ભારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળા અટકાયતી પગલાં અંગે જિલ્લા આરોગ્ય તંત્રની સઘન કામગીરી

હિન્દ ન્યુઝ, આણંદ   જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમારની સુચના મુજબ આણંદ જિલ્લામાં બે દિવસ સુધી થયેલ અતિવૃષ્ટિ બાદ પુરના પાણી ઓસરતા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેમ્પોનું આયોજન કરી રોગચાળા અટકાયતી પગલાં માટે કામગીરી કરવામાં આવી રહી છે.                 જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગની કુલ ૮૫૩ આરોગ્ય ટીમો દ્વારા રોગચાળો ના ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેમાં કુલ ૧,૮૬,૬૩૨ વસ્તીમાં સર્વે કરી…

Read More

છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ઉંચાઈના આધારે પસંદગી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે ઊંચાઈના પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં નીચે મુજબના માપદંડોના આધારે પસંદગી કરવામાં આવશે.  જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓને જન્મતારીખનો દાખલો અને આધાર કાર્ડ સાથે તા.૧૦/૦૯/૨૦૨૪ સવારે ૧૧-૦૦ થી ૦૧-૦૦ કલાક દરમિયાન કવાંટની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. આ યોજના વિશેની વધુ માહિતી માટે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના કન્વીનર મહેન્દ્રભાઇ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના પગલે બિસ્માર થયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે ઝોઝ-કેવડી રોડ, નસવાડી-કવાંટ રોડ અને છોટાઉદેપુર નગરના રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

Read More

છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરના પૂરગ્રસ્ત નગરજનોની વ્હારે પહોંચી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ઘણા શહેરોની હાલત કફોડી બની છે. જ્યારે વડોદરા શહેરમાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ વડોદરા શહેરમાં ખડે પગે સેવા આપી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ફાયર ટીમ તા.૨૮/૦૮/૨૦૨૪ થી વડોદરા શહેરના માંજલપુર, કલાલી અને તલસર વિસ્તારના લોકોની મદદ માટે દિવસ રાત ખડે પગે છે. આ ટીમ દ્વારા ૧૬૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તદુપરાંત જરૂરિયાતમંદ લોકોને પાણીની ૨૫૦૦ બોટલ, ૭૦૦ ફૂડ પેકેટ અને ૫૦૦ નાસ્તાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં પાણીજન્ય/વાહકજન્ય રોગચાળો અટકાવવા કટિબદ્ધ બનતું જિલ્લા આરોગ્ય તંત્ર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    છોટાઉદેપુર જિલ્લામાં રોગચાળો ના ફેલાય તે માટે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સુચના અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં પાણીજન્ય/વાહકજન્ય રોગચાળા સામે અટકાયતી પગલા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૯/૦૮/૨૦૨૪ સુધીમાં આરોગ્ય વિભાગની ૮,૯૩૩ જેટલી ટીમ દ્વારા ૪,૧૮,૨૮૨ ઘરો અને ૨૯,૦૮,૬૧૫ નાગરિકોની તપાસ કરવામાં આવી છે. જેમાં તાવના ૩,૭૬૮, ઝાડાના ૨,૪૨૮, ઝાડા-ઉલ્ટીના ૬૫, શરદી-ખાંસીના ૭,૮૭૦, પેટમાં દુ:ખાવાના ૧,૧૩૨, સિકલ સેલના ૧૮૮ અને ૨,૮૬૫ અન્ય રોગ મળી કુલ ૧૮,૩૪૩ લોકોનું નિદાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં પાણીજન્ય રોગોનો ફેલાવો અટકાવવા…

Read More

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગરમાં      ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૦૧.૦૮.૨૦૨૪ થી તા.૩૦.૦૮.૨૦૨૪ સુધી નિવાસી બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધેલ ૨૭ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા દિવસે કીટ વિતરણ અને સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડ ભાવનગર ના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ઓફીસ આસી. ઇશાન કલીવડા અને…

Read More

ભાવનગર જિલ્લામાં ૧૩૧૧ જેટલી આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર    હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ભાવનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.  ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર પ્રસાદના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પાણીજન્ય રોગચાળા સહિત કોઈપણ પ્રકારનો રોગચાળો ફેલાય નહી તેની ખાસ તકેદારી રાખીને અગમચેતીના ભાગરૂપે જિલ્લામાં ૧૩૧૧ જેટલી આરોગ્ય વિભાગની મેડીકલ અને પેરા મેડીકલની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.  હાલમાં ચોમાસાની ઋતુમાં ઝાડા-ઉલ્ટી, શરદી, સામાન્ય તાવ…

Read More

વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે, વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૪-૨૫ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની ત્રીજી વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે.તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારા થી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે. જેમા ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં અને ભવાનીપરા ગામે ૭.૯૨ હે.આર. વિસ્તારમાં, શિહોર તાલુકાના ઈશ્વરીયા…

Read More

તળાજા તાલુકાના ઠળિયા ગામે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર   આત્મા (એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી) યોજના ભાવનગર દ્વારા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા એફ.આઇ.જી. ભાઇઓને પ્રાકૃતિક કૃષિ વિશે માહીતી મળી રહે તે માટે તળાજા તાલુકાના ઠળિયા ગામે કિસાન ગોષ્ઠી યોજવામા આવેલ જેમા તળાજા તાલુકાના ઠળિયા,કુંઢડા ગામના કુલ ૬૪ ભાઇઓએ ભાગ લીધો હતો. કિસાન ગોષ્ઠીમા સૌ પ્રથમ બી.ટી.એમ ગોહીલ રાજુભાઇ દ્વારા શાબ્દીક સ્વાગત દ્વારા કાર્યક્રમની શરુઆત કરવામા આવી હતી. ત્યારબાદ વક્તા શ્રી હસમુખભાઈ કે. પંડ્યા દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહીતી આપવામા આવી હતી. જેમા જીવામ્રુત, બિજામ્રુત, દસપર્ણી અર્ક વગેરે બનાવવાની રીત અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતિ આપી…

Read More

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ વડોદરા ખાતે પૂરગ્રસ્ત નાગરિકોની મદદમાં ખડેપગે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા રાહતની કામગીરી માટે સમગ્ર તંત્ર રાતદિન એક કરી રહ્યું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.   ત્યારે ભાવનગર જિલ્લાના વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ડોક્ટર્સની બ્રિગેડ પણ વડોદરા ખાતે પોતાની ફરજ બજાવી રહ્યાં છે. વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ઉકાણી અને તેમની ટીમ સાથે એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી દિલીપભાઇ વાજા, એમ.પી.એચ.ડબલ્યુ. શ્રી રઘુભાઈ…

Read More