જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામા આવ્યું

જોડિયા, જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરસીભાઈ નદાસણા (ઝાલાભાઈ) કુનડ, જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ મતિ શ્વેતાબેન વી.છત્રોલા જોડિયા, તા.પ.ના કારોબારી અધ્યક્ષ જોડિયા ગ્રામ પચાયત સરપંચ, જોડિયા ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ બાવલાભાઈ એચ.નોત્યાર દ્વારા આજ રોજ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. જોડિયા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ એજ રોજ કોવિડ.19ની મહામારી ને કારણે ગુજરાત માં વિકટ પરિસ્થિતિ છે. લાંબા સમયથી લોકડાઉન ને કારણે ધધા,વેપાર, રોજગાર, ખેતી ના કામો સાવ ઠપ થઈ ગયા છે. લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ છે. સરકારશ્રી તરફથી કોઈ જ જરૂરી સહાય મળી નથી. એવા સંજોગોમાં પ્રજાની…

Read More

દાહોદ જિલ્લા ના પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ જોડે ધણ લઈને માસ્ક આપવામાં આવ્યા

દાહોદ દાહોદ જિલ્લામાં કલેકટર વિજય ખરાડી સુચના આપી હતી. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું સિદ્ધાંતનું લોકો દ્વારા સારી રીતે અનુપાલન થાય એ સૂચનાને ધ્યાનમાં રાખીને આજરોજ પિપલોદ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વેપારીઓ જોડે તપાસ કરવામાં આવી હતી. જે વ્યાપારી એનો પાલન ન કરતા હતા એના જોડે પીપલોદ ગ્રામ પંચાયતના તલાટીને દ્વારા દંડ લેવામાં આવ્યો હતો. જેમાં ૨૮ વેપારીઓ જોડેથી ૫૯૦૦ રૂપિયા નું દંડ લઈને પાવતી આપી હતી ને માસ્ક આપવામાં આવ્યા હતા રિપોર્ટર : વિજય બાચાણી, દાહોદ

Read More

દેવગઢબારીઆ તાલુકા શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ

દાહોદ, દાહોદ જિલ્લા શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ બળવંતસિંહ ડાંગર તથા મહામંત્રી નિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દેવગઢબારીઆ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ કિશનસિંહ કોળી તથા મહામંત્રી સવજીભાઈ રાઠવાના માર્ગદર્શન હેઠળ તાલુકા કારોબારી બેઠક ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન મોડ પર મળી હતી. જેમાં આગામી જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક પગારકેન્દ્ર વાઈજ સદસ્ય સંખ્યાના લક્ષ્યાંક લેવાયા હતા. દરેક સેન્ટર દીઠ પગારકેન્દ્ર નેતૃત્વ માટે રજિસ્ટ્રેશન કરેલ ૨૭ જેટલા શિક્ષકોની ટીમ બિલ્ડિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. હજુ દરેક સેન્ટર દીઠ પગારકેન્દ્ર નેતૃત્વ માટે વધુ રજિસ્ટ્રેશન થાય તે માટે આહવાન કરવામાં આવ્યું…

Read More

દાહોદ જિલ્લા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી પ્રત્યેક કોરોના દર્દી દીઠ સરેરાશ ૧૨૧ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ

દાહોદ કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિની શોધી કાઢવામાં, એટલે કે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં દાહોદ જિલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. દાહોદ જિલ્લા આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી પ્રત્યેક કોરોના દર્દી દીઠ સરેરાશ ૧૨૧ વ્યક્તિના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યા છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. કોરોના વાયરસના ચેપને વ્યક્તિથી વ્યક્તિ ફેલાવતો અટકાવવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી અગત્યનું પાસુ છે. કોઇ વ્યક્તિ કોરોના કેરિયરમાંથી સુપર સ્પ્રેડર બને તે પૂર્વે જ તેને શોધી, તેના સંપર્ક શોધવાનું કામ કપરૂ છતાં મહત્વનું છે. પણ, તે કામ દાહોદમાં સારી રીતે કરવામાં આવ્યું છે.…

Read More

રાજકોટ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 25 જુનથી પરીક્ષા લેવાશે

રાજકોટ, જ્યારે લોકડાઉનના કારણે અટકી પડેલી શૈક્ષણિક પ્રવૃતિઓ ફરી કાર્યરત બનવા જઈ રહી છે અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાતા રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 25મી જુનથી જે તે સ્નાતકની ડિગ્રી માટેના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને દરેક પરીક્ષા કેન્દ્રમાં મેડિકલ કોલેજના સહયોગથી એક ડોક્ટરને રાખવામાં આવશે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીને પરીક્ષાખંડમાં પ્રવેશ આપતા પહેલા બોડી ટેમ્પરેચર માપવામાં આવશે. અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિદ્યાર્થીઓને હોમિયોપેથીની દવા તેમજ લીંબુ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. જ્યારે ક્લાસરૂમ, પ્રશ્નપત્ર, ઉત્તરવહી…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાની મહામારીમાં હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ લોકોને માત્ર 20/રૂપિયા કિલો કેસર કેરી આપશે

રાજકોટ, રાજકોટ શહેરમાં હાલમાં કેરીના ભાવને લઇ ધમાષણ ચાલી રહી છે અને ત્યારે રાજકોટ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ લોકોને સસ્તી કિંમતે કેસર કેરી વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં કોઈ પણ ગરીબ લોકોને કેસર કેરી જોતી હોય તો માત્ર 20/રૂપિયા કિલોનાં ભાવથી જ આપવામાં આવશે.અને જેની માહિતી આપતા રાજકોટ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું છે કે, ગરીબ લોકોને કેસર કેરી માત્ર 20/કિલોના ભાવ થી આપવા માટે નું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ત્યારે રાજકોટ હેલ્થ એન્ડ હોસ્પિટલ કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ લોકોને કેસર…

Read More

શહેરા પોલીસ આધારભૂત અને ચોક્કસ માહિતી મેળવો રૂ.|.2,40,000/- નો ભારતીય બનાવટ નો દારૂનો મુદ્દામાલ ઝડપી પડ્યો

પંચમહાલ, પંચમહાલ જિલ્લાના રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરવાડ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક લીના પાટીલ નાઓ તરફથી પ્રોહી જુગારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિકારી આર.આઈ.દેસાઈ નાઓએ માર્ગદર્શન આપેલ અને પો.સ્ટે વિસ્તારમાં દવની સામાજીક પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ એ જ સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારના કવાલી ગામના બકા ભાઈ દેવાભાઈ પટેલીયા એ તેના મળતીયા પાસેથી ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો મેળવી કવાલી ગામના તેના મળતીયા ભોપતભાઈ લક્ષ્મણભાઇ બારિયા ના કબજાના ખેતરમાં ઘાસની ગંજીની આડાશમાં સંતાડી રાખેલ હોવાની ચોક્કસ આધારભુત…

Read More

જામનગર જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન તરફથી જામનગર ખાતે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

જામનગર,  જામનગર ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર દ્વારા જરૂરતમંદ લોકો ને અનાજ કિટ નુ વિતરણ કરવામાં આવ્યું. જાયન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન જામનગર ના પ્રમુખ સુનિતાબેન પુજાણી, સેક્રેટરી હર્ષાબેન રાવલ, માઘવભાઈ પુજાણી, શારદાબેન વિંઝુડા (જામનગર મહિલા મોરચો પ્રમુખ, BJP), પ્રવિણાબેન રૂપડીયા (પત્રકાર-હિન્દ ન્યૂઝ), હિનાબેન અગ્રાવત (પત્રકાર-હિન્દ ન્યૂઝ), રિન્કલબેન ત્રિવેદી, નલિનીબેન પંડીયા, જાગ્રુતિ બેન પંડીયા દ્વારા કિટ મા ૫ કિલો ઘઉં, ૧ કિલો તેલ, ૧ કિલો ખાંડ, ૧ કિલો ચોખા, ૧ કિલો બટેકા, ૧ કિલો મીઠુ, ૧ કિલો ડુંગળી, ચા ની ભુકી, મરચાં પાઉડર, હળદર, ઘાણાજીરૂ, આટલી વસ્તુ કિટ મા વિતરણ…

Read More

લીમખેડાના ક્વોરોન્ટાઇન સેન્ટરમાં અંતેવાસીના આરોગ્યનું થાય છે સતત નિરીક્ષણ

દાહોદ, ક્વોરોન્ટાઇન આમ તો કોમ્પ્યુટર સાયન્સનો શબ્દો છે પણ, કોરોના વાયરસના સંક્રમણ કાળમાં તેનો બહુ ઉપયોગ થઇ રહ્યો છે. તેનો મતલબ થાય છે વાયસરને ઓળખી તેને કાઢવો. કોરોનાગ્રસ્ત દર્દીના સીધા સંપર્કમાં આવેલી વ્યક્તિને ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે, એટલે કે, તેમાં વાયરસ છે કે કેમ ? તે જાણવા માટે સતત નિગરાની હેઠળ રાખવામાં આવે છે. દાહોદ જિલ્લાના લીમખેડા ખાતેની મોડેલ નિવાસી શાળામાં આવું એક ક્વોરોન્ટાઇન સેન્ટર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા કુલ ૯૧ પૈકી ૪૬ વ્યક્તિ અહીં છે, તેમનો પોષક અને સ્વાદિષ્ટ આહાર સાથે…

Read More

દાહોદમાં ચાર મહિલાઓએ કોરોનાને હરાવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

દાહોદ દાહોદમાં કોરોનાને પરાસ્ત કરનાર ચાર મહિલાઓને આજે હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. છેલ્લા બે દિવસમાં દાહોદમાં કુલ આઠ દર્દીઓ કોરોનાની મહાવ્યાધિમાંથી મુક્ત થયા છે. આ સાથે દાહોદમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ હવે કુલ ૮ જ રહ્યા છે. ગત તા. ૧૮ના રોજ અમદાવાદથી દાહોદના જૂની કોર્ટ વિસ્તારમાં આવેલી ત્રણ મહિલાઓ નામે ૬૦ વર્ષના મધુબેન ભૂલાભાઇ પરમાર, ૬૦ વર્ષીય ભીખીબેન રમણલાલ પરમાર, ૫૬ વર્ષના સુશિલાબેન મફતલાલ પરમાર અને સીમલિયાના ૪૫ વર્ષીય લલીતાબેન કચુ કિશોરી કોરોના પોઝેટિવ જાહેર થયા હતા. ચારેયને સારવારમાં ખસેડાયા હતા. પ્રથમ ત્રણ ક્રમાંકની મહિલાઓને કોવિડ કેર સેન્ટર અને…

Read More