રાજકોટ શહેર કાલથી રાજ્યભરમાં R.T.O કચેરી રાબેતા મુજબ ચાલુ થશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર R.T.O ખાતે આવતા અરજદારો તથા કર્મચારીઓને કોરોના વાયરસનું સંક્રમણ થાય નહી તેમજ R.T.O ખાતે નાગરિક સેવાઓને વધારે વ્યવસાયલક્ષી બનાવવા સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈ તે મુજબ જરૂરી સોશીયલ ડીસ્ટન્સ જળવાય R.T.O કચેરીઓને કાર્યરત કરવામાં આવશે. જૂન માસ દરમિયાન ફિટનેશ માટે આવતા વાહનો પૈકી જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમણે તા.૮,૧૫ અને ૨૨ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમણે તા.૯,૧૬ અને ૨૩ જૂનના રોજ, જે વાહનોની નંબર પ્લેટના છેલ્લા આંકડાનો…

Read More

રાજકોટ શહેરના બૂટલેગરને કોરોના પોઝિટિવ. S.O.G ની ટીમ કવોરેઇન્ટાઇન

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં માંડાડુંગર વિસ્તારમાંથી દારૂના ધંધાર્થી ભાવેશ ડાભીને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડી પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જ્યારે થોડા દિવસ પહેલા બુટલેગરનો કબ્જો મેળવવા માટે રાજકોટ S.O.G ના P.S.I એમ.એન. અંસારી સહિત ત્રણ જવાનો આરોપીનો કબ્જો મેળવવા અમદાવાદ ગયા હતા. ત્યાંથી આરોપી ભાવેશ ડાભીને કારમા બેસાડી રાજકોટ લાવ્યા બાદ નિયમ મુજબ તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો આજરોજ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. આરોપી ભાવેશ ડાભીને અમદાવાદ સાબરમતી જેલમાંથી કોરોનાનો ચેપ લાગતા…

Read More

રાજકોટ શહેર ઢોલરાના ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા ૧૧ ઉદ્યોગપતિ અને નબીરા ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચંદ્રેશનગરમાં રહેતા કારખાનેદાર સુનિલસિંહ નવલસિંહ ભટ્ટીના કોઠારિયા રોડ પરના ઢોલરા નજીક આવેલા ફાર્મ હાઉસમાં રાત્રીના લોકડાઉનનો ભંગ કરી ૧૧ જેટલા શખ્સોને પોતાના ફાર્મ હાઉસમાં એકઠાં કરી મહેફીલ યોજી હોવાની બાતમીના આધારે શાપર પોલીસ મથકના P.S.I. કુલદીપસિંહ ગોહિલ, A.S.I. જે.બી.રાણા અને રોહિતભાઇ બકોત્રાએ દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ચંદ્રેશનગરના સુનિલસિંહ નવલસિંહ ભટ્ટી, નાનામવા રોડ ફુલવાડી પાર્કના રાકેશ પ્રવિણ દુદાણી, મવડી રામધણ પાસે રહેતા જીજ્ઞેશ ધર્મેશ દુદાણી, ચિત્રકૂટધામના સમિર રતિલાલ જીવાણી, રંગોલી બંગલામાં રહેતા ધર્મેશ રમેશ દુધાત્રા, રામનગરના અજય જયસુખ ટાંક, બાપા સિતારામ…

Read More

 લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ/જુગારના સાહિત્ય સહિત પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

લાઠી, લાઠી તાલુકાના મતીરાળા ગામે બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ૧૫ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય સહિત કુલ કિં.રૂ.૨૬,૮૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ શરૂ રાત્રિના લાઠી તાલુકાના મતીરાળા ગામે સહકારી મંડળીની બાજુમાં બે અલગ અલગ જગ્યાએ કેટલાક ઇસમો ભેગા મળી જાહેરમાં પૈસા-પાનાથી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી…

Read More

જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલએ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા થી 31/05 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત

જોડિયા, જોડિયા તાલુકાના પીઠડ ગામના કાસુન્દ્રા બાબુલાલ એમ. એ હડિયાણા ગ્રામ પંચાયત સંચાલિત હડિયાણા માધ્યમિક શાળા તા- જોડિયા માં તારીખ 11-03-1987 થી ગણિત-વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેણે હડિયાણા માધ્યમિક શાળામાં 33 વર્ષની નોકરી પૂર્ણ કરી અને તા : 31-05-2020 ના રોજ વયમર્યાદા ના કારણે નિવૃત થયેલ છે. આ નિવૃત્તિ પ્રસંગે હડિયાણા ગ્રામ પંચાયત નાં સરપંચ ના પ્રતિનિધિ જયસુખકુમાર પરમાર નાં વરદ હસ્તે શાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવ્યા અને આ પ્રસંગે ગ્રામ પંચાયતનાં મંત્રી જાની તથા હડિયાણા માધ્યમિક શાળાના આચાર્ય કાનાણી  તથા ઝાલા અને રાજુભાઈ ક્લાર્ક દ્વારા…

