દાહોદમાં કાળાબજારિયાઓને નશ્યત કરવા તાલુકાના અધિકારીઓને કલેક્ટરની સૂચના

દાહોદ દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ તાલુકાના અધિકારીઓને કાળા બજારિયાઓને નશ્યત કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. તાલુકા મથકના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના મારફત યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ આ સૂચના આપી છે. આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, લોકો તરફથી એવી રાવ મળી રહી છે કે કેટલાક વેપારીઓ દ્વારા જરૂરી વસ્તુઓ તથા પાનતમાકુની બનાવટની વસ્તુઓની ખરેખર કિંમત કરતા દોઢ કે બમણા ભાવ વસુલવામાં આવે છે. આ વેપારીઓ સામે નિયમોનુસારની કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તાલુકા મથકે પોલીસ સહિતના અધિકારીઓની એક ટીમ બનાવી આ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી તેમણે સૂચના આપી…

Read More

વલસાડ જિલ્લામાંથી બીજા ત્રણ દર્દીઓને સિવિલમાંથી રજા અપાઇ

વલસાડ, વલસાડ જિલ્લામાં આજે તા.૨૮/૦૫/૨૦ના રોજ સિવિલ હોસ્‍પિટલમાંથી ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપતાં હોસ્‍પિટલમાંથી રજા આપતાં આજદિન સુધી જિલ્લાના કુલ ૧૩ દર્દીઓ કોવિડ-૧૯ માંથી રીકવર થયા છે. આ ત્રણેય દર્દીઓને હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામના ત્રણેય વ્‍યક્‍તિના સેમ્‍પલ નેગેટીવ આવતાં કોવિડ હોસ્‍પિટલ, સિવિલ-વલસાડ ખાતે સારવાર હેઠળના આજના ત્રણ દર્દીઓ મળી કુલ ૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Read More

રાજકોટ શહેર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત. જળસંચયના કામો ચોમાસા પૂર્વ પુર્ણ કરવા તાકીદ કરાઇ છે : કલેકટર રેમ્યા મોહન

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં કલેકટર આ યોજનામાં સંબંધિત વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું કે આગામી ચોમાસા પહેલા કામો ઝડપી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ તકે તેઓએ જન ભાગીદારીવાળા કામો વધુ ને વધુ થાય તે માટે હિમાયત કરી હતી. આ યોજનાના નોડલ ઓફિસર અને કાર્યપાલક ઇજનેર વિજયભાઈ વોરાએ કામગીરીની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં ૮૦ કામો પ્રગતિમાં છે. જેમાં ૨૪ જેસીબી, ૧૦૮ ડમ્પર/ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૨૫૧ જેટલા શ્રમિકો કામગીરી કરી રહ્યા…

Read More

રાજકોટ શહેરથી ૩૫ જેટલા મુસાફરોને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ રવાના કરાયા હતા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના એરપોર્ટ પર લાંબા સમય બાદ આજથી હવાઈ સેવાનો પ્રારંભ થતા મુસાફરો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. એરપોર્ટનાં ગેઈટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ બાદ જ મુસાફરોને અંદર પ્રવેશ અપાયો હતો. ઉપરાંત યાત્રિકો માટે ખાસ સેનિટાઈઝની વ્યવસ્થા કરાઈ હતી. તબીબો દ્વારા તમામ યાત્રિકોનું સંપૂર્ણ મેડીકલ ચેકઅપ કરાયું હતુ. આરોગ્યની યાત્રીકોના સામાનને પણ સેનિટાઈઝ કરાયો હતો. વેઈટીંગ લોન્જમાં બે મુસાફરો સાથે ન બેસે તે માટે એક ખુરશી ઉપર ચોકડીની નિશાની અને કતારબંધ ઉભા રહેવામાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે રાઉન્ડ દોરાયા હતા.…

Read More

રાજકોટ-ચોટીલા હાઈવે ઉપરથી બેરહેમીથી ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતી ૯ ગાયો સાથે બે શખ્સો ટ્રક સાથે ઝડપાયા

રાજકોટ , રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોય. તેમજ કોરોના વાયરસની મહામારીના કારણે એક ભયનો માહોલ સર્જાયો હોય. તેવામાં ગૌ હત્યારા પણ સક્રિય થઈ ગયા હતા. ચોટીલા હાઈવે પર એક ટ્રક માં ગાયો લઈ નિકળવાના હોય. તેવી હકીકત બાતમીના આધારે ગો સેવકો વોચ ગોઠવી હતી. ચોટીલા જીવદયા પ્રેમીઓએ રેકેટ પકડી પોલીસને સોપ્યુ. ચોટીલાના ગૌ સેવકો એ બાતમી મળતા કતલખાને જતી ટ્રક રોકી અબોલ પશુઓને બચાવી લીધા છે. સૌરાષ્ટ્ર થી મહારાષ્ટ્ર તરફ ટ્રક માં ક્રૂરતા પૂર્વક ગૌમાતા સાથે માણાવદરના બે શખ્સો ઝબ્બે…

Read More

રાજકોટ શહેર વિજબીલ મળે કે ન મળે ફરજીયાત પણે બીલની રકમ તા.૩૦ સુધીના ગ્રાહકોએ ભરવી જ પડશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર P.G.V.C.L દ્વારા તા.૩૦ મે સુધીમાં ગ્રાહકોને વીજ બિલ ભરવાનું P.G.V.C.L જણાવ્યું છે. જો કે ઘણા ગ્રાહકોને હજુ સુધી બિલ ન મળ્યા હોવાની પણ ફરિયાદો મળી હતી. ત્યારે P.G.V.C.L પણ જાહેર કર્યું છે કે બિલ મળે કે ન મળે તા.૩૦ મે સુધીમાં બીલની રકમ ગ્રાહકોએ ભરપાઇ કરવી પડશે. જો ગ્રાહકોને બિલ ન મળ્યું હોય તો તેઓ પેટાવિભાગીય કચેરી અથવા W.W.W. P.G.V.C.L. COM માંથી ઓનલાઇન બીલની રકમ જાણી શકશે અને તેનું ચુકવણું ઓનલાઇન કે પેટા વિભાગીય કચેરીમાં કરી શકશે. હવે ગ્રાહકોને બિલ ભરવા માટે…

Read More

રાજકોટ શહેર સગીરાને હોસ્ટેલથી અપહરણ કરી આરોપીએ ગુજાર્યો બળાત્કાર, આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ સહિતનો ગુન્હો દાખલ કરાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં હોસ્ટેલમાં રહતી ઉપલેટા પંથકની સગીરાને જામ ટીમ્બડીના હુસેન ભીખાભાઇ ઠેબાએ હોસ્ટેલથી અપહરણ કરી મોરબી રોડની હોટેલમાં લઈ જઈ ધમકી દઈ બળાત્કાર ગુજાર્યો. બળાત્કારનો ભોગ બનનાર સગીરા નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ત્યારે આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ, એટરોસિટી. બળાત્કારની કલમો મુજબ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો.પોલીસે આરોપીની વધુ તપાસ હાથધરી છે. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. સગીરાનાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં આજથી રાજકોટ – મુંબઈ અને મુંબઇથી રાજકોટ વિમાન સેવા શરૂ થઈ

રાજકોટ, કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે રાજકોટમાં હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. જે આજથી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે અને રાજકોટ એરપોર્ટ પર આજે આઠ વાગ્યે મુંબઈથી સ્પાઇસ જેટ મારફતે ૭૫ જેટલા મુસાફરો રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે ફલાઈટ મારફતે રાજકોટથી ૩૫ જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા હતા અને રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા તમામ મુસાફરોનું મેડીકલ ચેકઅપ અને તમામ મુસાફરો નું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે તમામ વાતની ખરાઈ કર્યા બાદ રાજકોટ એરપોર્ટની તેમજ ફલાઈટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે સ્પાઈસ જેટના સંચાલકોએ રાજકોટ-મુંબઈ અને…

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસ પોઝિટિવ બોમ્બ ફુટયો, એક સાથે કોરોનાના ૬ કેસ નોંધાયા

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૩ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં ૨ અને ગોંડલ જામવાડીમાં રાજસ્થાનથી ૫ દિવસ પહેલા આવનાર મજૂર ભુવરલાલ ને કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. શહેરમાં આજે નોંધાયેલ કેસ પૈકી અમીનમાર્ગ, પ્રધ્યુમનનગર અને પુષ્કરધામ પાસે કેવલમ સોસાયટીમાંથી કોરોનાના ૩ કેસ સામે આવ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. જેમાં કાલાવડ રોડ પર આવેલ ૨૭Y/F, કેવલમ રેસિડેંસિ રહેતા અર્ચનાબેન કલ્યાણભાઇ અગ્રાવતનો તેમજ અમીન માર્ગ પર ૮૭Y/F, ચિત્રકૂટ ધામમાં રહેતા જશુમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુનો પણ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. રિપોર્ટર :…

Read More

રાજકોટ શહેર ૨ માસની બાળકી પણ કોરોનાની ઝપેટમાં. જીલ્લામાં આંક થયો ૧૦૦ને પાર

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં આજે વધુ એક કેસ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાનો વધુ એક કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે આજે એક જ દિવસમાં ૪ કેસ નોંધાયા છે. જે પૈકી ૧ શહેરમાં અને ૩ ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયા છે. જેથી શહેરમાં પોઝિટિવ આંક ૮૧ પર પહોંચી ગયો છે. અને ગ્રામ્યનાં ૨૦ મળી કુલ પોઝિટિવની સંખ્યા ૧૦૦ પર પહોંચી ગઈ છે. આજે સવારે ૩ કેસ નોંધાયા હતા. ત્યારે બપોર બાદ વધુ એક સામે આવ્યો છે. ૨ માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો. આ સાથે જીલ્લામાં આંક…

Read More