રાજકોટ શહેર રવિવારના દિવસે પણ લોકો ઓડ ઇવન પધ્ધતિથી દુકાનો ખોલી શકશે : ઉદિત અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં ઓડ-ઈવન પધ્ધતિને લઇ એક મોટી જાહેરાત કરી છે. તેની સ્પષ્ટતા કરતાં રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા એક વિડીયો મેસેજ જાહેર કરી કહેવાયું છે કે રાજકોટમાં દરેક દુકાનો કે જે જીવન જરૂરિયાત સિવાયની છે તેને એકી તારીખે રવિવાર હોય તો એક નંબર અને બેકી તારીખ હોય તો બે નંબરની દુકાનો ખૂલશે. આ રવિવારે તા.૨૪ છે. એટલે કે વેપારીઓ બેકી નંબરની દુકાનો ખોલી શક્શે. હવેથી આવશ્ય ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઇવન…

Read More

દામનગર શહેર ખાતે હીરા ની દિશા ને પેલ પાડશે રત્નકલાકારો, બે માસના લાંબા વિરામ બાદ રવિવારે ફરી ધમધમશે હીરા ઉદ્યોગ 

દામનગર, દામનગર શહેર માં લોકડાઉન થી ૨૨ માર્ચ થી સતત બંધ રહેલ હીરા ઉદ્યોગ તારીખ ૨૪/૫/થી શરૂ થવા જઈ રહ્યો છે. સવાર ના ૭-૦૦ કલાક થી સાંજ ના ૪-૦૦ કલાક સુધી ના સમય દરમ્યાન સરકાર ની ગાઈડ લાઇન્સ અને ધારા ધોરણ થી  હીરા ઉદ્યોગ શરૂ કરવા જિલ્લા ડાયમંડ એશોસીએશન ના લલિતભાઈ ઠુંમર સાથે દામનગર ડાયમંડ એશો. ના અગ્રણીઓ એ કરેલ ચર્ચા વિચારણા બાદ દામનગર શહેર માં હીરા ઉદ્યોગ શરૂ કરવા સ્થાનિક પી.એસ.આઈ સાથે થયેલ વાતચીત માં સરકારની ગાઈડ લાઇન મુજબ હીરા ઉધોગે સોસિયલ ડિસ્ટન્ટ ફરજીયાત, માસ્ક, પાન માવા ખાઈ ને…

Read More

વેરાવળ ખાતે મુસ્લિમ આગેવાનો દ્વારા કિટ નુ વિતરણ કરવામાં આવ્યું

વેરાવળ , વિશ્વભર માં ફેલાયેલ કોરોના વાયરસ બિમારી ના લીધે આવી પડેલ તકલીફ માં સહભાગી થવા ગરીબ બેવા તેમજ અતિ જરૂરતમંદ એવા લોકો ને એક સરસ અને સામાન્ય કુટુંબને બે મહિના સુધી ચાલે તેવી મોટી કીટનું વિતરણ પવિત્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલ જેમાં 15 Kg. તેલ નો ડબ્બો,  25 Kg. ચોખા, 25 Kg. ઘઉં, એક શરબત ની બોટલ, એક ટમેટો કેચપ ની બોટલ, એક અચાર ની બોટલ , એક સેવ નુ પેકેટ, ચા, પાપડ નુ પેકેટ, મગ ની દાળ, ચણા ની દાળ, તુવેર ની દાળ, મરચા પાવડર, હળદર, પાવડર,…

Read More

કલોલ ખાતે સતત પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઔષધિય કવાથ કેમ્પ શરૂ

કલોલ , કલોલ ખાતે ‘રોટરી ક્લબ’ તથા નિયામક તથા કલોલ નગર પાલિકા અને આયુષની કચેરી ગાંધીનગર ના સહયોગથી કલોલ શહેરના તમામ વોર્ડની જનતા માટે આજ થી સતત પાંચ દિવસ સુધી આયુર્વેદિક ઔષધિય કવાથ કેમ્પ શરૂ કરવામાં આવ્યો. જેમાં દરેક વોર્ડ ના રહિશોએ લાભ લીધો. રિપોર્ટર : વિજય પટેલ, ગાંધીનગર

Read More

રાજકોટમાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા કલેકટર કચેરીએ વિરોધ કરવા જતા કોંગ્રેસના કિસાન સેલના નેતા પાંલ આંબલીયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી

રાજકોટ, જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને લોકડાઉનના કારણે ખેડૂતોને યોગ્ય પાકનો ભાવ ન મળતા ખેડૂતોમાં એક નિરાશા જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ કિસાન સેલનાં નેતા પાલ આંબલિયા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતાં કલેક્ટર કચેરીએ ડુંગળી, બટાકા અને કપાસની ભારીઓ લઈ વિરોધ કરવાં પહોંચ્યા હતા. ત્યારે પાલ આંબલિયાને વિરોધ વચ્ચેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. અને પોલીસ લોકઅપમાં પુરાયા હતા. જો કે પાલ આંબલિયા અને કોંગ્રેસનો દાવો છે કે પોલીસે તેમને લોકઅપમાં ઢોર માર માર્યો છે. આંબલિયાની તબિયત પણ લથળી છે, જેથી વિવાદ વધુ વકર્યો…

Read More

રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી બદલ પોલીસ કમિશનર દ્વારા પોલીસઅધિકારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ વિશ્વભરમાં કોરોનાના કહેરમાં ગુજરાત પોલીસ દ્વારા દિવસ રાત ખુબ જ સારી કામગીરી કરવામાં આવી ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ખુબ જ ચુસ્તપણે પાલન કરવા અને ખુબ જ સઘન ચેકિંગ પણ હાથ ધરાયું. રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે પાલન રાજકોટ શફેરી જનો પાસે કરાવી રહેલ છે. જેમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં જાહેરનામું ભંગના કેસો તથા વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે. રાજકોટ શહેર પોલીસે આ લોકડાઉન દરમિયાન સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોન દ્રારા મોનીટરીંગ. સી.સી.ટી.વી કેમેરા દ્વારા મોનીટરીંગ,…

Read More

કલોલ ખાતે પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મજયંતિ નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કીટ વિતરણ

કલોલ માં પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની જન્મ જયંતિ ના નિમિતે રાજપૂત યુવા સંગઠન દ્વારા કોરોના ની મહામારીમાં ગરીબ તેમજ શ્રમિકોને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ માં સત્યનારાયણ મંદિર કલોલ ના મહંત શ્રી રામમનોહર દાસજી મહારાજ અને કલોલ નગરપાલિકાના Ex .પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાધેલા, કાઉન્સીલર યંસવનતસિંહ રાઠોડ, રાજપૂત સમાજ આગેવાન દિપકસિંહ ગોહિલ તથા રાજપૂત સમાજ ભાઈ ઓ દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું. રિપોર્ટર : વિજયભાઈ પટેલ, ગાંધીનગર

Read More

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશન માં શ્રમિકો ની વતન વાપસી

ઢસા, તા.21/5/2020 ગુરુવાર ના રોજ ઢસા જંકશન ગામે ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા બિહાર રાજ્યના – 29 શ્રમિકોને તેમના વતન તરફ જવા માટે લકઝરી બસ દ્વારા સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર થી ટ્રેન દ્વારા બિહાર રાજ્યમાં જવા માટે સન્માનજનક પ્રસ્થાન કરાવવામાં આવ્યું. તેમજ સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ ત.ક.મંત્રી હરદીપ સિંહ પરમાર તેમજ રમેશભાઈ લાગા વદરા, દેવેન્દ્ર ભાઈ જોશી, મનોજ ભાઈ પઢારીયા, આકાશ ભાઈ મેર, યુસુફભાઇ આકબાણી દ્વારા શ્રમિકોને તેમના વતન તરફ પ્રસ્થાન કરાવવામા આવેલ. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Read More

રાજકોટ શહેરમાં માત્ર ડિલિવરી કરવાની શરતે ચાની હોટલો ખુલી રાખવા મહાનગર પાલિકા દ્વારા છૂટ અપાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪ અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં દુકાનો ખુલ્લી રાખવા બાબતમાં જે આદેશ કરવામાં આવ્યા છે. તેને અનુસરીને તેમજ જાહેર સ્વાસ્થ્યના હિતમાં આવશ્યકતા અનુસાર જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તેમ જણાવી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, શહેરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ચાની હોટલો ખુલી રાખવા થયેલી રજૂઆત અને લોકલાગણી અને માગણીને નજર સમક્ષ રાખી ચાની હોટલોને માત્ર ચાની ડિલિવરી કરવાની ખાસ શરતે જ સવારે ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી જ ચાલુ રાખવા મંજૂરી…

Read More

રાજકોટ શહેર ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ ધમણ-૧ કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ  ડૉ.વી.જી.સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ-૨૦૧૭ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી. એટલું જ નહી, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલ્ફેર એ તા.૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ના જી.એસ.આર.૧૦૨(E) નોટિફિકેશન બહાર પાડ્યું છે. તા.૧ એપ્રિલ, ૨૦૨૦થી અસરકર્તા આ નોટિફિકેશનમાં ૩૭ વસ્તુઓની યાદી છે. જેના લાયસન્સની આવશ્યકતા છે. આ ૩૭ વસ્તુઓમાં વેન્ટિલેટરનો સમાવેશ કરાયો નથી. એટલે કે,…

Read More