Read More

દાહોદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં આજે મંગળવાર ના રોજ રજા આપવામાં આવી હવે માત્ર બે એક્ટિવ કેસ

દાહોદ, દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ ચાર દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના દાહોદમાં નોંધાયેલા ૩૪ પૈકી હવે માત્ર બે જ એક્ટિવ કેસ રહ્યા છે. દાહોદમાં અત્યાર સુધી કોરોના વાયરસના નોંધાયેલા તમામ કેસો એસ્મ્ટોમેટિક રહ્યા છે. એટલે કે, દર્દીને કોરોના વાયરસ લાગું પડ્યો હોય પણ તેમનામાં એના કોઇ જ પ્રકારના લક્ષણ ના હોય તેવા દર્દીઓ. દાહોદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી ડેડીકેટેડ કોવિડ-૧૯ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. અહીં ડો. મોહિત દેસાઇ અને તેમની ટીમ દ્વારા દર્દીઓને…

Read More

જેતપુરમાં સગીરા ઉપર છરીની અણીએ દુષ્કર્મ, આરોપીને સમજાવવા જતા હુમલો કર્યો

જેતપુર, જેતપુર શહેરમાં છેલ્લા એક માસમાં દુષ્કર્મનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે. જુનાગઢ રોડ પર રહેતા શ્રમીક પરિવારની સગીર પુત્રીને છરી બતાવી દુષ્કર્મ ગુજારનાર શખ્સને સમજાવવા જતાં બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.બનાવની વિગત એવી છે કે અત્રેના જુનાગઢ રોડ જલારામ મંદિર પાસે આવેલ ઝુપડામાં રહેતા શ્રમીક પરિવાર શનિવારે સાંજે જમવા બેઠા હતા ત્યારે તેમની સગીરવયની પુત્રી ચર્ચા કરતા તેમણે જણાવેલ કે તેની બાજુના ઝુપડામાં રહેતા બદુ હકુ વાઘેલાએ ત્રણકે માસ પહેલા છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, દુષ્કર્મ ગુજારેલ જેથી આ બાબતે સગીરા તથા તેના માતા પિતા…

Read More

રાજકોટ શહેર જીલ્લા કલેકટર તંત્રની તમામ સેવાઓ આજથી સંપૂર્ણ અનલોક

રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાની મહામારીના કારણે લોકડાઉન અમલમાં હતું. આ દરમિયાન જનજીવનને ધબકતું રાખવા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇમરજન્સી કામગીરીઓ ચાલતી હતી. કચેરીમાં પાસ, મંજૂરી આપવા સહિતની મુખ્યત્વે કામગીરીઓ કરવામાં આવી રહી હતી. હવે આ કામગીરી બંધ થતાં જિલ્લા કલેકટર કચેરી અને તેના હેઠળ આવતી કચેરીઓ આજથી વિધિવત શરૂ થઈ ગઈ છે. કલેકટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો અને ઇ ધરા કેન્દ્રોમાં આજથી રૂટિન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અરજદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના પર ખાસ ધ્યાન આપવામાં…

Read More

રાજકોટ શહેર આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ એટલે સી.બી.ડી.ટી દ્વારા આગામી ૧૫ જૂન સુધી આવકવેરા વિભાગ કચેરી ખાતે ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ૧૫ દિવસ દરમિયાન કોઈપણ કરદાતાઓ કે જેઓના જૂના અપીલના કેસો, વિવાદિત ડિમાન્ડની રકમ, ટીડીએસમાં અસામનતા, ભૂલ સુધારણા સહિતની અરજીઓનું નિરાકરણ લાવવામાં આવશે. જે માટે કરદાતાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે. આ સમયગાળા દરમિયાન કરદાતાઓ આવકવેરા વિભાગના અધિકારીને પણ ઓનલાઈન માહિતી આપી શકશે. આવકવેરા વિભાગના સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ૧લી જૂનથી ૧૫ જૂન સુધી ગ્રીવેન્સ રિડ્રેસલ સેલ ચાલુ રહેવાનું હોવાથી…

Read More

રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વીજબીલની પઠાણી ઉઘારાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ મેદાનમાં ઝંપલાવ્યુ છે. શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની આગેવાનીમાં આદોલનના મંડાણ કરવામાં આવ્યા છે તે પૂર્વે ગરીબ પરિવારોને ૨૦૦ યુનીટની નીચે આવતું બીલ માફ કરવા માટે પીજીવીસીએલની વડી કચેરીએ જઇ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે…

Read More