શ્રાવણ શુક્લ બારસ પર સોમનાથ મહાદેવને કરાયો પવિત્રા શ્રૃંગાર 

 હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રાવણ શુક્લ દ્વાદશી એટલેકે પવિત્રા બારશ નીમીત્તે ભગવાન સોમનાથજીને રંગબેરંગી પવિત્રા અર્પણ કરી મહાદેવનો પવિત્રા શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ શુક્લ દ્વાદશીને વૈષ્ણવ ભક્તો દ્વારા પવિત્રા બારસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક છે, બંનેનો એકબીજા પ્રત્યેનો અનુરાગ આ શ્લોકમાં જાણવા મળે છે જે કહે છે કે  “शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे  शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ||”  ભગવાન શિવ વિષ્ણુનું સ્વરૂપ છે, અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવનું સ્વરૂપ છે, ભગવાન શિવના હ્રદયમાં…

Read More

૧૫ ઓગષ્ટના રોજ બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ૭૭ બાળકોએ ૭૭ મિનિટ સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કરી દેશને અનોખા રૂપમાં સલામી આપી

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ ખાતે પુજા હોબી સેન્ટર, પોદાર પ્રેપ સ્કૂલ તથા બાલભવન અને ગુજરાત રોલર બાસ્કેટબોલના સંયુક્ત આયોજનથી સૌપ્રથમવાર દેશને સમર્પિત કરતા બાળકો આઝાદીને નમ સ્વરૂપે ક્રાંતિવીરોને યાદ કરતો ૭૭ મિનિટનો સ્કેટીંગનો અદભૂત શો બાલભવન સ્કેટીંગ રીંક ખાતે ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. ૪ થી ૧૮ વર્ષના બાળકો તથા યુવાનો દ્વારા આમંત્રિત મહેમાનો તથા અસંખ્ય વાલીઓની હાજરીમાં આ ભવ્ય પ્રોગ્રામ યોજાઈ ગયો.           બાલભવનમાં માનદમંત્રી મનસુખભાઈ જોષી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે માનનીય મહેમાનો હિન્દ ન્યુઝ અખબાર નાં તંત્રીશ્રી ડો. સીમાબેન પટેલ…

Read More

શ્રાવણ શુકલ એકાદશી પર સોમનાથ મહાદેવને ચંદનનાલેપથી શૃંગાર 

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રાવણ શુક્લ એકાદશી પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ચંદનના લેપથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. હિંદુ ધર્મમાં ચંદનને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. ચંદનની શીતળતા અને સુગંધ ભક્તોની આધ્યાત્મિક અનુભૂતિમાં વૃદ્ધિ કરે છે. ચંદન મનને શાતા આપે છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે. સોમનાથ મંદિરમાં એકાદશી પર ભગવાન શિવને મંદિરમાં જ તૈયાર કરાયેલ શુદ્ધ ચંદનનો લેપ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે લગાવવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે અને તમામ મનુષ્યના મસ્તિષ્કમાં શિવરૂપે કલ્યાણ સ્થાપિત થાય તેવી પ્રાર્થના સાથે આ શૃંગાર કરવામાં આવે…

Read More