ગીર સોમનાથ જિલ્લાના બગાયતદારો જોગ….

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

તા.૧૬, ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જણાવવાનું છે કે, બાગાયત ખાતું ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫-૦૯-૨૦૨૦ થી તા.૩૦-૦૯-૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. જેથી લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમય મર્યાદામાં ઓનલાઈન અરજીની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક વેરાવળની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment