હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ ૯૦% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. એમ તેમણે ઉમેર્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત…
Read MoreMonth: August 2024
ભાવનગર જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. ૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઝવેરચંદ મેઘાણી ઓડિટરીયમ ખાતેથી ભાવનગર જિલ્લામાં રૂ.૩૧૦ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટ થયેલા મકાનના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષા દિવસની રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આજે ભાવનગરના ૧૯૦૦ જેટલા પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ રૂ. ૩૧૦ કરોડના…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સર્વ જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર જી. એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર સુજીત કુમાર, રેન્જ આઇ. જી. ગૌતમભાઈ પરમાર, પ્રોબેશનરી આઇ. એ. એસ.અધિકારી આયુષી જૈન, આગેવાન અભયસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.
Read More૨૪ ઓગસ્ટ આજે “વિશ્વ ગુજરાતી દિવસ”
હિન્દ ન્યુઝ, પ.પૂ.શ્રી મોરારી બાપુ એ ખરેખર ખૂબ સાચું કહ્યું છે કે ‘અંગ્રેજી કામની ભાષા હોય તો તેની પાસેથી કામવાળી ની જેમ કામ લેવાય ‘ કામવાળી અને ગૃહિણી માં જે તફાવત છે એ તફાવત અંગ્રેજી અને ગુજરાતીમાં છે. અંગ્રેજીને તેના સ્થાને રાખવામાં આવે એજ ઉત્તમ છે . વીર કવિ નર્મદ ની બે લીટી….. મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી.. પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. પારસી કવિ શ્રી અરદેશર ફરમાજી ખબરદાર કે જેમને આ સુંદર કવિતા રચી…. જ્યારે જ્યાં વસે એક ગુજરાતી,…
Read Moreશ્રી સોમનાથ મહાદેવને કૃષ્ણ પંચમી પર નાગ દર્શન શ્રૃંગાર કરાયો
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મહાદેવને કૃષ્ણ પંચમી પર નાગ દર્શન શ્રૃંગાર કરાયો હતો. દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે હલાહલ નામનું ઝેર નીકળ્યુ હતું. આ ઝેરને પીવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે શિવજીએ ઝેર પીને સંસારને બચાવ્યો હતો. પરંતુ આ ઝેર એટલું વિકરાળ હતું કે તે શિવજીના ગળા સુધી પહોંચી ગયું. આથી શિવજીનું ગળું વાદળી રંગનું થઈ ગયુ. આથી તેમને નિલકંઠ કહેવામાં આવ્યા છે. કેહવાય છે કે આ ઝેરના પ્રભાવને ઓછો કરવા માટે શિવજીના પરમ ભક્ત નાગરાજ વાસુકી શિવજીના ગળામાં વિટડાયા હતા. …
Read Moreજિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર) ખાતે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, ધરમપુર ભારતના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેંડિંગની યાદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના આહ્વાનને પગલે પ્રથમ નેશનલ સ્પેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર) ખાતે વિવિધ કાર્યક્રમો યોજયા હતા.ર્ઓગસ્ટ 22, 2024 એ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર, પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ સરીગામ ખાતે CHANDRAYAN 3: India’s Giant Leap in Lunar exploration વિષય પર સેમિનાર યોજવામાં આવ્યો હતો. લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ, લક્ષ્મી ગ્લોબલ સ્કૂલ અને લક્ષ્મી…
