વડનગર ના ટાઉન હૉલ માં વડનગર ના ટાઉન હૉલ માં મોદીના જન્મ દિવસ પર જન્મ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વડનગર તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર વડનગર ના ટાઉન હૉલ માં જન્મ દિવસ ની ઉજવણી કરવા માં આવી. જેમાં ઊંઝા ના ધારસભ્ય ડૉ.આશા બેન પટેલ અને એ.પી.એમ.સી. ના ચેરમેન દિનેશ પટેલ અને નગરપાલિકા ના પ્રમુખ ઠાકોર કાનાજીભાઈ અને બી.જે.પી. શહેર પ્રમુખ રાજુભાઈ મોદી અને અન્ય કાર્યકરો એ હાજરી આપી. રિપોર્ટર : અશ્વિન ઠાકોર, વડનગર

Read More

ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ ચાવંડ ગામ મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ૬ઠી વાર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઢસા તા. ૧૪/૦૯/૨૦૨૦ ના રોજ ડો. મુકેશસિંહ ને બ્લડબેન્ક ની ટેલિફોનિક સૂચના ને અનુલક્ષી થેલેસેમિયા ના બાળકો માટે બ્લડ ની જરૂરિયાત હોય તા. ૧૬/૦૯/૨૦૨૦ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં આસપાસ ના ગ્રામ્ય તેમજ ચાવંડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રક્તદાન કરી કુલ ૩૨ યુનિટ બ્લડ એકત્રિત કરી બ્લડબેન્ક ને જમા કરાવેલ ચાવંડ આરોગ્ય આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષમાં ૬ ઠી વાર રક્તદાન કેમ્પ નું આયોજન કરી કુલ ૨૩૯ યુનિટ બ્લડ મેળવી બ્લડબેન્ક ને આપેલ હતું. આ કેમ્પ દરમિયાન માજી આરોગ્ય સમિતિ ના ચેરમેન વિજયભાઈ યાદવ ઉપસરપંચ…

Read More

આત્મનિર્ભર યોજના માટે અત્યારે સરકારી સહાયના ફોર્મ મેળવવા માટે લોકો વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નંબર 8 ની કચેરી ખાતે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

હિન્દ ન્યૂઝ, વડોદરા, પ્રધાનમંત્રી આત્મનિર્ભર યોજનાની લોન આપવાની છે લારી ધારકોના ધંધા બંધ થઈ ગયા તેથી અહીંયા તો કંઈ વ્યવસ્થા નથી જે લોકો લાઈનમાં ઉભા રહે એમને ફોર્મ આપવામાં આવે છે તેમનું રજીસ્ટ્રેશન થાય છે, અને 300 રૂપિયા માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વોર્ડ કચેરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે ત્યાં સોશિયલ અંતરનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. કોર્પોરેશન ઓફિસ રાજ્ય માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે ત્યાં આવેલી છે. છેલ્લા બે દિવસથી લાઈન લાગી ગઈ છે. એટલું ગંભીર છે કોરોનાની મહામારી વચ્ચે થયેલો છે. એક તરફ નગર પાલિકા લોકોને દંડ…

Read More

સુરતના કામરેજથી વડોદરા ની પોલીસે 20 વર્ષ જુના ખૂની ની ધરપકડ કરી

હિન્દ ન્યૂઝ, સુરત, ભૂતકાળના ગુનાહિત રેકોર્ડથી 20 વર્ષ ચાલ્યા પછી ખૂનીને ધરપકડ કરવામાં આવી હતી. સુરતના કામરેજથી વડોદરા ની પોલીસે 65 વર્ષ ના ખૂનીની ધરપકડ કરી છે. 1992 માં ભરૂચમાં મહેન્દ્ર તડવીએ તેની પત્નીને સળગાવી દીધી હતી. 1993 માં સેશન કોર્ટે ડાહ્યાને આજીવન કેદનો ચુકાદો આપ્યો હતો. પરંતુ 2000 માં તેમને 45 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા હતા. પરંતુ તે ક્યારેય પાછો પાછો ફર્યો નહીં. તેણે નામ બદલીને ડાહ્યાભાઇ રાખ્યું અને કામરેજની બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને નવી જિંદગી શરૂ કરી. પ્રાપ્ત ટીપના આધારે વડોદરા ની પોલીસે 20 વર્ષ…

Read More

સોમનાથ ખાતે તા.૧૭ ના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૧૬, રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો તા.૧૭-૦૯-૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે તા.૧૭ ના રોજ બપોરે ૩ કલાકે ઓડીટોરીયમ હોલ યાત્રી સુવિધા કેન્દ્ર, લીલાવંતી ભવન કેમ્પસ સોમનાથ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ યોજના અંતર્ગત જોઈન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૃપની રચના કરી તેમાં આશરે ૧૦ લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાલંબી/આત્મનિર્ભર બનાવવામાં આવશે. તેમ ચીફ ઓફિસર જતીન મહેતાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ના જન્મદિવસ  નિમીતે સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને   દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, માન.ટ્રસ્ટી સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાયં સમયે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઝવેરીભાઇ ઠકરાર, દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાન ના જન્મદિને સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા કરવામાં આવેલ. રિપોર્ટર…

Read More

મોરવાડા ચાર રસ્તા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી પલટી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રીના સમયે સુઇગામ થી રાધનપુર તરફ દારૂ ભરી જતી સ્વીફ્ટ ગાડી નં.GJ 24 AF 6445 મોરવાડા ચાર રસ્તા નજીક રોડની સાઈડમાં પલટી ખાઈ ગયેલ,રોડની સાઈડની ઊંડી ચોકડીઓમાં પુરપાટ ગતિથી જતી સ્વીફ્ટ પલટી મારતા કારના ફુરચેફુરચા ઉડી ગયેલ, જેમાં ખીચોખીચ ભરેલ દારૂની પેટીઓમાંથી કાચની બોટલો તૂટી જતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી, જોકે ગાડીનો ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, માહિતી મળતાં સુઇગામ પી.એસ.આઈ એચ.બી.પરમાર, અનાર્મ હે.કો.નિયાઝખાન, હે.કો.તગજીભાઈ, પો.કો.ઈશ્વરભાઈ, બબાભાઈ, રાજેશભાઇ, ત્રિકમભાઈ સહિતના સ્ટાફ સાથે પલટી ખાધેલ કાર નો કબજો લઈ સ્વીફ્ટ કારમાં તપાસ…

Read More

ગીર સોમનાથ જિલ્લાના બગાયતદારો જોગ….

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તા.૧૬, ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જણાવવાનું છે કે, બાગાયત ખાતું ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫-૦૯-૨૦૨૦ થી તા.૩૦-૦૯-૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. જેથી લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમય મર્યાદામાં ઓનલાઈન અરજીની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક વેરાવળની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ દર્ભાવતિ નગરીના સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ, ડભોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ દર્ભાવતિ નગરીના સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો ૧૭મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સેતુ નો કાર્યક્રમ યોજનાર છે. તે અંતર્ગત દર્ભાવતિ નગરીના સરદાર ચોક ખાતે ડભોઇ નગર ભાજપા દ્વારા આત્મનિર્ભર ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ બાબતે નગરજનોમાં જાગૃતિ આવે અને દર્ભાવતિ નગર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર ભાજપના અગ્રણીઓ…

Read More

નર્મદા જિલ્લાના લોકોને રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન) યોજનાનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા કેન્દ્ર પુરસ્કૃત સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના હેઠળ જે તે પરિવારની મુખ્ય કમાનાર વ્યકિતનું કુદરતી સંજોગોમાં અથવા અકુદરતી કે અકસ્માતમાં મૃત્યુ થાય અને મરણ થનારની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તથા આ પરિવાર ગરીબી રેખા હેઠળ (૦ થી ૨૦ ના ગુણાંક) માં હોય તેવા સંજોગોમાં પરિવારને ઉચ્ચક કેન્દ્રીય સહાય રૂા. ૨૦ હજારની મર્યાદામાં…

Read More