દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એન.એસ.એસ યુનિટ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, દીવ       ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દીવ જિલ્લા શિક્ષણાધિકારી આર.કે.સિંઘ નાં સફળ નેતૃત્વ હેઠળ અને આચાર્ય ઝાકીર લાખાવાલાના માર્ગદર્શનથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવમાં એન.એસ.એસ યુનિટ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ જેમાં એન.એસ.એસ યુનિટના સ્વયમસેવકો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો એ ભાગ લીધો. આ રેલીમાં શાળાના બધા શિક્ષકો એ સહયોગ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.

Read More