Read Moreશ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં વલસાડ જિલ્લાની પ્રથમ કી હોલ ઓપન હાર્ટ સર્જરી
હિન્દ ન્યુઝ, વલસાડ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર માત્ર ધરમપુર જ નહીં પણ તેની આજુબાજુના અનેક ગામ તથા સમગ્ર દક્ષિણ ગુજરાત માટેનું સર્વોચ્ચ આરોગ્ય સેવા કેન્દ્ર છે. અહીં હદયરોગની સારવાર ખુબ જ ઉત્તમ રીતે કરવામાં આવે છે. અહીં બાળક, યુવા કે વૃદ્ધ દરેક માટે હદયરોગનું નિદાન અને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, જટિલ એન્જીયોપ્લાસ્ટી, IVUS/OCT એન્જીયોપ્લાસ્ટી, પેસમેકર, વિવિધ પ્રકારના ડિવાઈસ, બાળકોમાં હદયના કાણામાં થતી તકલીફ અને તેમાં મુકવામાં આવતા ડિવાઈસ ઉપરાંત ઓપન હાર્ટ સર્જરી સહીત બઘી જ સારવાર કરવામાં આવે છે. વલસાડ જીલ્લામાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ…
Read Moreકાલાવડમાં દેશી દારૂ નાં બુટલેગર પતિ, દિયર અને સાસુ દ્વારા પરણીતાને માર મારતા પોલીસ ફરિયાદ
દેશી 🥂 દારૂનો બુટલેગર બન્યો બેફામ હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દેવીપુજક વાસમાં રહેતા અને આ જ વાસમાં કાલાવડ ટાઉન પોલીસની રહેમ નજર હેઠળ દેવરાજ વિઠ્ઠલ સોલંકી અને તેનો નાનો ભાઈ કેતન વિઠ્ઠલ સોલંકી ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરે છે અને દેશી દારૂના બુટલેગર એવા દેવરાજ દ્વારા એની પત્ની આરતીબેનને છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોય અને એક વર્ષ પહેલાં ઘરકંકાસના કારણે દેવરાજ ની પત્ની એવા આરતીબેને પોતાનું જીવન ટૂંકાવવા એસિડ પીધાનો કિસ્સો પણ ભૂતકાળમાં બનવા પામ્યો હતો અને આ ઘરકંકાસના કારણે…
Read Moreવેરાવળમાં જન્માષ્ટમીના તહેવારોમાં જરૂરીયાતમંદ પરિવારોને ફરસાણ મીઠાઈ નું વિનામૂલ્યે વિતરણ થયું
હિન્દ ન્યુઝ, પ્રાચી આજ રોજ તા. ૨૨/૮/૨૦૨૪ ના રોજ વેરાવળમાં નાના અને જરૂરીયાતમંદ પરિવારો અન્ય પરિવારોની જેમ સૌની સાથે રંગેચંગે જન્માષ્ટમીના તહેવારો ઉજવી શકે માટે વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા સામાજિક કાર્યકર્તા એવા ગરીબોના શુભ ચિંતક મનીષભાઈ અભાણી દ્વારા જરૂરીયાતમંદ નાના પરિવારોમાં ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના વડું મથક વેરાવળ શહેરમાં રહેતા આર્થિક રીતે નાના પરિવારોને જન્માષ્ટમી નાં તહેવારો દરમિયાન ઉપયોગી થવાની પરંપરા સેવાભાવી લોકોએ આ વર્ષે…
Read Moreશ્રી સોમનાથ મહાદેવને શ્રાવણની પૂર્ણિમા પર ચંદ્ર દર્શન શ્રૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસની પૂર્ણિમા પર પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ એજ સ્થાન જ્યાં ભગવાન શિવએ દક્ષ પ્રજાપતિ એ દીધેલા કુષ્ટ રોગના શાપમાં ચંદ્રદેવને શાંતિ આપીને તેના પર અમૃતવર્ષા કરી ચંદ્રને ફરી પોતાનું તેજ પુન આપ્યું હતું. અને જ્યારે જ્યારે ક્ષય ચંદ્ર પર પૂર્ણ રૂપે હાવી થાય ત્યારે સોમનાથ સ્વરૂપે શિવજી ચંદ્રને તેજ અને પ્રભા આપતા રહે છે. સોમનાથ મહાદેવ પ્રત્યે ચંદ્રની અનુકંપા દર્શાવવા માટે શિવલિંગ પર ચંદ્ર દેવની આરાધનાની પ્રતિકૃતિ તૈયાર કરી ચંદ્ર દર્શન શૃંગાર દ્વારા મહાદેવ પાસે ભક્તોને…
Read More