આગામી તા.૬ના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીએ બપોર સુધી ખીજડીયા પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે બંધ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર      મરીન નેશનલ પાર્ક જામનગર હેઠળના ખીજડીયા પક્ષી અભયારણ્યમા તારીખ ૦૬-૦૨-૨૦૨૫ ના બપોર બાદ અને તારીખ ૦૭-૦૨-૨૦૨૫ના બપોરે ૦૨.૦૦ વાગ્યા સુધી પક્ષી ગણતરીનુ આયોજન કરેલ હોવાથી ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાતે આવનાર પર્યટકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય તા.૬ ફેબ્રુઆરીના રોજ બપોર બાદ અને તા.૭ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ વાગ્યા સુધી બંધ રહેશે. તેમ નાયબ વન સંરક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More

નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને લગતા ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું 

હિન્દ ન્યુઝ, જામનગર    જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયત મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીના મતદાનના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા…

Read More

જામનગર જિલ્લામાં ચૂંટણી ફરજ માટે ઝોનલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેની સત્તાઓ સોંપવામાં આવી 

હિન્દ ન્યુઝ, જામનગર       જામજોધપુર, ધ્રોલ અને કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮- જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪- જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ (એક) ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલ છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલ હોય અને તે પૈકી જે અધિકારી/કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેઓને ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે…

Read More

સ્પેશીયલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર          ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાકક્ષાની અંધજન કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન શ્રી સત્યસાંઇ વિદ્યાલય ખાતે જિલ્લા રમત ગમત અધિકારી – જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. તમામ વજૂથની આ સ્પર્ધામાં કુલ ૧૦૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર…

Read More

દિવ્યાંગ ખેલાડીઓ માટે સુરતના રાંદેરમાં આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓની રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત           સુરતના રાંદેર ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં રમતો રમી રહેલા દિવ્યાંગ ખેલાડીઓની રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દિવ્યાંગ ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ, ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને રસોડાની પણ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.             રમત-ગમત મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ એક એવો ખેલ મહોત્સવ છે, જેણે ગુજરાતના છેવાડાના ખેલાડીઓને તક આપીને એમની ખેલ પ્રતિભાને ઉજાગર કરવાની સાથે મર્યાદિત ક્ષમતાઓ…

Read More

નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૦ માસ દરમિયાન કુલ ૦૨ આયુષ્માન આરોગ્ય મંદીર(સબ સેન્ટરો)એ રાષ્ટ્રીય કક્ષાના તેમજ રાજ્યકક્ષાના ૩૭ NQAS સર્ટિફિકેટ મેળવ્યાં

હિન્દ ન્યુઝ, નર્મદા                 નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની રાહબરી અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢક અને તેમની ટીમના અથાગ પ્રયત્નો, આરોગ્યકર્મીઓની કામ કરવાની ધગશ, અથાગ પરિશ્રમ થકી નર્મદા જિલ્લાએ છેલ્લા ૧૦ માસના ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય કક્ષાના કુલ ૦૨ અને રાજ્ય કક્ષાના ૩૭ એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે. જેમાં સિસોદ્રા અને જેશલપોર પી.એચ.સી અંતર્ગતના નવાપરા અને સુંદરપુરા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)નો સમાવેશ થાય છે. ક્વોલીટી સર્ટીફીકેટ એવી આરોગ્ય સંસ્થાઓને આપવામાં આવે છે, જે ઉત્તમ કક્ષાની…

Read More

સાપુતારા-માલેગામ ધાટમાર્ગમા ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમા રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષાકર્મીઓને સુરત મહાનિરીક્ષકશ્રી દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં

હિન્દ ન્યુઝ, સુરત               તારીખ ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યાના સમય દરમિયાન સાપુતારાની તળેટીમા આવેલા માલેગામ ધાટમાર્ગમા નાસિકના ત્ર્યંબકેશ્વરથી દ્વારકા ખાતે ધાર્મિક પ્રવાસે જઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમા દરમિયાન રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષાકર્મીઓને સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ રૂ.૫૦,૦૦૦/- નું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.              પોલીસ તરફ થી મળેલ વિગતો અનુસાર સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં ખાનગી બસ નં.UP-92-AT-0364 ના ચાલકે બસનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇને આશરે…

Read More

રૂા. ૬૩ લાખના ખર્ચે નિર્માણ થયેલા જાગીરી પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરતાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર

હિન્દ ન્યુઝ, સુરત                 ” આદિવાસીઓ આજે શિક્ષિત- દિક્ષિત થઇને તેમનામાં પરિવર્તન લાવી રહ્યા છે ” એમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે રાજયના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ વિભાગના શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયૂષભાઇ માહલા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જે આદિવાસી સમાજને કોઇ પૂછતું ન હતું તેમને નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આદિવાસી સમાજને ગૌરવાન્વિત…

Read More

જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત                 આગામી તા.૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.              જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા…

Read More

ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડા જિલ્લાના બિડજ ખાતે એન.ડી.ડી.બી.ની સુપિરિયર એનિમલ જિનેટિક્સ લેબોરેટરીની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેક્સ સોર્ટેડ ટેકનીક અને લેબોરેટરીનું અવલોકન કર્યું લેબોરેટરની અદ્યતન સુવિધાઓ, સંશોધન કાર્યો અને પ્રયોગો વિશે જાણકારી મેળવી

Read More