જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીની એક બેઠક રાણીપા ભવન ખાતે મળી હતી

જોડિયા,
જોડિયા ખાતે નવા મંડળ ની સર્વાનુમતે નકી કરવા જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીની એક બેઠક રાણીપા ભવન ખાતે મળી જેમાં હોદા ની પસંદગી કરવામાં આવી હતી.  જેમાં પ્રમુખ તરીકે જોડિયા તાલુકાના માનપર ગામે તલાટી કમ મંત્રી ની ફરજ બજાવતા દુષ્યતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ.જોડિયા તાલુકાના બાલભા ગામે ફરજ બજાવતા ભાવેશભાઈ પ્રજાપતિ અને સચિવ જોડિયા તાલુકાના જીરાગઢ ગામે ફરજ બજાવતા દસરથસિંહ જાડેજા ની નિમણૂક કરવામાં આવી છે. અન્ય સભ્યોમાં જોડિયા તલાટી કમ મંત્રી ની ફરજ બજાવતા નિલેશભાઈ નાગપરા અને જોડિયા તાલુકાના ભાદરા ગામે ફરજ બજાવતા વિપુલભાઈ પનારા ની બિનહરીફ ચૂંટાઈ આવેલ છે. આ બધા હોદેદારો ને જોડિયા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ દ્વારા ખુબખુબ અભિનંદન આપ્યા હતા.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment