સોમનાથ ખાતે તા.૧૭ ના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

ગીર સોમનાથ તા.૧૬, રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો તા.૧૭-૦૯-૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે તા.૧૭ ના રોજ બપોરે ૩ કલાકે ઓડીટોરીયમ હોલ યાત્રી સુવિધા કેન્દ્ર, લીલાવંતી ભવન કેમ્પસ સોમનાથ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ યોજના અંતર્ગત જોઈન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૃપની રચના કરી તેમાં આશરે ૧૦ લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાલંબી/આત્મનિર્ભર બનાવવામાં આવશે. તેમ ચીફ ઓફિસર જતીન મહેતાની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment