વલસાડ જિલ્લામાંથી બીજા ત્રણ દર્દીઓને સિવિલમાંથી રજા અપાઇ

વલસાડ,

વલસાડ જિલ્લામાં આજે તા.૨૮/૦૫/૨૦ના રોજ સિવિલ હોસ્‍પિટલમાંથી ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપતાં હોસ્‍પિટલમાંથી રજા આપતાં આજદિન સુધી જિલ્લાના કુલ ૧૩ દર્દીઓ કોવિડ-૧૯ માંથી રીકવર થયા છે. આ ત્રણેય દર્દીઓને હોસ્‍પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાજપુરી તલાટ ગામના ત્રણેય વ્‍યક્‍તિના સેમ્‍પલ નેગેટીવ આવતાં કોવિડ હોસ્‍પિટલ, સિવિલ-વલસાડ ખાતે સારવાર હેઠળના આજના ત્રણ દર્દીઓ મળી કુલ ૧૨ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Related posts

Leave a Comment