બનાસડેરી દ્વારા આયોજિત દિયોદર તાલુકા ના જોશીડા વાસ (મીઠી પાલડી) ખાતે સામુહિક વૃક્ષારોપણ યોજાયું

દિયોદર,

તા. 14.08.2020, બનાસડેરી ના ચેરમેંન શંકરભાઇ ચૌધરી ના દિશાસૂચન હેઠળ સમગ્ર જીલા માં બનાસડેરી દ્વારા આયોજિત દૂધ મંડળીઓ દ્વારા સામુહિક વૃક્ષારોપણ નું આયોજન કરવા માં આવ્યું છે. બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા બનાસકાંઠા ને હરિયાળો બનાવવા ના સંકલપ સાથે સમગ્ર જિલ્લામાં દરેક દૂધ મંડળી ઓ મારફત ગામ માં વૃક્ષારોપણ કરવા માં આવ્યું છે. જેમાં ગત રોજ દિયોદર તાલુકા ની જોશીડા વાસ (મીઠી પાલડી ) દૂધ મંડળી માં બનાસડેરી દ્વારા સામુહિક વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું.

જેમાં દિયોદર વિભાગ ના ડિરેક્ટર ટી. વી. પટેલ (તેજાબા ) બનાસબેન્ક ડિરેક્ટર આઈ.ટી.પટેલ રમેશભાઈ યુ પટેલ (જીન વાળા ) જીલા પંચાયત સદસ્ય ડો. હસુભાઈ પટેલ તેમજ દિયોદર તાલુકા વિસ્તરણ અધિકારી અમરાભાઈ જે પટેલ તેમજ ડો. ભરતભાઇ તમામ ફિલ્ડ સુપરવાઈઝરઓ તેમજ પશુપાલક અને ગામલોકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment