કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે કોરોના ના કપરા કાળમાં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું સન્માન તથા માસ્કનું વિતરણ કરતી મહિલા કોંગ્રેસ અગ્રણીઓ

વેરાવળ , તા.19-06 કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલજીનાં જન્મદિન નિમિતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાની હેઠળ મહિલા કોંગ્રેસની મહિલાઓ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના મુખ્યમથક એવા વેરાવળ શહેરમાં આવેલ ટાવર ચોક ખાતે કોરોના ના કપરા કાળ માં ઉત્તમ ફરજ બજાવતી મહિલા કર્મચારીઓનું ગુલાબનાં ફૂલ આપી મીઠા મોઢા કરાવીને તેઓનું સન્માન કરવામાં આવેલ તેમજ જાહેર જનતાને 1000 માસ્કનું વિતરણ તેમજ શહીદોને શ્રદ્ધાંજલી આપીને રાહુલજીનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મહિલા કોંગ્રેસ અગ્રણીઓ કાજલબેન ભજગોતર, યાસ્મિનબેન ચૌહાણ, રોજીનાબેન બાનવા,  કાજલબેન લાખાણી, જીજ્ઞાસાબેન રાવલ, નિર્મળાબેન ચાવડા સહિતની મહિલા કોંગ્રેસ અગ્રણીઓ…

Read More

જોડિયા ખાતે આજ રોજ મોટા વાસ વિસ્તારમાં મુસ્લિમ સમાજ માટે દીની તાલીમ કેન્દ્ર મદેરસા નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

જોડિયા, જોડિયા ગામે દાતા ફી સબીલીલાહ હસન હુસેન ગ્રૂપ (લંડન) વાળા તરફથી રૂપિયા પાંચ લાખ નું દાન કરવામાં આવે છે. જેમાં મુસ્લિમ સમાજ માટે દીની તાલીમ કેન્દ્ર મદરેસા નું ખાત મુહૂર્ત પધારેલા મહેમાનો આસિફ દિલાવર ખાન ઉર્ફે ટીનો , બાળકલ્યાણ વિકાસ ના ચેરમેન એસ.એસ.ખ્યાર, કારોબારી ચેરમેન બાવલાભાઈ નોત્યાર, તેયબ હાજી નગીયા, હાજી બારૈયા, હુસેનખાન કસમખાન ના વરદ હસ્તે સમાજ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

ગઢડા તાલુકાના ઢસા ગામ પાસે આવેલ જીવાઈ સતાધાર મંદિર તરફ થી હાલ અસાઢી બીજ નું આયોજન હાલ બંધ રાખેલ છે

ગઢડા, ઢસા ગામ પાસે આવેલ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ જીવાઈ સતાધાર મંદિર અમારા ખાસ કાઠિયાવાડ વિસ્તાર પ્રખ્યાત છે, જેમાં દર વર્ષે ખૂબ જ સારી રીતે મેળા નું આયોજન થતું હતું તેમજ આવનાર ભક્તો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવતું હતું , પણ આ વર્ષ કોવીડ 19 સંદર્ભે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ના નિયમ મુજબ હાલ આ વર્ષે મેળા નું આયોજન બંધ રાખેલ છે . આમ દરેક ભક્તો ને અગાઉ જણાવવામાં આવે છે તેમજ  ભક્તો ને બાપુ તરફ થી એક અપીલ કરેલ કે બધાએ સરકાર આદેશ નું પાલન કરવું…

Read More

પંચમહાલ જિલ્લાના શહેરા માં સમગ્ર મુસ્લિમ સમાજ તરફ થી ન્યૂઝ 18 ઇન્ડિયાના એંકર અમીષ દેવગન ના વિરુદ્ધ શહેરા પ્રાંતને રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ

શેહરા, રાજસ્થાન રાજ્યના અજમેર શરીફ મુકામે આજથી આશરે 800 વર્ષ પહેલા વિશ્વ પ્રસિધ્ધ સૂફી સંત ખ્વાજા મોઇનુદીન ચિશ્તી (રેહમતુલ્લાહ અલય્હે )સાહેબની દરગાહ આવેલી છે. તેમ છતા ન્યૂઝ 18 ઇન્ડિયા નામની ન્યૂઝ ચેનલ દ્વારા તથા તેમના એંકર અમીષ દેવગનના એ પબ્લીસીટી મેળવવા તેમજ ચેનલની ટી.આર.પી. વધારવા તથા પોતાને ઓછું જ્ઞાન છે તેવું બતાવવા અને પોતે ઇતિહાસ જણાવતા ના હોય અંખડ ભારત દેશ ઇતિહાસથી અજાણ હોય તે રીતે તા. 15/6/2020 ના રોજ 7:30 કલાકે લાઇવ ડિબેટ “આરપાર મે આજ સબસે નઈ બહસ” નામેં ડિબેટ નું આયોજન કર્યું હતું. આ ડિબેટમાં જાણી જોઈને…

