ગઢડા તાલુકાના ઢસા ગામ પાસે આવેલ જીવાઈ સતાધાર મંદિર તરફ થી હાલ અસાઢી બીજ નું આયોજન હાલ બંધ રાખેલ છે

ગઢડા,

ઢસા ગામ પાસે આવેલ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ જીવાઈ સતાધાર મંદિર અમારા ખાસ કાઠિયાવાડ વિસ્તાર પ્રખ્યાત છે, જેમાં દર વર્ષે ખૂબ જ સારી રીતે મેળા નું આયોજન થતું હતું તેમજ આવનાર ભક્તો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવતું હતું , પણ આ વર્ષ કોવીડ 19 સંદર્ભે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર ના નિયમ મુજબ હાલ આ વર્ષે મેળા નું આયોજન બંધ રાખેલ છે . આમ દરેક ભક્તો ને અગાઉ જણાવવામાં આવે છે તેમજ  ભક્તો ને બાપુ તરફ થી એક અપીલ કરેલ કે બધાએ સરકાર આદેશ નું પાલન કરવું , જીવાઈ સતાધાર મંદિર તરફ થી હાલ અસાઢી બીજ નું આયોજન બંધ રાખેલ છે. આ આદેશ ઢસા પાસે આવેલ જીવાઈ સતાધાર ના સીતારામ બાપુ તેમજ હરિબાપુ એ ખાસ હિન્દ ન્યૂઝ ને  જણાવવામાં આવ્યું.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment