તાજપુરા નારાયણ ધામ કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કુલ ૨૭૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

ગોધરા, ગોધરા નર્સિંગ સ્કુલ ખાતે ૧૫૦ બેડની ક્ષમતા ધરાવતા કોવિડ વોર્ડનો ઉમેરો કર્યા બાદ તાજપુરા ખાતેની હોસ્પિટલની ક્ષમતામાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના કોરોના પ્રભારી સચિવ રાજેશ માંજુના હસ્તે તાજપુરા, નારાયણ ધામ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં ૧૦૦ બેડનો નવીન વોર્ડ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ઉમેરા સાથે તાજપુરા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ક્ષમતા ૨૭૫ થઈ છે. આ ૨૭૫ પૈકી ૨૫૦ બેડ કન્ફર્મ પેશન્ટ માટે અને ૨૫ બેડ આઇસોલેશન વોર્ડ માટે ઉપલબ્ધ છે. ખુલ્લા મુકાયેલા ૧૦૦ બેડ પૈકી ૬૦ બેડ પર પાઈપલાઈન મારફતે ઓક્સિજન પહોચાડવાની સુવિધા રખાઈ છે.…

Read More

થરાદ તાલુકાના મહાજનપુરા ખાતે ગામની પ્રાથમિક શાળામાં માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

થરાદ , થરાદ તાલુકાના મહાજનપુરા ખાતે ગામની પ્રાથમિક શાળામાં ૭૪. માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. શાળા ના આચાર્ય રાયમલજી તેમજ ગામના વડીલ વિનોદ ભાઈ જોષી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્રતા ના પર્વ પર બીજા અન્ય ગામ ના અગ્રણીઓ પણ હાજર રહી રાષ્ટ્રધ્વજ ને સાથે વીર શહીદોના બલિદાનને યાદ કરી સલામી આપવામાં આવી હતી. વિશેષ માં આ કાર્યક્રમ ને સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાન મા રાખી આયોજેલ હતું. રિપોર્ટર  : ધુડાલાલ ત્રીવેદી, થરાદ

Read More

મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી

ગોધરા , ગોધરા ભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ગોધરા દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીમ દ્વારા મહુલીયા ગામમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીમ દ્વારા ગ્રામજનોને માતા, બહેન, પત્ની કે દીકરીના સ્વરૂપે ગૃહ સંભાળ રાખતી દરેક મહિલાનો આભાર માનવો જોઈએ કેમકે તેમને કોઈ આર્થિક વળતર આપતું નથી. આ ઉપરાંત જેઓ પરિવાર માટે આર્થિક પ્રવૃતિઓમાં જોડાયા છે તેવા ખેતમજુર મહિલાઓ, બાંધકામ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, જંગલ આધારિત પેદાશો દ્વારા રોજગારી મેળવતી મહિલાઓ, પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ મહિલાઓનું પરિવાર અને સમાજના કલ્યાણમાં પ્રદાન વિશે…

Read More

ગઢડા તાલુકાના ઢસા જંકશન માં આજ રોજ ઘ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી

ઢસા, આજ રોજ ઢસા જંકશન માં આવેલ કેન્દ્રવર્તી શાળા માં 74મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે તથા સંપૂર્ણ કોવીડ 19ની સાવચેતી સાથે ધ્વજવંદન કરવામા આવ્યું સાંપ્રત મહામારી ના કારણે ગામ ના આગેવાનો અને સરકારી પ્રાથમિક શિક્ષકો તેમજ ઢસા જં. ના આંગણવાડી ના સ્ટાફ દ્વારા 74 મા સ્વાતન્ત્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન ઢસા વીશી સરપંચ ભરતભાઈ કટારીયા ધ્વજવંદન ફરકાવી ને કોરોના ની સાવચેતી તથા સરકાર ના કાર્યક્રમો ની જાણ કરી અહીં ઉલ્લેખનીય છે કે ઢસા જં. માં એક પણ કોવિડ 19નો કેસ નથી.…

Read More

નેત્રંગ તાલુકામાં મેઘમહેર યથાવત, છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો

નેત્રંગ, તા.૧૪-૮-૨૦૨૦ નેત્રંગ તાલુકામાં પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાનું ધીમી ગતિએ આગમન થયું હતું, ખેડૂતો હોંશેહોંશે ખેતીકામમાં જોતરાયા બાદ મેધરાજા હાથતાળી આપતા ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા, લાંબા સમયના વિરામ બાદ નેત્રંગ તાલુકામાં ફરીવાર મેઘરાજાનું વાજતેગાજતે આગમન થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મોસમનો કુલ ૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે, મેઘરાજાના આગમની સાથે તેજગતિના વાવાઝોડાથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ઘરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી…

