હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૪ના રોજ આરસેટી (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ) ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના સખી મંડળના સભ્યોના કુટુંબના બેરોજગાર યુવકો માટે એરક્ન્ડીશનર અને રેફ્રીજરેટર રીપેરીંગ તાલીમનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ તાલીમમાં રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ૩૫ જેટલા યુવકો એ.સી. અને ફ્રીજની રીપેરીંગ તાલીમ લઇ રહ્યા છે. ડી.આર.ડી.એ. અને આરસેટી દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા…
Read MoreMonth: November 2024
વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આજે વિંછીયા તાલુકાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વિંછીયા પંથકમાં રૂપિયા ૨૭ કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્ત પ્રસંગે લોકોને સંબોધતા કહ્યું હતું કે, આશરે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે તૈયાર થનારા આ પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે. તેમણે દેવપરાના પાટીયા…
Read Moreવડોદરા જિલ્લામાં નવેમ્બર ૨૦૨૪ માં ૧૧ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા યોજાયા
હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની વડોદરા જિલ્લામાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી તરસાલી ખાતે અને યુનિવર્સીટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી),એમ .એસ. યુ કેમ્પસ ખાતે આવેલ છે. જેમાં રોજગાર કચેરીઓ દ્વારા કંપની (સંસ્થા)કે નોકરીદાતા અને રોજગારવાંચ્છુની રોજગારીની જરુરીયાત પૂર્ણ કરવા અનુબંધમ અને એનસીએસ પોર્ટલ મારફતે ઔધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવેમ્બર માસમાં બંને રોજગાર કચેરી દ્વારા વડોદરા જીલ્લાના નોકરીદાતાને સ્થાનિક ઉમેદવારો અને અભ્યાસ કરેલ ઉમેદવારોને જિલ્લામાં રોજગારીની તકો પ્રાપ્ત થાય તે…
Read Moreવડોદરા કલેક્ટર તંત્ર દ્વારા ઇસરકારમાં ૪૭૨૯૩ ઇફાઇલ અને ટપાલની કામગીરી
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મહત્વાકાંક્ષી અભિયાન ડિઝીટલ ઇન્ડિયાને અનુરૂપ રાજ્ય સરકારના રોજબરોજના કામોમાં પણ ટેક્નોલોજીના ઉપયોગ માટે વિકસાવવામાં આવેલા ઇસરકારના મોડ્યુલના અમલમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર રાજ્યમાં અગ્રણી જિલ્લા તરીકે ઉભરી રહ્યો છે. કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીમાં ઇસરકારનો અમલ કરી સમગ્ર પત્ર વ્યવહાર ડિઝીટલ કરવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટર કચેરી દ્વારા તા. ૨૬ની સ્થિતિએ ૪૫૧૮૭ ઇટપાલ અને ૨૧૦૬ ઇફાઇલ ક્રિએટ કરવામાં આવી છે. આ બન્ને મળી ઇસરકારમાં ૪૭૨૯૩ ફાઇલ અને ઇટપાલની કામગીરી થઇ છે. આ જ સ્થિતિ પ્રાંત કચેરી પ્રમાણે જોઇએ તો ડભોઇમાં ૨૨૪૦, વડોદરા…
Read Moreશિયાળુ ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતોને માર્ગદર્શન આપવા ડિસેમ્બરમાં યોજાશે રવી કૃષિ મહોત્સવ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લાના સાતેય તાલુકામાં તા. ૬ અને ૭ ડિસેમ્બરમાં રવી કૃષિ મહોત્સવ અંતર્ગત સેમિનારો યોજાશે. રાજ્યમાં નર્મદા સહિત સિંચાઇ સુવિધાઓ વધી છે ત્યારે, શિયાળુ ખેતી માટેની તકોમાં આશાસ્પદ વૃદ્ધિ થઈ છે. તેને અનુલક્ષીને રાજ્ય સરકારે ડિસેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવનું આયોજન કર્યું છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના અધિકારીઓને રાજ્યના તમામ જિલ્લાઓમાં અસરકારક આયોજનનું માર્ગદર્શન આપ્યું હતું. નિર્ધારિત રૂપરેખા અનુસાર તા.૬ અને ૭ ડિસેમ્બરના રોજ તેના વિવિધ કાર્યક્રમો જિલ્લા અને તાલુકા સ્તરે યોજાશે.રાજ્યમાં તાલુકાવાર ૨૪૮ કાર્યક્રમો યોજીને ટકાઉ ખેતી,…
Read Moreવન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સોનગઢ ખાતે વય વંદના નોંધણી કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, તાપી તાપી જિલ્લાના સોનગઢ સાયન્સ કોલેજ ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ,જળ સંપતિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત વય વંદના નોંધણી કેમ્પ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદીજીએ જ્યારથી શાસન સંભાળ્યુ ત્યારથી દેશના દરિદ્રનારાયણની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. મોદીજીએ ગરીબોની ચિંતા કરી અનેક વિધ યોજનાઓ અમલ મુકી છે. ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ કરવાનું કાર્ય દેશના વડાપ્રધાને કર્યું છે. આજે બાળકના જન્મથી લઈ અંતિમ સંસ્કાર સુધીની નાગરીકોની જવાબદારી આ દેશના વડાપ્રધાને લીધી છે.…
Read Moreવડોદરામાં રાષ્ટ્રીય એડોપ્શન જાગૃતિ માસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ન્યુ દિલ્હી દ્રારા નવેમ્બર માસમાં “રાષ્ટ્રીય એડોપ્શન જાગૃતિ માસની ઉજવણી” કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા અને મિરેકલ ફાઉન્ડેશન ઇન્ડિયા દ્રારા “દરેક બાળક માટે પ્રેમાળ કુંટુંબ” વિષય આધારિત કુંટુંબ આધારિત વૈકલ્પિક સંભાળ કાર્યક્રમ અંતર્ગત બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં બાળ સંભાળ ગૃહો/જિલ્લા બાળ સુરક્ષા એકમના નવીન નિમણુક પામેલ કર્મચારીઓ જેવા કે અધિક્ષકો, પ્રોબેશન ઓફિસર, સોશ્યલ વર્કર, ગૃહપિતા/ગૃહમાતા, કાઉન્સેલર, હિસાબનીશ, આઉટરીચ વર્કર, શિક્ષકો, પેરામેડીકલ સ્ટાફ, રસોયા, હેલ્પર…
Read Moreહિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી તેમજ ગુજરાતના વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્ર તેમજ AI અને ICT તથા સાઇબર સિક્યુરિટી સેક્ટરમાં ગુજરાતના સહયોગ અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસના નવા કીર્તિમાન સ્થાપીને ગુજરાતને વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બનાવ્યું છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ મુખ્યમંત્રી અને ફિજીના નાયબ વડાપ્રધાનએ કરી હતી. મુખ્યમંત્રીએ પર્યાવરણપ્રિય વિકાસની સાથે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે ઉભરેલ ગુજરાતની સિદ્ધિઓની રૂપરેખા આપતાં ફિજીના…
Read Moreબાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત ૨૭મી નવેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાલ વિવાહ મુક્ત ભારત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશભરમાં લોકોએ ભાગ લીધો. આ અવસરે પ્રયાસ જે.એ.સી.સોસાયટી સુરત દ્વારા જિલ્લા સ્તરના ભાગીદારો જેમ કે, જિલ્લા પ્રશાસન, પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા બાળ સંરક્ષણ એકમ, બાળ કલ્યાણ સમિતિ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી કામરેજના વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ટીમ દ્વારા સુરત શહેરની શાળાઓ,સરકારી તેમજ સ્વેછિક સંસ્થાઓમાં જાગૃતતા કાર્યક્રમો…
Read Moreઓલપાડ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારે ૭૦ વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને ‘આયુષ્માન ભારત’ યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વય વંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વન, મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયુષ્માન ભા-રત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક,…
Read More