Read More

જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીની એક બેઠક રાણીપા ભવન ખાતે મળી હતી

જોડિયા, જોડિયા ખાતે નવા મંડળ ની સર્વાનુમતે નકી કરવા જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીની એક બેઠક રાણીપા ભવન ખાતે મળી જેમાં હોદા ની પસંદગી કરવામાં આવી હતી.  જેમાં પ્રમુખ તરીકે જોડિયા તાલુકાના માનપર ગામે તલાટી કમ મંત્રી ની ફરજ બજાવતા દુષ્યતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ.જોડિયા તાલુકાના બાલભા ગામે ફરજ બજાવતા ભાવેશભાઈ પ્રજાપતિ અને સચિવ જોડિયા તાલુકાના જીરાગઢ ગામે ફરજ બજાવતા દસરથસિંહ જાડેજા ની નિમણૂક કરવામાં આવી છે. અન્ય સભ્યોમાં જોડિયા તલાટી કમ મંત્રી ની ફરજ બજાવતા નિલેશભાઈ નાગપરા અને જોડિયા તાલુકાના ભાદરા ગામે ફરજ બજાવતા વિપુલભાઈ પનારા ની બિનહરીફ ચૂંટાઈ…

Read More

ગુજરાત માલધારી સેના બાવળા દ્વારા મામલતદારને ગૌચર પર થી દબાણ હટાવવા માટે આવેદન પત્ર આપ્યુ

બાવળા,  બાવળા ખાતે ભારતીય સંસ્કૃતિ જાળવી રાખવા માટે ગાય અને ગૌચર બચાવો અભિયાન નું સૂત્ર ના આધારે બાવળા ખાતે ખૂબ મોટો પ્રમાણ મા માલધારીઓ એ સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે એકઠા થઈને ગુજરાત માલધારી સેના બાવળા ના પ્રમુખ રાજુભાઈ ભરવાડ, જીગરભાઈ મુંધવા, ધર્મેશ ભાઈ લામકા, મહેંદ્ર ભાઈ ઝુંઝા, લાલ ભાઈ મુંધવા, ભાગ્યેસ ભાઈ, વિજય ભાઈ રબારી, રણછોડભાઈ રબારી માલધારી સમાજના આગેવાનો (રબારી ભરવાડ) સાથે મળીને બાવળા મામલતદાર કચેરી ખાતે ગૌચર પર થી દબાણ હટાવવા માટે મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. અને જો ૩૦ દિવસમાં ગૌચર જમીન પર ના દબાણ…

Read More

જામનગર ખાતે ‘જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર’ ક્રાઉનની શપથ વિધિ યોજાઈ

જામનગર , જામનગર ખાતે જાયન્ટ વેલફેર ફાઉન્ડેશન બ્રાંચ 3-બી મા આવેલ જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર ક્રાઉન નો મુખ્ય હોદેદારો નો સોસ્યલ ડિસ્ટન્સ સાથે ૨૦૨૦ થી ૨૧ ના શપથ લીધા. જેમાં મુખ્ય પ્રમુખ સુનિતાબેન પુંજાણી, ઉપ પ્રમુખ હેમાબેન પુંજાણી , (ડી.એફ) મીત પુંજાણી, (ડી.એ) શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા, (ડી.એ) હિનાબેન વિ. અગ્રાવતએ શપથ યુનિટ ૬ ના યુ.ડી દુષ્યન્ત પંડ્યા એ શપથ લેવડાવ્યા. સાથે પ્રસંગે 3 બી ના વી.પી. એન.સી.એફ. જયદેવ ભટ્ટ, ઓફિસર રેણુંકા એ ભટ્ટ, તેમજ એમ .યુ .ઝવેરી ઉપસ્થિત રહેલ. સરકાર ના કાયદા નુ પાલન કરીને ગ્રુપ ની જનરલ મીટીંગ હવે…

Read More

જામનગર વેપારી મહામંડળ દ્વારા શહેરના ૪ વિસ્તારમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર

જામનગર, જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના, મહામંત્રી બિપીનભાઈ પંચમતિયા, દ્વારા ડિસ્ટન્સીગ ના પાલન સાથે વેપારી મહામંડળ દ્વારા ગત સાંજે ૬:૩૦ કલાકે ચાંદી બજાર સર્કલ, સાંજે ૭ કલાકે લાલ બંગલા સર્કલ, સાંજે ૭:૧૫ કલાકે રણજીત નગર પટેલ સમાજ પાસે, સાંજે ૭:૩૦ કલાકે હવાઈ ચોક વિસ્તારમાં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યું જેમાં લોકો એ ચાઈનીઝ વસ્તુઓનો ને પગે કચડી નાખી અને ભારતીય સૈનાની દેશ ની સીમા પર અને ભારત ના વેપારી ભારત માં ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર ‌કરી વ્યાપારિક યુઘ્ધ મા ચાઈના ને હાર આપવાની શપથ લીધી હતી, સાથે ભારત માતા…

Read More