Read More

થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં શિવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું

થરાદ, થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં શિવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું. દોલતપુરા ના ધી, દુધ, મંડળી ના મંત્રી હેમજી ભાઈ પટેલ તથા ભીલ મગન ભાઈ અને બ્રાહ્મણ હીરજી ભાઇ અને કર્મીસીભાઈ પટેલ તથા બીજા પણ ગામ જનો ભેગા મળી ને શીવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતુ. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

કવાંટના મોટી જડોલી ગામે મેણનદીમાં “આઈસર ટેમ્પો” તણાયો

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં અને કવાંટમાં છેલ્લા ૩-૪ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી જિલ્લાની બધી નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે કવાંટ તાલુકાના મોટી જડુલી ગામેથી મેણનદી પસાર થઈ રહી છે. જેમાં અચાનક પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેવામાં નદી પરથી પસાર થઈ રહેલો ટેમ્પો અચાનક પાણીના વહેણમાં તણાવા માંડ્યો હતો. જેથી ૨ ટ્રેકટર દ્વારા ખેંચી તેમજ ગ્રામજનો અને સ્થાનિક લોકોની મદદથી ટેમ્પોને ધક્કો મારી નદીમાંથી મહામુસીબતે બહાર કાઢવામાં અંતે સફળતા મળી હતી. વર્ષોથી કવાંટ અને નસવાડી વચ્ચે આવેલ મોટી જડૂલી પુલ બનાવવાની માંગ…

Read More

થરાદ તાલુકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયું

થરાદ, બનાસ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે થરાદ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરબુણ ગામે ગૌશાળાની પવિત્ર ધરતી પર પરમ પૂજ્ય સંત શ્રી નાગરવનજી બાપજી ના સાનિધ્યમાં તથા સાંસદ પરબતભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં ગામના અગ્રણીઓ અને પશુપાલકોની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું. જેમાં ૫૦૦ કરતા વધુ વૃક્ષો રોપવામાં આવ્યા અને 251 વડ રોપવામાં આવ્યા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

દિયોદર ના પાલડી ગામે વીજળી પડવા થી બે પશુ ના મોત

દિયોદર, ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં મેઘ મન મૂકી ને વરસી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકા માં પણ ભારે વરસાદ છે ત્યારે દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે વીજળી પડવા થી બે ભેંસ ના મોત થયા છે. પાલડી મીઠી ગામે રહેતા દરજી નાગજીભાઈ ખાનાભાઈ ની પોતાના માલિકી ની બે ભેંસ આંગણે બાંધેલ હતી. જેમાં એકાએક વરસાદ અને વીજળી પડતા બે ભેંસ ના મોત નિપજ્યા હતા. જેમાં એકાએક બે ભેંસ ના મોત થતા પશુપાલન પર નિર્ભરીત આ પરિવાર ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

બનાસડેરી દ્વારા આયોજિત દિયોદર તાલુકા ના જોશીડા વાસ (મીઠી પાલડી) ખાતે સામુહિક વૃક્ષારોપણ યોજાયું

દિયોદર, તા. 14.08.2020, બનાસડેરી ના ચેરમેંન શંકરભાઇ ચૌધરી ના દિશાસૂચન હેઠળ સમગ્ર જીલા માં બનાસડેરી દ્વારા આયોજિત દૂધ મંડળીઓ દ્વારા સામુહિક વૃક્ષારોપણ નું આયોજન કરવા માં આવ્યું છે. બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા બનાસકાંઠા ને હરિયાળો બનાવવા ના સંકલપ સાથે સમગ્ર જિલ્લામાં દરેક દૂધ મંડળી ઓ મારફત ગામ માં વૃક્ષારોપણ કરવા માં આવ્યું છે. જેમાં ગત રોજ દિયોદર તાલુકા ની જોશીડા વાસ (મીઠી પાલડી ) દૂધ મંડળી માં બનાસડેરી દ્વારા સામુહિક વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું. જેમાં દિયોદર વિભાગ ના ડિરેક્ટર ટી. વી. પટેલ (તેજાબા ) બનાસબેન્ક ડિરેક્ટર આઈ.ટી.પટેલ…

Read More