રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વીજબીલની પઠાણી ઉઘારાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ મેદાનમાં ઝંપલાવ્યુ છે. શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની આગેવાનીમાં આદોલનના મંડાણ કરવામાં આવ્યા છે તે પૂર્વે ગરીબ પરિવારોને ૨૦૦ યુનીટની નીચે આવતું બીલ માફ કરવા માટે પીજીવીસીએલની વડી કચેરીએ જઇ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલ ની હોળી કરી આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે લોકડાઉન મોતના દિવસો જેવું સાબીત થયું છે. હવે છૂઠછાટ મળતા જ બે મહિનાનું એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનાના બીલનું પીજીવીસીએલ તંત્ર દ્વારા ઉઘરાણું ચાલુ કરી દેવામાં આવ્યું છે. રાજકોમાં વસવાટ કરતા ગરીબ પરિવારો કે જેઓને ૨૦૦ યુનીટ કે તેથી ઓછું બીલ આવ્યું હોય તેવા ગ્રાહકોને બિલ સંપુર્ણપણે માફ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત લોકડાઉનને લીધે દરેક ધંધા રોજગાર બંધ હોવાથી લોકોને કોઇ આવક પણ થઇ ન હોય તેમજ સામાન્ય દિવસો કરતા વધુ બિલ આવ્યું હોય. તેવા ગ્રાહકોને બિલ ભરપાઇ કરવા માટે બે થી ત્રણ મહિનાની મુદત આપી હપ્તા રૂપી રાહત કરી આપવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પર:માર, રાજકોટ

Related posts

Leave a Comment