હિન્દ ન્યુઝ, બોટાદ
મંત્રી પ્રદિપભાઇ પરમારે બોટાદ ખાતે સરકારી કુમાર છાત્રાલયના ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. ત્યારે લાભાર્થી શ્રી અશોકભાઇ રતીલાલભાઇ સાંકળિયા દિવ્યાંગ હોવાના કારણે સ્ટેજ પર જઇ શકે તેન ન હોવાથી મંત્રી પરમારે સંવેદનશીલ અભિગમ દાખવી સ્ટેજ પરથી નીચે ઉતરી દિવ્યાંગ લાભાર્થી અશોકભાઇ સાંકળિયાને ગુજરાત રાજ્યની તમામ બસોમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકે તે માટે એસ.ટી.બસ પાસ એનાયત કર્યું હતું. આ કાર્યક્રમમાં દિવ્યાંગ વ્યક્તિ પ્રત્યેનો મંત્રીનો સંવેદનશીલ અભિગમ લોકોને સ્પર્શી ગયો હતો. આ ઉપરાંત પાલક વાલી યોજનાના ૨ બાળકો સાથે સંવેદનાસભર સંવાદ સાધી મંત્રીશ્રીએ બાળકો પર વ્હાલ વરસાવ્યો હતો.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