરમાં સ્કુલોમાં વેકેશન, પરીક્ષા, રજા અને વિવિધ દિવસોની ઉજવણી સહિત વિવિધ પ્રવૃત્તિઓ ક્યારે કરવી તેની માહિતી આપવામાં આવી હતી.…
Read Moreનર્મદા ખાતે આશ્રમ શાળાના બાળકોને અભ્યાસમા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો
નર્મદા, નમૅદા જીલ્લાની આશ્રમશાળાના શિક્ષકો ની પ્રંસસનીય કામગીરી. નમૅદા જીલ્લા મા અંતરિયાળ વિસ્તારમાં, ઉડાણ ના વિસ્તાર મા આશ્રમશાળાઆે આવેલી છે, જેમા આદિજાતિ વિસ્તારના આદિજાતિ ના બાળકો આશ્રમશાળામા રહીને અભ્યાસ કરે છે. અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમા શાળા કોલેજો બંધ છે, પરંતુ શિક્ષણ એ આજીવન સતત ચાલતી પ્રકિયા છે. એમ શિક્ષણ કાર્ય ચાલુ છે. જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં, જયા જયા મોબાઈલ નેટવર્ક નથી તેવા ગામો મા આદિજાતિ ના બાળકો અભ્યાસ થી વંચિત ન રહે અને અભ્યાસ મા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો સાથે અને શહેરના બાળકો…
Read Moreપીલુડા ખાતે બનાશ બેંક માં બનાસ બેંક A T M નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
થરાદ, આજ રોજ પીલુડા ખાતે આવેલ બનાશ બેંક માં બનાસ બેંક A T M નું શૈલેષ ભાઈ પટેલ બનાસ બેંક ના ડિરેક્ટર ના વરધ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં પીલુડા ગામનાં ડેલિકેટ ચૌહાણ બળવંતસિંહ, બ્રાન્ચ મેનેજર ઉદયસિંહ ચૌહાણ , પૂર્વ વિસ્મુદ્ધા અધ્યક્ષ ગુજરાત સરકાર માવજીભાઈ પટેલ ભારતીય કિશાન સંઘ થરાદ ના પ્રમુખ કાનજીભાઈ પટેલ તેમજ સેવા સહકારી મંડળીઓ ના મંત્રીઓ દૂધ ઉત્પાદક મંડળીઓ ના મંત્રીઓ ગોકુળ માર્કેટ યાર્ડ ના વેપારીઓ અને ગામના લોકો હાજર રહ્યા હતાં. રિપોર્ટર : અતુલ ત્રિવેદી, થરાદ
Read Moreરાજકોટ-જામનગર-અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સમાં અને S.T બસમાં આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવ્યા બાદ જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે
રાજકોટ, તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-અમદાવાદ વધતા કોરોનાના કહેર સામે અમદાવાદનુ તંત્ર સજ્જ થઈ ગયુ છે. રાજકોટ-જામનગર થી આવતી તમામ બસોના મુસાફોરના કોરોના ટેસ્ટ કરવામા આવે છે. ત્યારબાદ જ બસને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામા આવે છે. ખાનગી અને S.T બસોમાં આવતા મુસાફરો જે રાજકોટ અથવા જામનગરથી આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પ્રવેશ પહેલા ટેસ્ટ કરાવામાં આવે છે. અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવે ત્યારબાદ જવા દેવામાં આવે છે. કોરોના પોઝિટિવ આવતા લોકોને તેમને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરે છે. છેલ્લા ૮ દિવસથી રાજકોટમા કોરોના ફાટી નીકળ્યો છે. આવી સ્થીતીમા અમદાવાદ આવતા લોકોનુ ખાસ…
Read Moreજેતપુરના હોસ્પિટલને અનધિકૃત બાંધકામ હટાવવાની નોટિસ આપતા વિવાદ
જેતપુર, નવાગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયાના દિયર મિન્ટો ઉર્ફ મનીષ સખરેલીયાએ ગત ૯ સપ્ટેમ્બરના રોજ જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ સંજીવની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ અંગે તબીબ તેમજ તબીબી સ્ટાફ બબાલ કરી હતી તેમજ ત્રણ મહિના અગાઉ પણ આ જ હોસ્પિટલના વોર્ડબોયને ફટકાર્યો હતો. ત્રણ મહિનામાં બીજી વખત સંજીવની હોસ્પિટલના તબીબ તેમજ તબીબી સ્ટાફ ગેરવર્તુણક કરતા ગત મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો ૧૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ હડતાલને જનરલ પ્રેક્ટિશનર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન દ્વારા પણ મોડી…
Read More