માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ના જન્મદિવસ  નિમીતે સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને   દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, માન.ટ્રસ્ટી સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાયં સમયે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઝવેરીભાઇ ઠકરાર, દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાન ના જન્મદિને સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા કરવામાં આવેલ.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment